કેપ્સિકમ અને મરચાં

મરીમાં જીવાણુજન્ય ટપકા

Xanthomonas sp.

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • યુવાન પાંદડા પર નાના, પીળા-લીલા જખમ.
  • જૂના પર્ણસમૂહ પર પીળા વર્તુળો સાથે ઘાટા, પાણી શોષાવાથી થતા જખમ.
  • વિકૃત અને વળી ગયેલ પાંદડા.
  • ફળ પર પાણી શોષાયેલ વિસ્તારો, ખરબચડા , કથ્થઈ, ભીંગડા બને છે.

માં પણ મળી શકે છે


કેપ્સિકમ અને મરચાં

લક્ષણો

પ્રથમ લક્ષણોમાં યુવાન પાંદડા પર નાના , પીળા-લીલા જખમ, જે સામાન્ય રીતે વિકૃત અને વળેલા દેખાય છે. જૂના પર્ણસમૂહ પર, જખમ કોણીય, ઘાટા લીલા અને ચીકાશવાળા દેખાય છે, ઘણી વખત પીળા વર્તુળો દ્વારા ઘેરાયેલા હોય છે.તે ઘણી વખત પાંદડાની કિનારી અથવા ટોચ પર અનેકગણા વધારે હોય છે. આખરે, ટપકા, ઘા કરેલા કાણા જેવા લાગે છે કારણ કે કેન્દ્ર સુકાઈ જાય છે અને વિખેરાઈ જાય છે. ફળ પર ના ટપકા (0.5 સે.મી. સુધી) નિસ્તેજ-લીલા, પાણી શોષાયેલ વિસ્તારો તરીકે શરૂઆત થાય છે, જે આખરે ખરબચડા, કથ્થઈ અને ચિથરેહાલ થઈ જાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જીવાણુ જન્ય ટપકા ની સારવાર ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ છે - જો રોગ મોસમની શરૂઆતમાં થાય છે, તો સમગ્ર પાકનો નાશ કરવો હિતાવહ છે. તાંબું-ધરાવતાં જીવાણુનાશકો પર્ણસમૂહ અને ફળ પર રક્ષણાત્મક આવરણ પૂરું પાડે છે. જીવાણુ જન્ય વિષાણુ (બેક્ટેરિયોફેગેસ) જે ખાસ બેક્ટેરિયા મારવા ઉપલબ્ધ છે. બીજને 1.3% સોડિયમ હાઇપોક્લોરાઇટમાં એક મિનિટ માટે અથવા ગરમ પાણી (50 ° સે)માં 25 મિનિટ માટે ડુબાડવા.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. તાંબું-ધરાવતાં જીવાણુનાશકો નો સંરક્ષક તરીકે ઉપયોગ કરી શકાય છે અને તે રોગમાં આંશિક નિયંત્રણ આપે છે. રોગના પ્રથમ ચિન્હો દેખાય તે સમયે અને પછી 10 થી 14 દિવસના અંતરાલે જ્યારે ગરમ, ભેજવાળુ વાતાવરણ થાય ત્યારે લાગુ પાડવું. સક્રિય ઘટક તાંબું અને મંકોઝેબ સારુ રક્ષણ આપે છે.

તે શાના કારણે થયું?

જીવાણુજન્ય ટપકા વિશ્વભરમાં થાય છે અને ગરમ, ભેજવાળા વાતાવરણ ઉગાડવામાં આવતા મરી અને ટમેટાં પર થતો સૌથી વિનાશક રોગો પૈકીમાંનો એક છે. રોગ પેદા કરતા જીવાણુ બીજના સહયોગથી ક્યાં તો બહાર અથવા આંતરિક તેમજ ચોક્કસ નીંદણ પર ટકી શકે છે, અને પછીથી વરસાદ કે ઉપરથી કરવામાં આવતી સિંચાઈ મારફતે ફેલાય છે. તે પાંદડા પર ના છિદ્રો અને જખમો દ્વારા છોડમાં પ્રવેશે છે. 25 થી 30 ° સે વચ્ચે નું તાપમાન શ્રેષ્ઠ રહે છે. એકવાર જો પાક ચેપગ્રસ્ત થાય તો, રોગને નિયંત્રિત કરવો ખૂબ જ મુશ્કેલ છે અને પાકને સંપૂર્ણ નુકસાન થઈ શકે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત રોગ મુક્ત બીજ ની વાવણી કરો.જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતો વાપરો.
  • રોગના સંકેતો માટે નિયમિત ખેતરની ચકાસણી કરો.બીજ અથવા પાંદડાંપર ટપકાવાળા છોડ, તેમજ નજીકના છોડ ને દૂર કરો અને બાળી દો.
  • ખેતરમાં અને આસપાસમાંથી નીંદણ દૂર કરો.જમીનમાંથી છોડને ચેપ થતો ટાળવામાં મદદ માટે છોડની આસપાસ લીલા ઘાસનું વાવેતર.
  • જો અલગ અલગ ખેતરમાં કામ કરતા હોવતો ઉપયોગ પછી સાધન સામગ્રી શુદ્ધ કરો.
  • ઉપરથી સિંચાઈ ટાળો અને જ્યારે પર્ણસમૂહ ભીના હોય ત્યારે ખેતરમાં કામ કરવાનું ટાળો.
  • લણણી પછી છોડના અવશેષો માટીમાં ઊંડે સુધી જાય તેમાટે ખેડ કરો.
  • વૈકલ્પિક રીતે, તેમને દૂર કરો અને બાળો.
  • 2-3 વર્ષે બિન-સંવેદનશીલ છોડ સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો