અન્ય

આભાવાળી ફૂગ

Pseudomonas savastanoi pv. phaseolicola

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર પાણીથી થતા સડા જેવા જખમ.
  • જે પીળા-લીલા પ્રભામંડળ દ્વારા ઘેરાયેલા હોય છે.
  • કેન્દ્ર રાતા રંગનું બને છે.
  • પાણી શોષાયેલ, ઘેરાં લીલા ટપકાં અથવા શીંગો પર રેખાઓ.
  • ચીકણો દેખાવ.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

પાંદડા પર પહેલા નાના, અનિયમિત પાણી શોષાવાથી ટપકાં નિર્માણ થાય છે, ઘણી વખત નીચલી સપાટી પર. ટપકાં રોગ ની પ્રગતિ સાથે નોંધપાત્ર રીતે મોટાં થતાં નથી, પરંતુ પાંદડાંની ઉપરની સપાટી પર વિકાસ પામે છે. આ ટપકાની આજુબાજુ એક પહોળી , સુકાયેલ, અને પીળા-લીલા રંગની આભ નિર્માણ થાય છે. ગરમ, સૂકી અવસ્થામાં આ ટપકાની મધ્યમાં રહેલ પેશીઓ, ઘાટાં રાતા રંગની અને સુકાયેલ દેખાય છે જ્યારે આભા ઓછી થતી દેખાય છે. પ્રારંભિક તબક્કે છોડના પાંદડાને લાગેલ ચેપથી તે વળેલા અને સૂકા બને છે પરંતુ જરૂરી લક્ષણો જણાતા નથી. શીંગોમાં પાણી શોષાયેલ, ઘાટાં લીલા ટપકાં અથવા રેખાઓ જોવા મળે છે કે જે પાછળથી ભેજવાળા, વરસાદી હવામાન બાદ બદામી રંગના બને છે. વૃદ્ધિના કેટલાક દિવસો પછી બેક્ટેરિયલ પ્રવાહી પાંદડા અને શીંગો પર ટપકાં નિર્માણ કરે છે અને ચીકણો દેખાવ આપે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

લ્યુપિન્સ અલબસ, એલ લ્યુટેસ અથવા લસણનો અર્ક પી સવસ્તાનોઇ પીવી ફેસેઓલિક સામે કેટલીક જંતુનાશક અસર આપે છે. બીજ પર એર્વિનિયા હર્બીકોલા લાગુ પાડવાથી પણ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. દૂષણ ઘટાડવા માટે બીજને એક અધિકૃત એન્ટીબાયોટીક સાથે સારવાર આપી શકાય છે. શાકભાજી નિર્માણના અંતિમ તબક્કામાં કોપર આધારિત છંટકાવ કરવાથી પણ કેટલાક અંશે નિયંત્રણ મેળવી શકાય છે.

તે શાના કારણે થયું?

સ્યુડોમોનાસ સિરીંજ પીવી. ફેસેઓલિક એક રોગ પેદા કરતા જીવાણુ છે કે જે બીજ અને જમીનમાં છોડના અવશેષો પર ઠંડી દરમ્યાન ટકી રહે છે. તેને ટકવા માટે છોડની પેશીઓની જરૂર પડે છે. ભેજવાળા વાતાવરણમાં પ્રાથમિક ચેપ લાગે છે જ્યારે ઝરમર વરસાદ અને ઊડતી માટી તેનું વહન પર પાંદડા કરે છે. વરસાદનાં ઝાપટાં, કરા અથવા ખેતરમાં કામ દરમિયાન છોડને થતી ઇજાઓ વિસ્થાપનની તરફેણ કરે છે. ઠંડુ હવામાન (આશરે 20 ° સે) રોગ પેદા કરતા જીવાણુનું અને ઝેર (ફાસિયોલોટૉક્સિન) નો વિકાસ કરે છે જે છોડમાં લાક્ષણિકતાની શરૂઆત કરે છે. 25 ° સે થી ઊંચું તાપમાન આભાની રચનાને અવરોધે છે. ચેપ છોડની ઉત્પાદકતામાં, ફળની ઉપજ અને ગુણવત્તામાં ઘટાડો કરે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત રોગ પેદા કરતા જીવાણુ-મુક્ત સ્રોત તરફથી મળેલ બીજ જ વાપરવા.
  • પ્રતીકારક્ષમ જાત વાવો.
  • છોડની સામાન્ય મજબૂતી માટે આધાર આપો.
  • ખેડ દરમિયાન યાંત્રિક નુકસાન થતું ટાળો.
  • ચાસ અથવા ટપક સિંચાઈ નો ઉપયોગ કરો.
  • પાંદડાં ભીના હોય ત્યારે ખેતરમાં કામ કરવાનુંટાળો.
  • નીંદણ અને જાતે ઉગી નીકળેલ શીંગોના છોડ દૂર કરો.
  • લણણી પછી વિઘટન માટે છોડના કાટમાળમાં ઊંડી ખેડ કરો.
  • ઓછામાં ઓછા બે વર્ષ માં બિન-યજમાન પાક સાથે ફેરબદલી કરો.
  • ચેપગ્રસ્ત લીલા ઘાસ નો કોમ્પોસ્ટના આવરણ તરીકે ઉપયોગ કરશો નહીં.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો