શેરડી

શેરડી ગોળાકાર ટપકાં

Epicoccum sorghinum

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં પર પાણી શોષાવાથી નિર્માણ થતાં ટપકાં દેખાય છે.
  • નાના, તાંબા જેવા કથ્થાઈ ધબ્બાઓ નિર્માણ થાય છે.
  • સુનિશ્ચિત લાલાશ પડતી કથ્થાઈ રંગની કિનારી સાથે ઘાસ જેવા રંગનું કેન્દ્ર.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

પ્રારંભિક લક્ષણો તરીકે પીળા રંગની કિનારીવાળા ઘેરા લીલા થી લાલાશ પડતાં કથ્થાઈ રંગના, નાના, વિસ્તરાયેલા, અંડાકાર ટપકાં દેખાય છે. જૂના લક્ષણો અનિયમિત રેખા અને લાલ કથ્થાઈ કિનારી સાથે, મોટા અને વિસ્તરેલ જખમની લાક્ષણિકતા ધરાવે છે. ટપકાં એકરૂપ થઈ મોટા પટ્ટાઓ રચે છે, જે પીળાશ અને સુકારામાં પરિણમી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ગોળાકાર ટપકાંની ગંભીરતા ઓછી કરવા માટીમાં બદલાવ કરવા માટે કેલ્શિયમ સિલિકેટ સ્લેગ નો ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આજ દિન સુધી આ રોગ સામે કોઈ રાસાયણિક નિયંત્રણની પદ્ધતિઓ વિકસાવવામાં આવી નથી.

તે શાના કારણે થયું?

એપીકોકમ શોરગીનમ ફૂગ ના કારણે નુકશાન થાય છે, અને તે પવન અથવા વરસાદ જન્ય ફૂગના બીજ દ્વારા ફેલાય છે. ફૂગને ગુણાન્વિત થવા માટે ગરમ, ભેજવાળી સ્થિતિ જરૂરી હોય છે. તે સામાન્ય રીતે, સૌથી જૂના પાંદડાને અસર કરે છે અને તેથી તેને ઓછા આર્થિક મહત્વ વાળો એક સામાન્ય રોગ તરીકે ગણવામાં આવે છે.


નિવારક પગલાં

  • ઓછા સંવેદનશીલ જાતો ઉગાડો.
  • કાટ અથવા સૂક્ષ્મ જીવાત પ્રત્યે ઊંચી સંવેદનશીલતા દર્શાવતા કોઈપણ જનન મિશ્રણને રદ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો