વટાણા

વટાણામાં કાળા રંગના ટપકાં

Mycosphaerella pinodes and Phoma medicaginis var. pinodella

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા અને શીંગો પર ટપકાં.
  • ચેપગ્રસ્ત પાંદડા અને શીંગો પર અનિયમિત આકારના ઘેરા કથ્થાઈથી કાળા રંગના ડાઘ અથવા રજકણો.
  • કથ્થઈ અથવા જાંબલી-કાળા રંગની વિકૃતિ.

માં પણ મળી શકે છે

1 પાક
વટાણા

વટાણા

લક્ષણો

કાળા ટપકાં દાંડી, પાંદડા, શીંગો અને બીજ પર ડાઘ પડે છે. ભેજવાળી પરિસ્થિતિમાં, સામાન્ય રીતે પ્રારંભિક લક્ષણો ઘટાદાર છોડમાં નીચલા પાંદડા અને દાંડી પર જોઈ શકાય છે. અનિયમિત આકારના નાના, ઘેરા કથ્થઈ રંગના ટપકાં પાંદડાની સપાટી પર વિખરાયેલા જોવા મળે છે. સતત લાંબા સમયની ભેજવાળી પરિસ્થિતિમાં, ટપકાં મોટા અને એકરૂપ બની નીચલા પાંદડાઓને સંપૂર્ણપણે બગાડે છે. થડના નીચલા ભાગમાં ડાઘ જાંબલી-કાળા રંગના રજકણો તરીકે દેખાય છે, જે છોડના મુખ્ય આધારના ભાગમાં સડાનું કારણ બને છે અને તેનાથી છોડ ઢળી શકે છે. શીંગો પર આ ટપકાં જાંબુડિયા-કાળા રંગના હોય છે અને તે એકરૂપ બની ચીમળાયેલ વિસ્તાર નિર્માણ કરી શકે છે. ચેપગ્રસ્ત બીજ વિકૃત રંગના અને જાંબુડિયા કથ્થઈ રંગના દેખાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પ્રતિકારક્ષમ જાતોનું વાવેતર કરો.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વટાણાના દરેક બીજને મૅન્કોઝબ જેવા ફૂગનાશકથી સારવાર આપવી સલાહભર્યું છે.

તે શાના કારણે થયું?

માયકોસ્ફેરેરેલા પિનોડ્સ, ફોમા મેડિકેજિનિસ વાર. પિનોડેલ દ્વારા નુકસાન થાય છે, જે બીજજન્ય, ભૂમીજન્ય હોય અથવા વટાણા ના કચરામાં ટકી શકે છે. સામાન્ય રીતે, વટાણાના જૂના અવશેષમાં નિર્માણ થયેલ અને સંગ્રહાયેલા ફૂગના બીજકણ જ્યારે પવન દ્વારા નવા પાકમાં ફેલાય છે ત્યારે આ રોગ સામાન્ય રીતે નિર્માણ થાય છે. છોડના વિકાસના કોઈપણ તબક્કે ચેપ લાગી શકે છે. પવન અને વરસાદ ઝાપટાં દ્વારા રોગના કણો ચેપગ્રસ્ત છોડ પરથી નજીકના તંદુરસ્ત છોડ પર ફેલાય છે. ચેપગ્રસ્ત બિયારણનું વાવેતર કરવાથી પણ આ રોગ નિર્માણ થઈ શકે છે. ભેજવાળા હવામાન દરમિયાન, રોગ ઝડપથી ફેલાય છે. ચેપગ્રસ્ત બીજનું સૂકી ઋતુમાં વાવેતર કરવાથી રોગ નિર્માણ થશે નહીં, પરંતુ ભેજવાળી પરિસ્થિતિઓમાં ગંભીર રોગ નિર્માણ થવો સંભવ છે. આ ફૂગ જમીનમાં ઘણા વર્ષો સુધી ટકી શકે છે.


નિવારક પગલાં

  • સ્વચ્છ ખેતીની આદત રાખો.
  • છેલ્લી વાર જ્યાં વટાણાનો ઢગલો કર્યો હોય ત્યાંથી ઓછામાં ઓછા 500 મીટર દૂર વાવેતર કરો.
  • રોપાની પ્રતીકરક્ષમતા ઓછી ન થાય અથવા તે રોગ પ્રત્યે સંવેદનશીલ ન બને, તે માટે જૂના અથવા ક્ષતિગ્રસ્ત બીજનો ઉપયોગ કરવાનું ટાળો.
  • વહેલી વાવણી કરવાથી રોપા વધુ ઘટાદાર બની જીવાત માટે વધુ સરળ બને અને તેનાથી વધુ ગીચ પાંદડા, ઢળી પડવાની ઘટના, તથા ભેજનું પ્રમાણ પણ વધે છે; આ બધાને કારણે રોગ નિર્માણ થવાની શક્યતા વધે છે.
  • જ્યારે પણ શક્ય હોય ત્યારે પાકની ફેરબદલીની આદત રાખો.
  • એક જ જગ્યાએ 3 વર્ષમાં એક કરતા વધુ વખત વટાણા ઉગાડવા જોઈએ નહીં.
  • જો રોગ નિર્માણ થાય તો, સમયગાળાને 4 અથવા 5 વર્ષમાં 1 સુધી લંબાવવો જોઈએ.
  • ચારા તરીકે કાપી અને સળગાવી ને વટાણાનો ચેપગ્રસ્ત કચરો અને જાતે ઉગી નીકળેલ છોડનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો