ભીંડો

ભીંડાના પાંદડાં પર ટપકાં

Pseudocercospora abelmoschi

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની નીચલા બાજુ પર રેસાવાળા કાળા રંગના કોણીય ટપકાં.
  • પાંદડા સુકાવા, કરમાવા અને ખરી પડવા.
  • થડ અને ફળને પણ અસર થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

ભીંડો

લક્ષણો

શરૂઆતમાં, પાંદડાની નીચેની બાજુએ ઓલિવ રંગના ટપકાં દેખાય છે. મોટાભાગે જમીનની નજીક રહેલા જૂના પાંદડા, રોગથી પ્રભાવિત થાય છે. અસરગ્રસ્ત પાંદડાની સપાટી પર આછા કથ્થઈ કે રાખોડી રંગની ફૂગ જોવા મળી શકે છે. રોગ જેમજેમ વધે તેમતેમ પાંદડા સુકા બની જાય છે અને તે પાંદડાની ઉપરની સપાટી પર પણ જોઈ શકાય છે ચેપગ્રસ્ત પાંદડા આખરે સુકાઈને ખરી પડે છે. થડ તથા ફળો પર પણ આવા જ લક્ષણો હોઇ શકે છે. જો વધારે માત્રામાં ચેપ લાગેલ હોય તો છોડ પરથી બધા જ પાંદડાં ખરી શકે છે. લક્ષણો સી. માલયીનસીસ ફૂગ જેવા જ લાગી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી, અમને આ રોગ સામે કોઈપણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ ખબર નથી. આ રોગ ઘટાડવા કે તેના લક્ષણો ઘટાડવા માટે તમે જો કોઇ સફળ પદ્ધતિ જાણતા હોવ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં અને જૈવિક સારવાર સાથે હંમેશાં એક સંકલિત અભિગમ પર વિચાર કરો. બપોરે પાંદડાઓની નીચલા બાજુ પર ફૂગનાશકનો છંટકાવ કરવો. વાવણીના એક મહિના બાદ કોપર ઓક્સિક્લોરાઇડ @ 0.3%, @ 0.25% મેન્કોઝેબ અથવા @ 0.2% ઝીનેબ નો રક્ષણાત્મક ફુગનાશક તરીકે છંટકાવ કરવો અને રોગની તીવ્રતાના આધારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. રોગનું નિયંત્રણ કરવા માટે 15 દિવસના અંતરાલએ 50 ડીએફ @ 0.1% કાર્બેન્ડાઝિમ ના ઉપયોગથી પણ આશાસ્પદ પરિણામો મળ્યા છે.

તે શાના કારણે થયું?

સ્યુડોસર્કોસ્પોરા એબેમોશિ ફુગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે જમીનમાં રહેલ ચેપરસ્ત છોડના કચરા પર નિષ્ક્રિય કાળમાં ટકી રહે છે અને આ રીતે ભીંડાના મૂળ અને નીચલા પાંદડાને ચેપ લગાડે છે. ત્યારબાદ રોગના કણો પવન, વરસાદ, સિંચાઇ અને યાંત્રિક સાધનો દ્વારા આગળ વધુ ફેલાય છે. ફૂગ માટે ગરમ અને ભેજવાળું હવામાન અનુકૂળ રહે છે તેથી ભેજવાળા મોસમ દરમિયાન(ફૂલ આવવાના તબક્કે) પાંદડાં પર ટપકાં જોવા મળવા ખૂબ જ સામાન્ય છે.


નિવારક પગલાં

  • ફક્ત પ્રમાણિત બિયારણનો જ ઉપયોગ કરો અને પાંદડાં પવનથી સુકાઈ શકે તે માટે તમારા પાકને પૂરતા અંતરે વાવો.
  • તમારા ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને ચેપગ્રસ્ત પાંદડાને યોગ્ય રીતે દૂર કરો (તેને બાળી નાખવા પણ એક વિકલ્પ છે).
  • નિંદણનું યોગ્ય રીતે સંચાલન કરવું પણ સલાહ ભરેલું છે.
  • છોડને પૂરતું પાણી અને ખાતર પૂરું પાડો.
  • સાંજ કરતાં સવારમાં સિંચાઈ કરો, અને ઉપરથી પડતાં પાણી યુક્ત સિંચાઇ અને પાણીનો યોગ્ય નિકાલ થઇ શકતો ન હોય તેવી જમીનનો ઉપયોગ કરવાનું ટાળો.
  • બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો