તમાકુ

પાકમાં પીળાશના કારણે વિકાસમાં અવરોધ

Fusarium/Pythium/Rhizoctonia complex

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પીળા પડવા.
  • બહારના ભાગમાં કરમાશ.
  • મૂળ કાળા પડવા.
  • જમીનની પાસે આવેલ ડાળીના કોષો કરમાવા.
  • છોડનો નાશ.
  • પાંદડાં પર કેન્દ્રીય રિંગ વાળા સુકાયેલ ઝખ્મ.

માં પણ મળી શકે છે

1 પાક
તમાકુ

તમાકુ

લક્ષણો

જયારે છોડનો બહારનો ફરતેનો ભાગ કરમાવાનું શરુ કરે છે ત્યારે રોગના પ્રારંભિક લક્ષણો જોવા મળે છે, ત્યારબાદ કોશિકાઓ પીળી પડી અને સુકાય છે જેનાથી છોડનો નાશ થાય છે. પીળાશનો રોગ જમીનમાં વધુ પડતી ભીનાશના કારણે મૂળની આસપાસ હવાના ઘટાડાથી નિર્માણ થાય છે. આ જ સંદર્ભમાં, તમાકુના મૂળ નબળા પાડવાના કારણે પીળાશનો રોગ નિર્માણ કરતા પરોપજીવી તેમાં દાખલ થાય છે અથવા છોડની પ્રતીકરક્ષમતા ઘટાડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ભૂમીજન્ય પરોપજીવી સામે પ્રતીકરક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

પીળાશના રોગનું રાસાયણિક પ્રક્રિયાથી નિયંત્રણ કરી શકાતું નથી અને તે પાણી પૂરી પાડવાની ખોટી પદ્ધતિ અને જમીનમાં વધુ પડતા પાણીના કારણે નિર્માણ થાય છે.

તે શાના કારણે થયું?

તમાકુનો છોડ ઓછા પ્રમાણમાં O2 અને વધુ પ્રમાણમાં રહેલ CO2 પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય છે. અને વધુ પડતો ભેજ, ઓક્સિજનની ઉણપ અને વધુ પડતું તાપમાનમાં તેની મૂળ પ્રણાલીનો નાશ કરે છે. તમાકુના મૂળનો નાશ થતાં તેમાં પીળાશનો રોગ દાખલ કરતા ફ્યુસિરિયમ એસપીપી, ર્હીઝોકટોનીયા સોલાની, પાયથિયમ એસપીપી, વગેરે પરોપજીવી સહેલાયથી દાખલ થાય છે.


નિવારક પગલાં

  • વાડીમાં વધુ ગીચતા નિર્માણ ન થાય તે માટે, યોગ્ય દરે વાવેતર કરો.
  • રોપણી કરતી વખતે રોપાઓ વચ્ચે યોગ્ય અંતર રાખો.
  • જમીનમાં પાણીનો વધુ પડતો ભરાવો ન થાય તે માટે યોગ્ય દરે પાણી પૂરું પડે તેવી સિંચાઇની પદ્ધતિ અપનાવો.
  • યોગ્ય પદ્ધતિ દ્વારા જમીનની સઘનતા દૂર કરો.
  • ચાસના ટેકરા પર રોપણી કરીને તે પદ્ધતિ જાળવી રાખો.
  • લીલી જાજમ ફેલાવતા રોપાઓ જમીનનું માળખું જાળવી રાખવામાં મદદ કરે છે.
  • ભૂમીજન્ય પરોપજીવી સામે લડી શકે તેવી પ્રતીકરક્ષમ જાતોનો ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો