તમાકુ

તમાકુમાં વાદળી આવરણ

Peronospora hyoscyami

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • જૂના પાંદડા પર પીળા રંગના ટપકાં.
  • પાંદડાની નીચેની બાજુએ રાખોડી રંગનું આવરણ.

માં પણ મળી શકે છે

1 પાક
તમાકુ

તમાકુ

લક્ષણો

જૂના, ઉઝરડા વાળા પાંદડા પર એકાકી અથવા જૂથમાં પીળા રંગના ટપકાં દેખાય છે. ઉપરાંત, પાંદડાની નીચેની સપાટી પરના ડાઘમાં રાખોડી રંગના ગીચ આવરણ દેખાઈ શકે છે. ટપકાં વધારે ફેલાતા આખરે પાંદડાનો નાશ થાય છે. અંતે, છોડનો સામાન્ય કરતા ઓછો વિકાસ થાય છે. કેટલીકવાર, થડમાં ફૂગ ફેલાય છે. આના કારણે છોડનો વિકાસ અટકે છે અને અને તે કોઈપણ સમયે સુકાઈ જાય છે. આ થડની અંદર કથ્થઈ રંગના કણો જોવા મળી શકે છે. નાશ પામેલ અથવા નબળા પડેલ રોપાઓના પટ્ટા - એ નર્સરીમાં આ રોગની હાજરીના લક્ષણો છે. શરૂઆતમાં, ટોચના પાંદડા સામાન્ય દેખાય છે, પરંતુ એક કે બે દિવસ પછી, પીળા રંગના ટપકાંનો વિકાસ થાય છે. રોપાઓનો નાશ થવાનું શરૂ થાય છે અને તે આછા કથ્થઈ રંગના બને છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

હાલમાં, વાદળી આવરણના રોગને નિયંત્રિત કરવા માટે કોઈ પ્રકારના જૈવિક ઉત્પાદનો ઉપલબ્ધ નથી.

રાસાયણિક નિયંત્રણ

તમાકુના સમશીતોષ્ણ અને પેટા ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં મોટાભાગે વાદળી આવરણનું રાસાયણિક રીતે નિયંત્રણ કરવું જરૂરી છે. સ્થાનિક પ્રવૃત્તિ સાથે ડાયથિઓકાર્બમેટ અથવા સિન્થેટિક ઉત્પાદનોનો ઉપયોગ થાય છે. તમારા વિસ્તાર માટે નિયમન કરાયેલ જંતુનાશકોનો ઉપયોગ કરો. સારવારની સાચી પદ્ધતિ માટે હંમેશાં લેબલને અનુસરો. તમારી પસંદગીના જંતુનાશક સામે જંતુની પ્રતિકારક્ષમતા અંગે તમારી જાતને વાકેફ રાખો. પ્રણાલીગત ચેપ સામે રાસાયણિક છંટકાવ અસરકારક રહેતા નથી.

તે શાના કારણે થયું?

પેરોનોસ્પોરા હાયસિસિમી નામના છોડના જંતુ દ્વારા નુકસાન નિર્માણ થાય છે જે વાદળી આવરણનું કારણ બને છે. આ એક ફૂગવાળો રોગ છે, જે તમાકુના છોડને અસર કરે છે. તે પવનથી ફેલાતાં બીજકણ અને ચેપગ્રસ્ત રોપાઓ દ્વારા ફેલાય છે. એકવાર તે અસ્તિત્વમાં આવે કે પછી, તે છોડની પેશીઓને ચેપ લગાવીને આગળ વધે છે. શ્રેષ્ઠ પરિસ્થિતિઓ હેઠળ, પ્રારંભિક ચેપ પછી 7-10 દિવસની અંદર ફૂગ આગામી પેઢીઓના રોગકણો ઉત્પન્ન કરે છે. રોગના કણો ઉત્પન્ન કરવા માટે ફૂગને ઠંડા, ભીના અને વાદળછાયા હવામાનની જરૂર હોય છે, અને આ પરિસ્થિતિઓમાં રોગચાળો વધુ ગંભીર બની શકે છે. જ્યારે વાતાવરણ સુર્યપ્રકાશયુક્ત, ગરમ અને શુષ્ક હોય, ત્યારે ફૂગને બચવું અઘરું છે.


નિવારક પગલાં

  • તમાકુના છોડમાં વાદળી આવરણના ઉપદ્રવને ટાળવા માટે નિવારણનાં પગલાં આવશ્યક છે.
  • રોગાણુ પ્રજનન અને ચેપના ફેલાવા માટે ઠંડા, ભેજવાળા વાતાવરણ પર ખૂબ જ આધારિત હોય છે.
  • વિસ્તારને સંપૂર્ણ રીતે સૂકો રાખો.
  • ઉપરથી પડતા પાણીવાળી સિંચાઈ પદ્ધતિ રોગના વિકાસની તરફેણ કરે છે, તેથી તેનો ઉપયોગ ન કરો.
  • ઉપરથી પડતા પાણીની સિંચાઈ કરતા ટપક સિંચાઈથી વાદળી આવરણનું પ્રમાણ ઘટતું હોવાથી તે એક સારો વિકલ્પ છે.
  • છોડ વચ્ચે યોગ્ય અંતર જાળવો અને નાઇટ્રોજનયુક્ત ખાતરનો મર્યાદિત ઉપયોગ કરો કે જેનાથી વધુ પડતો વિકાસ થઈ શકે છે.
  • પ્રતિકારક્ષમ પ્રજાતિ માટે તપાસ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો