ખાટાં ફળો

ખાટાં ફળોમાં પીળાશ અને વામનત્વ નિર્માણ કરતો વાયરસ

CCDV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • યુવાન પાંદડાના ટોચની નજીક વી આકારનો કાપો.
  • નીચે તરફ વળવું.
  • ઝાડ વધુ પડતાં પાંદડા વાળું અને અટકેલો દેખાવ દર્શાવે છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

કુમળા પાનની સપાટીની બંને બાજુ પર, ટોચ પાસે વી આકારના કાપાનો વિકાસ થાય છે અને ધીમે ધીમે નીચે તરફ વળે છે. જુના પાંદડા કદમાં નાના અને કરચલી વાળા બને છે. એમાં કરચલીઓ, પીલ્લું વળવું અથવા ઊંધા કપ જેવો આકાર(નાવડી જેવા પાંદડાં) જેવી વિવિધ વિકૃતિઓ પણ જોવા મળે છે. રોગના પરિણામે પાંદડાંમાં પોષક તત્વોની ઉણપ નિર્માણ થાય છે, જેથી પાંદડામાં પીળાશ પડતા રજકણો અથવા તેમાં વિવિધ રંગના કોષો દેખાવા પણ સામાન્ય છે. બે ગાંઠનું વચ્ચેનું અંતર ઓછું થવાના કારણે પાંદડા ગુચ્છેદાર અને અટકેલો વિકાસ દર્શાવે છે. પરિપક્વ ઝાડની ટોચના વિસ્તારમાં જ લક્ષણો અસર કરે છે અને વસાહત નિર્માણ થયાના 5 થી 8 અઠવાડિયા પછી, પહેલો અથવા બીજો નવો વિકાસ થયા બાદ જ દેખાવાનું શરૂ થાય છે. લક્ષણોનો વિકાસ 20° થી 25° સે ની વચ્ચે જ જોવા મળે છે અને 30° થી 35° સે વચ્ચે વધુ સામાન્ય હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, સીસીડીવી ની ઘટના અને ગંભીરતામાં ઘટાડો કરવા માટે કોઈ જૈવિક સારવાર જાણીતી નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી કંઈક સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. વાયરલ રોગોની રાસાયણિક રીતે સારવાર થઇ શકતી નથી. એસિટેમીપ્રીડ, બ્યુપ્રોફેઝીન અને પાયરીપ્રોક્સિફેન જેવા સક્રિય ઘટકો દ્વારા બેબેરી સફેદ માખી (પેરાબેમિસિયા માયરિસે) ની સારવાર કરી શકાય છે.

તે શાના કારણે થયું?

સાઇટ્રસ કલોરોટીક ડ્રાફ્ટ વાયરસ (સીસીડીવી) ના કારણે લક્ષણો નિર્માણ થાય છે. ચેપ લાગ્યા ના પહેલા વર્ષે, વૃક્ષ પર સામાન્ય રીતે જ ફૂલ અને ફળ આવે છે, પરંતુ પછીના વર્ષે ફૂલ અને ફળના વિકાસ, તેમજ ઝાડની તાજગી માં પણ ઘટાડો જોવા મળે છે. તેને મુખ્યત્વે કલમના પરિવહનના કારણે નિર્માણ થતી વિકૃતિ માનવામાં આવે છે. પરંતુ બેબેરી સફેદ માખી(પેરાબેમિસિયા માયરિસે), જેવા વાહક જંતુઓ દ્વારા પણ તેનું પરિવહન જોવા મળ્યું છે, જેનાથી રોગનો ફેલાવો વધુ ઝડપી અને મોટા વિસ્તારમાં થાય છે. ઘણી વાર ફળના કદ અને સંખ્યામાં ખુબ જ ઘટાડો(દ્રાક્ષમાં 50% સુધી) થવાના કારણે, કેટલીક પ્રજાતિઓમાં તેને ગંભીર રોગ તરીકે ગણવામાં આવે છે. આ રોગ પ્રત્યે કેટલીક પ્રજાતી એ પ્રતિકાર ક્ષમતા વિકસાવી છે પરંતુ જેમાં લક્ષણો દેખાતા નથી તેવા ચેપગ્રસ્ત છોડ ચેપના સ્ત્રોત તરીકે વર્તી શકે છે.


નિવારક પગલાં

  • તમારા દેશમાં સંસર્ગનિષેધ નિયમો માટે તપાસ કરો.
  • રોગનો ફેલાવો થતો અટકાવવા માટે પ્રમાણિત, રોગ પેદા કરતા જીવાણુથી મુક્ત, ખાટા ફળો ના રોપણીની સામગ્રી નો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • ઝાડ ની સંભાળ કરતા કામદારો અને સાધનોમાં ઉચ્ચ સ્તરની સ્વચ્છતા જાળવી રાખવી.
  • જુદા જુદા ખેતર વચ્ચે ચેપગ્રસ્ત ઝાડની સામગ્રીનું પરિવહન કરવું નહીં.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો