Phyllosticta ampelicida
ફૂગ
5 mins to read
પાંદડાં પર અનિયમિત રીતે ફેલાયેલ ટપકાં દેખાય છે, જે ઘેરા રંગની કિનારીથી ઘેરાયેલ હોય છે. આ ટપકાં ના લક્ષણો અંકુર, ડાળીઓ અને પર્ણદંડ પર પણ નિર્માણ થઇ શકે છે. જો પર્ણદંડને અસર થાય તો આખું પાંદડું સુકાઈ જશે. શરૂઆતમાં દ્રાક્ષ પર રાખોડી રંગની વિકૃતિ દેખાય છે, જે પછીથી લાલ-કથ્થાઈ અથવા જાંબલી ટપકાં દેખાય છે. ફળ વિકૃત થાય અને આખરે કરમાઈ અને સુકાઈને કાળા રંગના બને છે.
ફૂલ આવ્યા પછી તરત જ તમે બેસિલસ થરીરિએન્સિસનો છંટકાવ કરી શકો છો.
નિવારક પગલાં તરીકે રાસાયણિક સારવાર લાગુ કરવામાં આવે છે. મોર આવવા ના બે અઠવડીયા પેહલા કેપ્ટન + માયકોબ્યુટનિલ અથવા મેન્કોઝેબ + મેનકોબ્યુટનિલનો છંટકાવ શરૂ કરો. ફૂલો ખીલે તે પહેલાં કાર્બરીલ અથવા ઇમિડાક્લોપિડનો પણ ઉપયોગ કરી શકો છો. અને ફૂલ ખીલ્યા બાદ મેનકોઝબ + માયકોબ્યુટનિલ, ઇમિડાક્લોપ્રિડ અથવા એઝાડિરાચટીન નો ઉપયોગ કરવો. ફૂલ આવ્યાના દસ દિવસ પછી તમે વેલા પર કેપ્ટન અને સલ્ફરનું મિશ્રણ પણ લાગુ કરી શકો છો. ફૂલ આવ્યાના ત્રણથી ચાર અઠવાડિયા પછી મોટાભાગની દ્રાક્ષની જાતો ચેપને પ્રત્યે પ્રતીકરક્ષમ બની જાય છે, તેથી તે સમયે રસાયણનો છંટકાવ કરવાનું ટાળવું જોઈએ.
ફાયલોસ્ટીક્ટા એમ્પ્લોનિસીડા ફૂગના કારણે આ નુકસાન થાય છે. આ પરોપજીવી દ્રાક્ષના વેલા પરના અંકુર કે સુકાયેલ ફળમાં અને જમીનમાં ટકી રહે છે. રોગના કણ વરસાદ દ્વારા બહાર પડે છે અને ત્યારબાદ પવન દ્વારા ફેલાય છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને સતત 6 કલાક સુધી પાંદડા પરની ભીનાશ રોગના ફેલાવા માટે અનુકૂળ રહે છે. ફૂગ માટે ગરમ અને ભેજવાળું હવામાન સારું રહે છે. ફળની ઉપજમાં ઘટાડો થાય છે.