બટાટા

બટાકામાં કાળા રંગનો સડો

Pectobacterium atrosepticum

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • થડના પાયામાં પાણી શોષાવાથી નિર્માણ થતાં ઝખ્મ.
  • થડની આંતરિક પેશીમાં સડો નિર્માણ થાય છે અને તે કાળું પડે છે.
  • વળેલી કિનારી સાથે પાંદડા કરમાય અને પીળા પડે છે.

માં પણ મળી શકે છે

1 પાક

બટાટા

લક્ષણો

સામાન્યરીતે આ રોગ સૌ પ્રથમ થડના પાયામાં પાણી શોષાયેલ જખમ તરીકે દેખાય છે. પાછળથી આ જખમ એકરૂપ થઈ, ઘેરા બને છે અને ઉપર તરફ વધે છે. થડની આંતરિક પેશીઓ સડે છે અને કાળા રંગની બને છે, જેનાથી છોડના ઉપરના ભાગ સુધી પાણી અને પોષકતત્વોનો પ્રવાહ અવરોધાય છે. અસરગ્રસ્ત થડ પરના પાંદડા કરમાય છે અને વળેલી કિનારી સાથે તે પહેલા સુકાય અને પછી કથ્થાઈ રંગના બને છે. છોડ ઢળી પડે છે અને સહેલાયથી જમીનમાંથી ઉખેડી શકાય છે. સામાન્યરીતે ગાંઠ કાળી થવાનું શરુ થાય છે અને ફેલાયેલ જોડેના છોડ સડે છે. જેમજેમ રોગ વધે છે આખી ગાંઠ કે ફક્ત આંતરિક ભાગ સડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ બેક્ટેરિયા સામે કોઈ જૈવિક ઉપાય શક્ય નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. રોગ પેદા કરતા જીવાણુનો ફેલાવો રોકવા કદાચ કોપરના સંયોજનોનો ઉપયોગ કરી શકે છે. જો કે, આવા સંયોજનો પર્યાવરણ અને માનવના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે

તે શાના કારણે થયું?

સામાન્યરીતે અંકુરણ પહેલા અથવા તેના તુરંત બાદ બિયારણની ગાંઠમાં રોગના વિકાસની શરૂઆત થાય છે. ભેજવાળી અવસ્થા રોગના ફેલાવાને અનુકૂળ રહે છે. ખાસકરીને સખત અને પાણીનો ભરાવો થતાં ખેતરમાં કાળા પાયાના રોગ માટે વધુ સંવેદનશીલ હોય છે. જમીન પાસેના સડેલા મૂળ અને નાશ પામેલા પાંદડાં મારફતે બેક્ટેરિયા છોડમાં દાખલ થાય છે. છોડને જીવાત કે સાધનો દ્વારા થયેલ ઇજા રોગ નિર્માણ કરતાં જીવાણુ માટે પ્રવેશ દ્વાર તરીકે વર્તે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત પ્રાપ્તિસ્થાન તરફથી મેળવેલ બિયારણનો જ ઉપયોગ કરો.
  • સહનશીલ જાતો માટે તપાસ કરો.
  • બિયારણ માટેની સમગ્ર ગાંઠની વાવણી કરો, તેના થોડા ભાગની નહિ.
  • 10 ° સે થી ઓછા તાપમાન વાળી ઠંડી જમીનમાં બટાકાની વાવણી કરવી નહિ.
  • પૂરતું ખાતર પૂરું પાડો, ખાસ કરીને નાઇટ્રોજન.
  • 2-3 વર્ષ માટે બિનયજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.
  • ખેતરમાંથી પાણીનો પૂરતો નિકાલ કરો અને વધુ પડતું પાણી આપવું નહિ.
  • ખેતરનું નિરીક્ષણ કરો અને અસરગ્રસ્ત છોડને દૂર કરો.
  • લણણી કે દેખભાળ કરતી વખતે છોડને ઇજા ન થાય તે જુઓ.
  • વાવણી માટે ઉપયોગમાં લેવાતા સાધનો, ભંડાર અને યંત્રોને ચેપમુક્ત કરો.
  • લણણી પછી પાકના સમગ્ર કચરાને ખેતરમાંથી દૂર કરો.
  • લણણી પછી જમીનને સૂર્યપ્રકાશ માં ખુલ્લી રાખો.
  • બટાકાની સૂકા વાતાવરણમાં લણણી કરો અને તેનો તાપમાનની વધઘટ વિનાના, હવાઉજાસવાળી જગ્યાએ સંગ્રહ કરવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો