Cercospora malayensis
ફૂગ
શરૂઆતમાં, પાંદડાની નીચેની બાજુએ કથ્થઈ રંગના અનિયમિત આકારના ટપકાં દેખાય છે. મોટાભાગે જમીનની નજીક રહેલા જૂના પાંદડા રોગથી પ્રભાવિત થાય છે. રોગ જેમજેમ વધે તેમતેમ પાંદડા સુકા અને કથ્થઈ બની જાય છે અને ત્યારબાદ તે વળીને આખરે ખરી પણ શકે છે. ગંભીર ઉપદ્રવના કિસ્સામાં, છોડ પરથી પાંદડાં સંપૂર્ણપણે ખરી શકે છે. શરૂઆતમાં, નીચેની તરફ આવેલ પાંદડા પર ઓલિવ જેવા રંગના કણો તરીકે રોગના લક્ષણો સ્પષ્ટપણે દેખાય છે. પાછળથી, આખા પાંદડાં પર કથ્થઈ રંગની ફૂગથી પથરાઇ જાય છે. ગંભીર કિસ્સામાં, પાંદડાની ઉપરની સપાટી પર સુકાયેલ ટપકાં પણ જોઈ શકાય છે. ચેપગ્રસ્ત પાંદડા આખરે સુકાઈને ખરી પડે છે. આ રોગ નીચલા પાંદડા પરથી ઉપર તરફ આગળ વધે છે અને થડ તથા ફળોને ચેપ લગાડી, આવા જ લક્ષણો નિર્માણ કરે છે. પી. એબેલમોશિ ફૂગ જે કાળા રંગના કોણીય ટપકાં બનાવે છે, તેવું લાગી શકે છે.
આજ સુધી, અમને આ રોગ સામે કોઈપણ જૈવિક નિયંત્રણની પદ્ધતિ વિશે ખબર નથી. જો તમે ઘટનાઓ અથવા લક્ષણોની તીવ્રતાને ઘટાડવા માટે કોઈ સફળ પદ્ધતિ વિશે જાણતાં હોવ તો, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં અને જૈવિક સારવાર સાથે હંમેશાં એક સંકલિત અભિગમ પર વિચાર કરો. બપોરે પાંદડાઓની નીચલા બાજુ પર ફૂગનાશકનો છંટકાવ કરવો. વાવણીના એક મહિના બાદ કોપર ઓક્સિક્લોરાઇડ @ 0.3%, @ 0.25% મેન્કોઝેબ અથવા @ 0.2% ઝીનેબ નો રક્ષણાત્મક ફુગનાશક તરીકે છંટકાવ કરવો અને તેની તીવ્રતાના આધારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
સર્કોસ્પોરા મલયેન્સીસ અને સર્કોસ્પોરા એબેલોસ્ચી ફૂગ દ્વારા પાંદડાં પર ટપકાં નિર્માણ થાય છે. તે જમીનમાં રહેલ ચેપગ્રસ્ત છોડના કચરા પર નિષ્ક્રિય કાળમાં ટકી રહે છે અને આ રીતે ભીંડાના મૂળ અને નીચલા પાંદડાને ચેપ લગાડે છે. ત્યારબાદ રોગના કણો પવન, વરસાદ, સિંચાઇ અને યાંત્રિક સાધનો દ્વારા આગળ વધુ ફેલાય છે. ફૂગ માટે ગરમ અને ભેજવાળું હવામાન અનુકૂળ રહે છે, તેથી ભેજવાળા મોસમ દરમિયાન પાંદડાં પર ટપકાં જોવા મળવા ખૂબ જ સામાન્ય છે. વરસાદ અને વધુ ભેજ ના કારણે રોગના વિકાસ અને પાંદડા પર પરોપજીવીના વિકાસને અનુકૂળતા રહે છે.

Put your product in front of farmers the moment they diagnose ભીંડાના પાંદડાં પર સર્કોસ્પોરા ટપકાં — right when they need a solution.
Explore
Explore the live agronomic data that powers Plantix disease pages.
Discover