શેરડી

શેરડીમાં પીળા પાંદડાંનો વાયરસ

Sugarcane Yellow Leaf Virus

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાંની મુખ્ય શીરા પીળી પડે છે.
  • કુમળાં પાંદડા સુકાઈ જાય છે.
  • શેરડીનો વિકાસ અટકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

શેરડીમાં પીળા પાંદડાંના વાયરસનો ચેપ કેટલાક ગંભીર લક્ષણોનું કારણ બને છે જેમ કે, શેરડીનો વિકાસ અટકે, પાંદડામાં વિકૃતિકરણ અને છોડનો ઘટાદાર દેખાવ. પાંદડાની નીચલી સપાટી પર, ટોચ પરથી નીચે ગણતરી કરીએ તો વિસ્તરતા પાંદડાં 3 થી 6, પાંદડાની મુખ્ય શીરા પીળાશ પડતી દેખાય છે. જેમ જેમ ઋતુ આગળ વધે છે તેમ તેમ જ્યાં સુધી પાંદડામાં દૂરથી સામાન્ય પીળાશ પીળી જોઇ ન શકાય, ત્યાં સુધી પીળાશ પાંદડાની મુખ્ય શીરાથી પાંદડાની કિનારી સુધી ધીમે ધીમે વિસ્તરે છે. તે પુખ્ત શેરડીમાં સૌથી નોંધપાત્ર હોય છે. ગંભીર ચેપ હેઠળ, પાંદડા સાથે વધતો અગ્ર ભાગ સૂકાય છે અને ટોચ પરના પાંદડાં ઘટાદાર દેખાય છે. ક્યારેક લાલ રંગનું વિકૃતિકરણ જોવા મળે છે. પુખ્ત શેરડીના માં, રોગ ખુબ જ ફેલાય છે અને દૂરથી ઓળખી શકાય છે. એ નોંધવું જોઇએ કે આ ચિહ્નો છોડમાં ખેંચવાથી, જંતુ દ્વારા નુકસાન, પાણીની ઉણપ કે અન્ય પરિબળો સંબંધિત પણ હોઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

વાયરસનો ફેલાવો નિયંત્રિત કરવા માટે અફિડની વસતીનું નિયંત્રણ જરૂરી છે. એફિડની હાજરી માટે પાંદડાની નીચલી બાજુ ચકાસો અને જો મળે, તો જંતુનાશક સાબુ, લીમડાનું તેલ અથવા પાયરીથ્રોઇડ આધારિત જૈવિક ઉત્પાદનોથી તરત જ સારવાર આપો. એફિડને ખાતાં શિકારી પણ વાપરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. તમે માલાથિયોન @ 0.1% અથવા ડાયમેક્રોન @ 0.2% દ્વારા વાહક જંતુઓ દ્વારા થતો ગૌણ ફેલાવો અટકાવી શકો છો. શુષ્ક પાંદડા તોડી લીધા પછી માસિક અંતરાલે માલાથિયોન @ 1.5 કિગ્રા/ હેકટર બે વાર છાંટી શકાય. જમીનમાં કાર્બોફ્યુરેન @ 2 કિગ્રા / હેક્ટર પણ વાપરી શકાય છે.

તે શાના કારણે થયું?

શેરડીમાં પીળા પાંદડાંના વાયરસ, જે ગૌણ રીતે એફિડ (મેલનફીસ સચ્ચેરી ર્હોપેલોસીફામ મેડીસ ) દ્વારા ફેલાય છે અથવા સુગરકેન યેલો લીફ ફિટોપ્લાઝ્મા (SCYLP) જે તીતીઘોડા દ્વારા ફેલાય છે તેના કારણે લક્ષણો દેખાય છે. તે મુખ્યત્વે ચેપગ્રસ્ત બિયારણ મારફતે ફેલાય છે અને યાંત્રિક રીતે ફેલાતા નથી. ઘઉં, જવ, જુવાર અને ઓટ જેવા અન્ય પાકો પણ આ રોગ માટે સંવેદનશીલ હોય છે, પરંતુ તેને જ્યારે નજીકમાં શેરડીની ખેતી કરવામાં આવી હોય માત્ર ત્યારે જ અસર થાય છે. શુષ્ક હવામાન દરમિયાન પુખ્ત શેરડીમાં રોગ લણણી સુધી આ રોગ સૌથી વધુ નોંધપાત્ર છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, માત્ર રોગ મુક્ત બીજની સામગ્રીનો ઉપયોગ કરોઅને પ્રતિકારક જાતોનું વાવેતર કરો.
  • તમારા બીજને પ્રથમ ક્યારીમાં ઉછેરી પછી ખેતરમાં વાવવાથી રોગ ટાળવામાં મદદ થશે.
  • અફિડ વાહકોના નિયંત્રણ માટે પીળા ચોંટી જવાય તેવા ફાંસા નો ઉપયોગ કરો.
  • નિયમિતપણે પુખ્ત પાંદડાં તોડી કાઢવા, કારણ કે તેમાં વૃદ્ધિ પામવાનું એફિડ વધુ પસંદ કરે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો