Phytophthora palmivora
ફૂગ
સામાન્ય રીતે શીંગની ઉપર અથવા નીચે તરથી ગોળાકાર કથ્થઈ રંગના ટપકાં શરૂ થાય છે. આ ટપકાં ઝડપથી વિસ્તરે છે અને 1-2 અઠવાડિયામાં તો આખી શીંગને આવરી લે છે. ભેજવાળા હવામાનમાં, કથ્થઈ રંગના જખમ પર સફેદ રંગના કણો જોવા મળે છે. ચેપગ્રસ્ત કોકોની શીંગોમાંથી 'માછલી જેવી' તીવ્ર ગંધ આવે છે. તે કાળા રંગની બની સુકાઈ જાય છે અને મડદાં જેવી બની જાય છે, છતાં ઝાડ સાથે જોડાયેલ રહે છે. કુમળી શીંગોમાં રહેલ દાણા સડી જાય છે; પરિપક્વ શીંગોમાં દાણા સારા હોઈ શકે છે. કુમળી કુંપણો ઝડપથી કથ્થાઈ રંગની બને છે અને તેનો સંપૂર્ણપણે નાશ થઇ શકે છે. ક્ષળની થડ પર અંડાકાર કાટ જેવા કથ્થાઈ રંગના ટપકાં જોઈ શકાય છે અને તેની છાલ નીચે તેજસ્વી ગુલાબી કે વાઇન રંગના હોય છે છે. પાંદડા તેના પરની નસો સાથે રંગહીન બની શકે છે. ડાળીઓની ગાંઠ અને થડ પર ઘેર કથ્થઈ રંગના પાણી વાળા ઝખ્મ જોવા મળે છે અને તેમાંથી લાલાશ પડતાં કથ્થઈ રંગનો ગુંદર જેવો પદાર્થ નીકળતો જોઈ શકાય છે.
રાસાયણિક ફૂગનાશકોની જેમ જ શીંગોને ચેપ લાગે તે પહેલાં જ જૈવિક નિયંત્રણના ઉપાય કરવા. ટ્રાઇકોડર્માની કેટલીક પ્રજાતિઓનો નિયમિત અને નિવારક રીતે ઉપયોગ કરવાથી ફૂગને કાબૂમાં રાખવાના સારા પરિણામો મળ્યા છે.
આ રોગને નિયંત્રિત કરવામાં રાસાયણિક ફૂગનાશકો મદદ કરી શકે છે, પરંતુ તેની સાથે ખેતીની યોગ્ય પદ્ધતિઓ પણ અપનાવવામાં આવે તો તે સૌથી વધુ અસરકારક બને છે. ચેપગ્રસ્ત વૃક્ષોમાંથી ચેપને દૂર કરવા કરતાં રોગ નિર્માણ જ ન થાય એમ કરવું હંમેશા વધુ સારું અને સસ્તું હોય છે. વાતાવરણમાં ભેજ શરૂ થાય તે પહેલાં અને ફૂલો આવવાથી લઈને શીંગો પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ કરો. વરસાદની ઋતુ દરમિયાન દર 3-4 અઠવાડિયે છંટકાવ કરો. રોગની શક્યતા ગંભીર હોય ત્યારે ઋતુમાં 6-8 વખત ઉપયોગ કરો. ભેજવાળી ઋતુ પહેલા થડ અને મુખ્ય શાખાઓમાં પર વિપુલ માત્રામાં લાગુ કરો. ઋતુમાં એક વખત થડમાં ઇન્જેક્શન આપવું એ ઘણાં છંટકાવ જેટલું અસરકારક હોઈ શકે છે.
કાળા રંગની શીંગો નિર્માણ કરતો રોગ ફાયટોપ્થોરા પામીવોરા નામના માટીજન્ય જીવાણુના કારણે થાય છે જે છોડમાં સમગ્ર ભાગ પર હુમલો કરે છે. આ રોગ બધી વયની શીંગો, ડાળીઓ, અંકુરો, પાંદડા અને મૂળને અસર કરે છે. આ ફૂગના કણો પવન અને વરસાદના ઝાપટાં દ્વારા ફેલાય છે, અને વધુ પડતો ભેજ તેના વિકાસને પ્રોત્સાહન આપે છે, જેના કારણે વરસાદની ઋતુ આ રોગના ફેલાવવાની મુખ્ય ઋતુ છે. ચેપગ્રસ્ત અને સ્વસ્થ છોડના ભાગોનો સીધો સંપર્ક થવાથી અથવા દૂષિત માટી તથા સાધનો રોગનો ફેલાવો કરે છે.