તરબૂચ

ગોળ વલયો બનાવતો વાયરસ

PRSV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • ફળો પર ઘાટા લીલા રંગની ગોળાકાર રચના.
  • પાંદડા પર પીળી મોઝેઈક પેટર્ન.
  • પાણી ભરેલ ફોલ્લીઓ અને થડ તથા દાંડી પરની છટાઓ.

માં પણ મળી શકે છે

6 પાક

તરબૂચ

લક્ષણો

ચેપના સમયે છોડની વય, શક્તિ અને વાયરસની તીવ્રતાના આધારે લક્ષણો થોડા બદલાઈ શકે છે. ઘાટા-લીલા ફોલ્લા જેવી રચનાઓ પ્રથમ પાંદડા પર દેખાય છે. પછીથી, આ લીલા રંગના વિવિધ શેડ વિસ્તૃત પેટર્નમાં વિકસે છે. રોગના પછીના તબક્કે, પાંદડા એકદમ પાતળો દેખાવ ધરાવે છે અને પીળા તથા છીકણી નેક્રોટિક ડાઘ સાથે મોઝેઇક પેટર્ન દર્શાવે છે. પાંદડાના કદમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, પરિણામે વિકાસ રૂંધાય થાય છે અને છોડનો ઘેરાવો ઓછો થાય છે. પાણીથી ભરેલ ક્લોરોટિક ફોલ્લીઓ અને તૈલીય છટાઓ પણ દાંડી અને ડાળીઓ પર દેખાય છે. ચેપગ્રસ્ત ફળો અસંખ્ય, ઘેરા લીલા, મોટાભાગે ઊંડા, તેલયુક્ત રિંગ જેવા ડાઘ ધરાવે છે, જેનું કદ નાનું અને વિકૃત આકારનું લાગે છે. જો ચેપ પ્રારંભિક તબક્કે લાગે છે, તો ફળો વેચવા યોગ્ય રહેતા નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

એફિડ દ્વારા વાયરસના ઉપભોગ અને ફેલાવામાં અવરોધ પેદા કરવા માટે ૧% ની સાંદ્રતામાં સફેદ તેલના મિશ્રણનો છંટકાવ કરો. કેટલાક પ્રકારનાં બેક્ટેરિયા, યીસ્ટ્સ, એક્ટિનોમિસેટ્સ અને પ્રકાશસંશ્લેષણના બેક્ટેરિયા સહિતના ફાયદાકારક સુક્ષ્મસજીવોના મિશ્રણો આ રોગને ઘટાડી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. વાયરલ ચેપ માટે કોઈ સીધી રાસાયણિક સારવાર નથી. જો કે, ડી-મેથોએટ અથવા અઝાડીરાક્ટીનનો સ્પ્રે એફિડની વસ્તી ઘટાડી શકે છે. પ્રથમ લક્ષણો દેખાય તે પછી દર પખવાડિયે આ સ્પ્રેનો છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

વાયરસ અસંખ્ય જાતિના એફિડ દ્વારા અવિરત રીતે ફેલાય છે. તે એફિડ્સ પર અસર કરતો નથી, તેથી એક છોડમાંથી બીજા છોડમાં સંક્રમણ ટૂંકા ગાળાની (એક મિનિટથી ઓછા સમયમાં) અંતર્ગત થવું જોઈએ. વાયરસમાં વિવિધ પ્રકારના વૈકલ્પિક યજમાનો છે, જેમ કે તરબૂચ અને અન્ય કુકરબીટ્સ, પરંતુ તેમનો પસંદીદા પ્રકાર પપૈયા છે. જો તે પાંખવાળા એફિડની મોટી વસતી સાથે એક જ ખેતરમાં થાય તો ચેપ ઝડપથી ફેલાય છે. ઠંડુ હવામાન પણ પાંદડા (મોઝેઈક પેટર્ન અને વિકૃતિ) પરના લક્ષણોને તીવ્ર કરે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સ્રોતોના બીજનો ઉપયોગ કરો.
  • ઉપલબ્ધ પ્રતિરોધક જાતો તપાસો.
  • એવી જગ્યાએ વાવો કે જે રોગ મુક્ત હોય.
  • વાવેતરની આસપાસ મકાઈ અથવા હિબિસ્કસ સબદરીફા જેવા બિન-યજમાન પાક વાવો.
  • તે જ વિસ્તારમાં બીજા કુકરબીટ છોડ રોપવાનું ટાળો.
  • એફિડના ઉપદ્રવને ટાળવા માટે વાવેતરના સમયને સમાયોજિત કરો.
  • વાયરસથી અસરગ્રસ્ત છોડ અથવા છોડના ભાગોને દૂર કરો.
  • ખેતરમાં અને તેની આસપાસમાં નીંદણને નિયંત્રણમાં રાખો.
  • જીવાતોને વાયરસ ફેલાવતી અટકાવવા જાળીનો ઉપયોગ કરો.
  • લક્ષણો વધુ ખરાબ ન થાય તે માટે સારી રીતે ખાતર આપો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો