જામફળ

જામફળમાં ચાઠાંનો રોગ

Pestalotiopsis psidii

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફળો પર નાના, કથ્થઈ રંગના, કાટ જેવા સુકાયેલ વિસ્તારો.

માં પણ મળી શકે છે

1 પાક
જામફળ

જામફળ

લક્ષણો

આ રોગ સામાન્ય રીતે લીલા ફળો પર નિર્માણ થાય છે અને પાંદડા પર ભાગ્યે જ જોવા મળે છે. ફળો પર ચેપના પ્રારંભિક લક્ષણો તરીકે નાના કદના, કથ્થઈ રંગના, કાટ જેવા સુકાયેલ વિસ્તારો દેખાય છે. ચેપના અંતિમ તબક્કામાં, સુકાયેલ વિસ્તારનો બાહ્ય ભાગ ફાટે છે અને ખુલ્લો પડે છે. ચેપગ્રસ્ત ફળો અવિકસિત, કઠણ, વિકૃત રહે છે અને પછી ખરી પડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ફળને ઇજા થતી રોકવા માટે વાદળી જેવી જાળીદાર બેગનો ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા પ્રતિબંધક પગલાં સાથે ઉપલબ્ધ જૈવિક સારવારનો સંકલિત અભિગમનો ઉપયોગ કરવો. બોર્ડેક્સ મિશ્રણ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ના રક્ષણાત્મક છંટકાવ કરવાથી રોગના ફેલાવાને પૂરતા પ્રમાણમાં નિયંત્રિત કરી શકાય છે. પરાગાધાન પછી કુમળા ફળો પર ડાઇમેથોએટ જેવા પ્રણાલીગત જંતુનાશકોથી રક્ષણાત્મક સારવાર સારા પરિણામો દર્શાવે છે.

તે શાના કારણે થયું?

આ રોગ ફૂગને કારણે નિર્માણ થાય છે અને નિષ્ક્રિય પડી રહેલ ફૂગનો ભરાવો એ ચેપ માટેનું પ્રાથમિક સ્રોત છે. ફૂગનો ઝડપી હુમલો ફળને નુકસાન પહોંચાડે છે. પવનથી ફેલાતા ફુગના કણો, પાણીના ઝાપટાં, નજીકમાં રહેલ ચેપગ્રસ્ત છોડ, ડાઘ અને ચેપગ્રસ્ત પાંદડાઓના પરિવહન દ્વારા અન્ય રીતે ચેપ ફેલાઈ શકે છે. ખુબ જ ગીચ પાંદડાં અને હવાની અપૂરતી અવરજવર સાથે 20 થી 25° સે વચ્ચેના તાપમાને વાતાવરણમાં રહેલ વધુ પડતો ભેજ ફૂગનો વિકાસ વધારી શકે છે.


નિવારક પગલાં

  • રોગને ઘટાડવા માટે ઉનાળા દરમિયાન સિંચાઈ અને પોષકતત્વો માટે યોગ્ય વ્યવસ્થા કરો.
  • ફળો યોગ્ય કદના થાય ત્યારે તેને ઇજા ન પહોંચે એટલા માટે તેની પર વાદળી જેવી બેગ ચઢાવી દો.
  • રોગકારક જંતુ મુખ્યત્વે ઘા પર નભે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો