સોયાબીન

જીવાણુજન્ય ફોલ્લી

Xanthomonas axonopodis pv. glycines

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની બંને બાજુએ ઉપસેલા કેન્દ્ર સાથે આછા લીલા રંગના ટપકાં દેખાય છે.
  • ટપકાંની મધ્યમાં ફોલ્લીઓ વિકાસ પામે છે.
  • અનિયમિત કથ્થાઈ રંગની પટ્ટીઓનું સ્વરૂપ લે છે.
  • પટ્ટાઓ ભેગા થઇ અને પાંદડાને ખરબચડો દેખાવ આપી શકે છે.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

તાજાં પાંદડાંની એક અથવા બંને બાજુઓ પર બારીક, આછા લીલા રંગના ટપકાં દેખાય છે. આ ટપકાંનું કેન્દ્ર ઉપસેલું હોય છે અને બાદમાં નાની આછી બદામી અથવા નારંગી રંગની ફોલ્લીમાં પરિણામે છે, જે ઘણી વખત પાંદડું નસો પર વિકાસ પામે છે. રોગના અંતિમ ચરણમાં, તેઓ ભેગી મળી અને મોટા બદામી અનિયમિત જખમમાં ફેરવાય છે, ઘણીવાર પીળા રંગની આભા પણ દેખાય છે. આ નાશ પામેલ વિસ્તાર પવનથી ફાટી શકે છે, અને પાંદડાને ખરબચડો દેખાવ આપે છે. નાની ઉપસેલ ફોલ્લીઓ શીંગો પર પણ વિકસી શકે છે. રોગથી અકાળે પાન ખરી પડે છે અને બીજના કદ અને જથ્થામાં ઘટાડો થઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને Xanthomonas axonopodis સામે કોઇપણ વૈકલ્પિક સારવાર વિશે ખબર નથી. જો તમે આ રોગ સામે લડવામાં મદદરૂપ થાય એવું કાંઈ જાણતા હોવ તો કૃપા કરીને અમારો સંપર્ક કરશો. અમે તમારા તરફથી ઉપાયો જાણવા માટે ઉત્સુક છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ઇચ્છીત પરિણામ માટે રોગના પ્રારંભિક તબક્કે કોપર આધારિત ફુગનાશક(ઉદાહરણ તરીકે કોપર ઓક્સિકલોરાઇડ, 3 ગ્રા/લિ પાણી માં) નો ઉપયોગ કરો.

તે શાના કારણે થયું?

લક્ષણો Xanthomonas axonopodis pv. glycinesના કારણે નિર્માણ થાય છે. તે બીજજન્ય જીવાણુ છે જે ઠંડી દરમ્યાન જમીનમાં પાકના અવશેષો ટકી શકે છે. તે પવન, પાણીના ટીપાં અથવા જંતુઓ દ્વારા વહન પામી અને કુદરતી મુખ કે થયેલ યાંત્રિક ઇજાઓ મારફતે છોડમાં પ્રવેશ કરે છે. મોટાભાગે રોગ મોસમની શરૂઆતમાં જોવા મળે છે, પરંતુ ક્યારેક પાછળથી પણ ચેપ લાગવો શક્ય છે. ગરમ અને ભેજવાળા હવામાનમાં વારંવાર વરસાદ અને ભીના ભીના હોવાની પરિસ્થિતિમાં રોગનો ફેલાવો થાય છે. 30-33 ° સે વચ્ચેનું તાપમાન રોગ વિકાસ માટે શ્રેષ્ઠ છે. આ રોગ પેદા કરતા જીવાણુના નિયમનમાં પોટાશ અને ફોસ્ફરસ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.


નિવારક પગલાં

  • રોગ પ્રતિરોધક જાતોનું વાવેતર કરો.
  • જીવાણુ મુક્ત બિયારણ જ વાપરો.
  • બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.
  • ખાસ કરીને જ્યારે પાંદડાં ભીના હોય તે દરમ્યાન, ખેતરમાં કામ કામ કરતી વખતે છોડને ઇજા ન પહોંચે તેનું ધ્યાન રાખો.
  • ખાતરમાં પોટાશ અને ફોસ્ફરસ આવરી લીધેલ હોય તેનું ધ્યાન રાખો.
  • ખેતરની સ્વચ્છતા જાળવો.
  • લણણી પછી ઊંડી ખેડ કરો અથવા પાકના બધા અવશેષો દૂર કરો અને બાળી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો