ટામેટા

તમાકુ મોઝેઇક વાયરસ

TMV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • દૂષિત પાંદડા પર લીલા અને પીળા રંગના ટપકાં સાથે વિકૃતી આવે છે.
  • છોડની વૃદ્ધિ જુદા જુદા પ્રમાણમાં અટકે છે અને ફળોની માત્રામાં ઘટાડો થાય છે.
  • ફળોની સપાટી પર કથ્થાઈ રંગના ટપકા નિર્માણ થાય છે અને તેમની અંદર કથ્થાઈ રંગનો સડો વિકસે છે.

માં પણ મળી શકે છે

3 પાક

ટામેટા

લક્ષણો

છોડના બધા જ ભાગો વૃદ્ધિના કોઈપણ તબક્કા દરમિયાન અસર પામી શકે છે. લક્ષણો પર્યાવરણીય પરિસ્થિતિઓ (પ્રકાશ, દિવસની લંબાઈ, તાપમાન) પર આધાર રાખે છે. દૂષિત પાંદડા લીલા અને પીળા રંગના ટપકાં અથવા મોઝેક ભાત દર્શાવે છે. કુમળા પાંદડા સહેજ વિકૃત થાય છે. જૂનું પાંદડા પર ઘેરા લીલા રંગનો ઉપસેલ ભાગ દેખાય છે. કેટલાક કિસ્સાઓમાં, ડાળી એન્ડ પાંદડાની દાંડી પર ઘેરી સુકાયેલ છટાઓ દેખાય છે. છોડની જુદા જુદા પ્રમાણમાં વૃદ્ધિ અટકે છે અને ફળોની માત્રામાં ઘટાડો થાય છે. અસમાન રીતે પાકતાં ફળની સપાટી પર કથ્થાઈ ટપકાં વિકાસ પામે છે અને ફળની આંતરિક દિવાલમાં કથ્થાઈ ચાઠાં નિર્માણ થાય છે. પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

70° સે તાપમાને 4 દિવસ સુધી અથવા 24 કલાક માટે 82-85 ° સે તાપમાને બીજને સુકી ગરમી આપવાથી તેને વાયરસથી છૂટકારો આપી શકાય છે. વૈકલ્પિક રીતે, બીજને 100 ગ્રામ/લી ટ્રાયસોડિયમ ફોસ્ફેટમાં 15 મિનિટ માટે પલાળી, પછી પાણીથી સારી રીતે ધોઈને સૂકવી દેવા.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાંનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ટામેટામાં ટોબેકો મોઝેઇક વાયરસ સામે કોઈ અસરકારક રાસાયણિક સારવાર ઉપલબ્ધ નથી.

તે શાના કારણે થયું?

વાયરસ 2 વર્ષ (લગભગ બધી જ જમીનમાં 1 મહિના માટે) ના ગાળા માટે છોડમાં અથવા સૂકી જમીનમાં મૂળના અવશેષોમાં ટકી રહે છે. મૂળમાં નાના જખ્મથી છોડ દૂષિત થઈ જાય છે. બીજ, રોપાઓ, નીંદણ અને છોડના દૂષિત ભાગો મારફતે વાયરસનો ઉપદ્રવ ફેલાય છે. પવન, વરસાદ, તીતીઘોડાઓ, નાના સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ મારફતે પણ વિવિધ ખેતર વચ્ચે વાયરસનું પરિવહન થાય છે. છોડની સાચવણીની ખરાબ પધ્ધતિ પણ રોગના પરિવહનની તરફેણ કરે છે. દિવસની લંબાઈ, તાપમાન અને પ્રકાશની તીવ્રતા તેમજ છોડની જાત અને વય ચેપની ગંભીરતા નક્કી કરે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડમાંથી અથવા પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ બીજ જ વાપરો.
  • પ્રતિકારકક્ષમ અથવા સહિષ્ણુ જાતોનો ઉપયોગ કરો.
  • વરાળની મદદથી તમારા ક્યારાની માટીને વિષાણુમુકત કરો.
  • અગાઉ વાયરસથી સંક્રમિત થયેલ ખેતરમાં વાવણી કરશો નહીં.
  • હાથ ધોવા, હાથમોજાંનો ઉપયોગ અને તમારા સાધન-સામગ્રીને જીવાણુરહિત કરી છોડની સંભાળવાની પધ્ધતિને સુધારો.
  • ટમેટાના છોડની આસપાસ તમાકુ ઉત્પાદનો (જેમ કે સિગારેટ તરીકે)નો ઉપભોગ કરવો નહિ.
  • ક્યારી અને ખેતરનું નિરીક્ષણ કરો, રોગગ્રસ્ત છોડ દૂર કરો અને તેને બાળી દો.
  • ખેતરમાંથી અને આસપાસથી નીંદણ શોધો અને દૂર કરો.
  • લણણી પછી છોડનો કચરો ખોદી કાઢો અને બાળી દો.
  • ટામેટાંની નજીક વૈકલ્પિક યજમાન છોડની રોપણી ટાળો.
  • ઓછામાં ઓછા બે વર્ષ માટે બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો