Xanthomonas oryzae pv. oryzicola
બેક્ટેરિયા
5 mins to read
ચેપના પ્રારંભિક તબક્કે, પાંદડામાં ઘાટી લીલી રેખાઓ, પાણીથી ભીંજાયેલા ડાઘા ચેપ લાગેલા પાંદડાઓમાં દેખાય છે. આ જખમોની સંખ્યામાં વધારો થાય છે અને પીળો-નારંગીથી ભૂરા બને છે. જખમ બેક્ટેરિયલ કોષોના સમૂહને એમ્બર રંગના ડાઘા રૂપે દેખાઇ શકે. બેક્ટેરિયલ રેખાઓ ને કારણે પછી થી દેખાતા ચેપના લક્ષણો ફૂગ જેવા જ લાગે છે પણ બેક્ટેરિયલ રેખાઓને કારણે થતા જખમ વધુ રેખીય હોય છે અને કિનારીઓ બેક્ટેરિયલ ફૂગથી સંક્રમિત પાંદડાઓના હાંસિયા જેટલી લહેરાતી નથી.
માફ કરશો, અમને ઝેન્થોમોનાસ ઓરિઝા પીવી ઓરીઝિકોલા સામે કોઈપણ વૈકલ્પિક સારવાર વિશે ખબર નથી. જો તમારી પાસે આ રોગ સામે લડવામાં મદદ કરે એવી કોઇ જાણકારી હોય, તો કૃપા કરીને અમારી સાથે સંપર્કમાં રહો. તમારી પાસેથી કંઈક જાણવા માટે અમે ઉત્સુક છીએ.
જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં ભરીને સંકલિત અભિગમનો વિચાર કરો. ગંભીર ચેપના કિસ્સામાં, રોગને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે ઉપરના ભાગે તાંબા આધારિત ફૂગનાશક લગાવો. કોપર ફૂગનાશકનો ઉપયોગ શરૂઆતના તબક્કામાં કરવો નહી. તેનો ઉપયોગ ફક્ત અંતમાં ફૂલો બેસવાના તબક્કામાં કરવો જોઈએ..
સિંચાઇના પાણીથી ફેલાતા બેક્ટેરિયા અને ચેપ વરસાદ, ભેજનું ભારે પ્રમાણ અને ઉચ્ચ તાપમાન સાથે જોડાયેલા છે. આ રોગ ઠંડા અને સૂકા વાતાવરણમાં વિકાસશીલ નથી. બેક્ટેરિયા ચીરા અને ઘા દ્વારા પાંદડામાં દાખલ થાય છે અને અંદર અનેક ઘણો વધે છે. રાત્રિ દરમિયાન ભેજવાળી સ્થિતિ અનુસાર પાંદડાની સપાટી પર બેક્ટેરિયલ સ્રાવો રચાય છે.