શેરડી

શેરડી મોઝેઇક વાયરસ

SCMV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • યુવાન પાંદડાંની સપાટી પર પદ્ધતિસર મોઝેક ભાતો.
  • પાંદડાંની નસોને સમાંતર સાંકળી પીળાશ પડતી રેખાઓ.
  • જૂના પાંદડા પીળા પડવા.
  • જૂના પાંદડા પર લાલ રંગના ભાગો.
  • અટકેલો વિકાસ અને ઉજ્જડ સાંઠા.

માં પણ મળી શકે છે


શેરડી

લક્ષણો

યુવાન છોડમાં સૌથી વધુ લક્ષણો દેખાય છે. ચેપગ્રસ્ત છોડ સામાન્ય લીલા રંગ પર ચોખ્ખી આછા લીલા-પીળા રંગના પટ્ટાવાળી મોઝેક ભાતો વિકસાવે છે. મોઝેક દેખાવ ક્યારેક સાંકડી પીળાશ પડતાં અથવા મૃત રેખાઓ સાથે પાંદડાની નસોને સમાંતર વિસ્તરે છે. કેટલાક કિસ્સાઓમાં, યુવાન સાંઠા માં પટ્ટાઓ પણ જોઇ શકાય છે. પાછળથી, પાંદડામાં સામાન્ય સુષ્કતા દેખાય છે, અને રેખાઓ મોટી અને વધુ સમૃદ્ધ બની જાય છે. જેમજેમ છોડ પરિપક્વ બને છે, પાંદડાની સપાટી આંશિક લાલ અથવા સુકાયેલ જોવા મળે છે. ચેપ લાગવાના સમય પર આધાર રાખીને, છોડનો વિકાસ ગંભીર રીતે અટકેલો અથવા સંપૂર્ણપણે ઉજ્જડ હોઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ખેતરમાં અને આસપાસના વિસ્તારોમાં વાયરસ માટે નીંદણ જેવા સંભવિત યજમાનો નિયંત્રિત કરો. અફિડ આ વાયરસથી તંદુરસ્ત વનસ્પતિઓને સંક્રમિત કરી શકે છે તેથી તેની વસતીનું નિરીક્ષણ અને નિયંત્રણ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. અફિડ વસ્તી નિયંત્રિત કરવા માટે જંતુનાશકો બિનઅસરકારક રહેતા હોવાથી તેનાથી સારવાર આપશો નહિ.

તે શાના કારણે થયું?

એફિડ ખોરાક મારફતે વિષાણુને વહન કરે છે અને તેના થોડાક દિવસમાં જ તંદુરસ્ત છોડને સંક્રમિત કરી શકે છે. વિષાણુ ઇજાઓ મારફતે પાંદડામાં દાખલ થઇ શકે છે, અને આ રીતે છોડમાં યાંત્રિક રીતે રોગનું વહન પણ શક્ય છે. વિષાણુ છોડની પેશીઓની બહાર લાંબા ટકી શકતા નથી તેથી છરીઓ અથવા અન્ય સાધનો મારફતે યાંત્રિક વહન શક્ય નથી.


નિવારક પગલાં

  • પ્રતિરોધક જાતો ઉગાડો.
  • પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ રોગ મુક્ત બીજની વાવણી કરો.
  • એફિડ પર નભે તેવા લાભદાયી જંતુઓની સંખ્યા જાળવી રાખો.
  • ચેપગ્રસ્ત છોડની સંખ્યાનું નિરીક્ષણ કરો.
  • વનસ્પતિને નુકસાન અને ઇજા ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો