ચોખા

ચોખામાં બેક્ટેરિયલ ફૂગ

Xanthomonas oryzae pv. oryzae

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર રાખોડી પડતી લીલા રંગની.
  • પાંદડાંમાં પીળાશ અને શિથિલતા.
  • પાંદડાંમાંથી દૂધ જેવા ટીપા ઝરવા.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

રોપાઓમાં, ચેપગ્રસ્ત પાંદડા પહેલા પીળા કે સોનેરી રંગના બેને છે અને પછી કરમાઈને નાશ પામે છે. પરિપક્વ છોડ પર, આ ઘટના મુખ્યત્વે છોડના વિકાસથી માંડીને ફૂલની રચના થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન દેખાય છે. પાંદડાં પર પ્રથમ રાખોડી થી આછા લીલા રંગની, પાણી શોષાવાથી નિર્માણ થતી છટાઓ દેખાય છે. તે એકરૂપ થતાં, અસમાન કિનારી સાથે મોટા પીળાશ પડતાં જખમની રચના કરે છે. પાંદડાં પીળા બને છે અને ધીમે ધીમે કરમાય અને મૃત્યુ પામે છે. ચેપના અંતિમ તબક્કામાં, પાંદડાં પરથી બેક્ટેરિયાયુક્ત દૂધ જેવું દ્રવ્ય ઝરે છે. પછી આ ટીપાં સુકાવાથી એક સફેદ થરનું નિર્માણ કરે છે. આ લક્ષણ આ રોગને અન્ય થડમાં કાણું પડવાના રોગથી અલગ તારવે છે. બેક્ટેરિયલ ફૂગ ચોખામાં જોવા મળતાં સૌથી ગંભીર રોગો પૈકી એક છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ચોખામાં જોવા મળતી બેક્ટેરિયલ ફૂગ માટે આજ દિન સુધી, વ્યાપારિક ધોરણે કોઈ જ જૈવિક ઉત્પાદનો ઉપલબ્ધ નથી. કોપર પર આધારિત ઉત્પાદનોથી સારવાર કરવાથી લક્ષણોનું શમન અથવા ઘટાડવા માટે મદદ મળી શકે છે, પરંતુ રોગનું નિયંત્રણ થતું.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા પ્રતિબંધક પગલાં સાથે જૈવિક સારવારના એક સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. બેક્ટેરિયલ ફૂગ સામે લડવા માટે, એક પ્રમાણિત એન્ટિબાયોટિક ઉપરાંત કોપર ઓક્સીકલોરાઇડ અથવા કોપર સલ્ફેટ સાથે બીજની સારવાર કરવાની ભલામણ કરવામાં આવે છે. કેટલાંક દેશમાં એન્ટિબાયોટિકના ઉપયોગ પર ગંભીર પ્રતિબંધો છે, તેથી તમારા દેશમાં અમલમાં હોય તેવા પગલાં વિષે તપાસ કરો.

તે શાના કારણે થયું?

ઝેન્થોમોનાસ ઓરીઝે પીવી બેક્ટેરિયાના કારણે લક્ષણો નિર્માણ થાય છે. ઓરીઝે, જે ઘાસ જેવા નીંદણ અથવા ચેપગ્રસ્ત છોડના ખાપરામાં ટકી શકે છે. આ જીવાણુઓ પવન અને વરસાદના ઝાપટાં અથવા સિંચાઇના પાણી દ્વારા ફેલાય છે. આમ, ખરાબ હવામાન (વારંવાર વરસાદ, પવન), ભેજનું ઊંચું પ્રમાણ (70% થી ઉપર) અને ગરમ તાપમાને (25° સે થી 34° સે) દરમિયાન રોગની ઘટનાઓ અને તીવ્રતામાં વધારો થાય છે. ખાસ કરીને સંવેદનશીલ જાતોમાં, નાઇટ્રોજનયુક્ત ખાતરનું વધુ પ્રમાણ અથવા ખુબ જ નજીકનું વાવેતર પણ રોગની તરફેણ કરે છે. રોગ જેટલો વહેલો લાગે, ઉપજમાં તેટલું જ વધુ નુકસાન થાય છે. જયારે ફૂલના વિકાસના તબક્કે ચેપ લાગે, ત્યારે ઉપજ પર ખાસ અસર થતી નથી, પરંતુ અનાજના મોટાભાગના દાણા તૂટી જાય છે. ખાસ કરીને સિંચાઈ અને વરસાદી એમ બંને જમીનમાં નીચાણવાળા વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ એમ બંને વાતાવરણમાં રોગ નિર્માણ થાય છે.


નિવારક પગલાં

  • જો શક્ય હોય તો પ્રમાણિત સ્ત્રોતમાંથી મેળવેલ તંદુરસ્ત બીજનો જ ઉપયોગ કરવો.
  • ચોખાની પ્રતિકારક્ષમ એવી જાતની વાવણી કરવી, જે રોગનું નિયંત્રણ કરવા માટેની અસરકારક અને ભરોસાપાત્ર પદ્ધતિ છે(અને સસ્તી!).
  • રોપણી કરતી વખતે રોપાઓની કાળજીપૂર્વક દેખરેખ કરવી.એકબીજામાં ચેપ લાગતો અટકાવવા માટે ખેતર અને નર્સરીમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી કરો.વધુ માત્રામાં નહીં પરંતુ યોગ્ય પ્રમાણમાં નાઇટ્રોજનયુક્ત ખાતર પૂરું પાડો અને તેને ઋતુ દરમિયાન જુદા જુદા ભાગમાં વહેંચણી કરી પૂરું પાડવું જોઈએ.
  • જ્યારે પર્યાવરણની પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે છેલ્લા ભાગનું નાઇટ્રોજનયુક્ત ખાતર આપતી વખતે તેમાં સાથે વધારામાં પોટાશ પણ આપી શકાય છે.
  • યુરિયાના સ્વરૂપમાં નાઇટ્રોજનયુક્ત ખાતર પૂરું પાડવું નહીં.
  • નહેર અને તેની આસપાસના વિસ્તારમાંથી નીંદણ અને વૈકલ્પિક યજમાનને દૂર કરો અને તેનો નાશ કરો.
  • બેક્ટેરિયા માટે વૈકલ્પિક યજમાન તરીકે વર્તી શકે તેવા ચોખાના ખાપરા, ડાળખી, મૂળમાંથી ફૂટી નીકળેલા અંકુરો અને જાતે ઉગી નીકેળેલ રોપાઓને દૂર કરો.
  • જમીન અને છોડના અવશેષોમાં રોગ નિર્માણ કરતાં તત્વોને અટકાવવા માટે બે ઋતુઓ વચ્ચે ખેતરની જમીનને સુકાવા દો (પડતર).

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો