અડદ અને મગની દાળ

મગફળીમાં અગ્રકલિકાનો સુકારો

GBNV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • મગફળીના પાન અને પાનની દાંડી પર અનિયમિત આકારની ગાંઠો અને ટપકા દેખાય છે.
  • ડાળી પર ટૂંકા અંતરે ગાંઠો અને ટૂંકા અંતરે નવા અંકુરણ થાય છે સાથે છોડનો વિકાસ થતો અટકી જાય છે.
  • છોડની નવી કળી સુકાતી જાય છે અને છોડમાં ઉપરથી નીચેની તરફ આ રોગ ફેલાય છે.


અડદ અને મગની દાળ

લક્ષણો

કુમળા પાનપર આછા હરિતદ્રવ્યો જેવા ટપકા એ આ રોગનું મુખ્ય લક્ષણ છે જે સમય જતાં સડાની ગાંઠો અને છાંટા ઊડ્યાં હોય તેવા ગોળ ટપકાના સ્વરૂપમાં ફેરવાય જાય છે. પછીથી આ રોગ પાનની દાંડી અને ડાળીથી ઉપર તરફ છેલ્લી કળી સુધી ફેલાય છે આથી ફૂલના માળખામાં પણ સડો થાય છે અને જેથી આ રોગને અગ્રકાલિકાનો સુકારો કહે છે. વધુ તાપમાનમા આ રોગ જડપથી ફેલાય છે. રોગીષ્ઠ છોડનો વિકાસ અટકી જાય છે, નવા અંકુરણમાં સડો ફેલાય છે અને નવા પાન ખરી પડે છે. મગફળીના સૂયા તેમજ ડોડવા કાળા પડે છે તેમજ દાણા નાના રહે છે, ચીમળાઈ જાય છે અને તેના પર ડાઘા દેખાય છે. જો પાકની શરૂઆતની અવસ્થામાં આ રોગ લાગે તો ઉત્પાદન ઉપર અસર પડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

મગફળી પાકના વાવેતરના ૨૦ દિવસ બાદ જુવાર કે નાળિયેરના છોડનો અર્ક કાઢી છંટકાવ કરવાથી પણ થ્રીપ્સ જીવાતનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

હમેંશા સંકલિત નિયંત્રણને ધ્યાનમાં રાખી રોગને નિવારી શકાય તેવા અને શક્ય હોય તેટલા જૈવિક નિયંત્રણના પગલાં અપનાવવા. કોઈપણ વાઇરસથી થતાં રોગનું રસાયણિક નિયંત્રણ શક્ય નથી. પરંતુ, આ રોગને ફેલાવતી થ્રીપ્સ જીવાતનું નિયંત્રણ કરી શકાય. પાક વાવેતરના ૩૦-૩૫ દિવસ બાદ ડાયામિથોએટ કે થાયામેથોકજામ જેવી જંતુનાશક દવાનો છંટકાવ જીવાત ઉપદ્રવના અવરોધક તરીકે કામ કરે છે અને મગફળીમાં અગ્રકલિકાનો સુકારો રોગને અસરકારક રીતે ફેલાતો અટકાવે છે. મગફળીના બીજને વાવતા પહેલા એક કિલોગ્રામ બીજ દીઠ ૨ મિલી પ્રમાણે ઇમિડાક્લોપ્રિડ જંતુનાશક દવાનો પટ આપવાથી પણ થ્રીપ્સ જીવાતનું અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.

તે શાના કારણે થયું?

મગફળીમાં અગ્રકલિકાનો સુકારો રોગ વાયરસથી થાય છે. આ રોગ છોડ ઉપર સતત લાગી શકે છે છે અને તે છોડ પર કેવા પ્રકારની થ્રીપ્સ ચૂસિયા જીવાત છોડના પાન અને રસ ચૂસે છે તેના પર આધાર રાખે છે. જ્યારે મગફળીનો પાક ન હોય ત્યારે આ થ્રીપ્સ જીવાત અન્ય પાક જેમ કે દક્ષિણી ગલગોટા કે ક્લોવર જેવા ઘસચરાના પાકને ખાઈને જીવે છે. આથી ખેતર કે ખેતરની આસપાસ આવા છોડનો નાશ કરવો ખુબજ જરૂરી છે. મગફળીનું ઘાટું વાવેતર કરવાથી પણ આ જીવાતનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે.


નિવારક પગલાં

  • જો બજારમાં મળી શકે તો આ રોગથી પ્રતિકારક હોય તેવી જાતોની વાવેતર માટે પસંદગી કરવી.
  • વહેલું વાવેતર કરવું જેથી આ રોગને ફેલાવતી (થ્રીપ્સ ચૂસિયા) જીવાતના વધુ ઉપદ્રવથી બચી શકાય.
  • ઘાટું વાવેતર કરવું જેથી આ રોગ ને ફેલાવતી જીવાતનો ઉપદ્રવ ઓછો કરી શકાય.
  • મકાઇ અને બાજરી જેવા પાકોનું આંતરપાક તરીકે વાવેતર કરવું જેથી આ રોગ ને ફેલાવતી જીવાતની ખેતરમાં અવરજવર રોકી શકાય.
  • અડદ કે મગ જેવા પાકો કે જેમાં આ રોગ વધુ લાગે છે તેવા પાકોની આસપાસ મગફળી પાકનું વાવેતર કરવું નહીં.
  • ખેતરમાં આ રોગને ફેલાવતી જીવાતને આશરો આપતા નીંદામણનો નિકાલ કરવો.
  • આ રોગ દેખાય તેના દોઢ મહિના બાદ રોગીષ્ઠ છોડ અને તેના અવશેષોનો ખેતરમાથી નિકાલ કરવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો