ફુલેવર

સફેદ પાવડર

Albugo candida

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર રહેલ આછા ટપકાં, ચમકદાર, ઉપસેલી, સફેદ ફોલ્લીઓમાં પરિણમે છે.
  • પાંદડાની નીચલી બાજુએ નાના પાવડર જેવા કણ જોવા મળે છે.
  • તે ડાળી અને ફૂલોને પણ અસર કરે છે.
  • ગંભીર રીતે અસર પામેલ છોડના ભાગો કરમાય છે અને નાશ પામી શકે છે.

માં પણ મળી શકે છે

2 પાક
કોબી
ફુલેવર

ફુલેવર

લક્ષણો

સફેદ પાવડર નો રોગ સ્થાનિક અથવા વ્યવસ્થિત એમ બંને રીતે છોડને સંક્રમિત કરી શકે છે. ચેપના પ્રકારને આધારિત લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. સ્થાનિક ચેપ ફોલ્લીઓ તરીકે દેખાય છે જે પ્રારંભિક તબક્કામાં પાંદડા, નાની દાંડી અને ફૂલોના નીચેના ભાગે જોવા મળે છે. ફોલ્લીઓ આશરે 1 થી 2 મીમી વ્યાસની અને રંગે સફેદ અથવા આછી પીળી હોય છે. જેમ જેમ લક્ષણો વધે છે, જ્યાં નીચે સફેદ ફોલ્લીઓ હોય ત્યાં પાંદડાંની ઉપરની સપાટી પર આછા લીલા કે પીળા રંગની વિકૃતિ જોવા મળે છે. પ્રણાલીગત ચેપના કિસ્સામાં, આ રોગ છોડની દરેક પેશીઓમાં વધે છે અને જેના કારણે અસાધારણ વિકાસ, અસરગ્રસ્ત છોડમાં વિકૃતિ અથવા ગુમડા થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

લીમડા, ડુંગળી અને લસણના છોડના અર્કનો ઉપયોગ કરો. નીલગિરીના તેલમાં વ્યાપક ફુગનાશક ગુણ હોય છે અને તેને પાંદડા અને ફળના મથાળે રોગ થયો હોય તે તબક્કામાં પણ રોગ સામે અસરકારક રહે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બીજની સારવાર માટે મેનકોઝબ અથવા મેટાલેક્સીલ અને મૅન્કોઝબની માત્રાનો ઉપયોગ કરો. જમીનમાં અને પછીથી પાંદડાંઓ પર પણ સારવાર લાગુ કરવી જોઈએ. સારવારનું પુનરાવર્તન પાકની ઋતુની લંબાઈ અને વરસાદની માત્રા મુજબ બદલાય છે. સમશીતોષ્ણ વાતાવરણમાં એક વાર માટીમાં અને પાકના સંપૂર્ણ ચક્ર દરમિયાન ઓછામાં ઓછા 1-2 વાર પાંદડાં પર અરજીઓ કરવા સૂચવવામાં આવે છે.

તે શાના કારણે થયું?

પાંદડાં પરના આ રોગ આલ્બુગો અથવા પસ્ટુલા ફૂગના કારણે થાય છે. કેટલાક છોડ, જેમ કે બ્રાસીકોસ, પર સફેદ ફોલ્લીઓ અને ફૂગ બંને એકસાથે થઈ શકે છે. ફોલ્લીઓમાં સફેદ પાવડર જેવા રોગના કણ હોય છે જે છુટા પડે ત્યારે પવન દ્વારા ફેલાય છે. આ સફેદ કણના અંકુરણ માટે 13 થી 25 ડિગ્રી સે. તાપમાન, પાંદડાંમાં ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક સુધી ભીનાશ, અને 90% થી વધુ સાપેક્ષ ભેજ, જમીનમાં વધુ પડતો ભેજ અને વારંવાર વરસાદ અનુકૂળ રહે છે. જમીનમાં અને નજીકમાં રહેલ બારમાસી નિંદણમાં રહેલ રોગના કણો પ્રાથમિક ચેપના ફેલાવાની સાબિતી છે. અન્ય ચેપ હવાજન્ય અને વરસાદના છાંટાવાળા કોનિડિયા (સ્પોરાંગિયા) અથવા સ્વતંત્ર ઝૂસ્પોર્સ (જંતુઓ) દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે અડીને આવેલા છોડને ચેપ લગાડે છે. તે કોબીજના પરિવારની ઘણી પ્રજાતિઓને અસર કરે છે. ઉપરાંત શાકભાજી, સુશોભનને લગતાં છોડ અને અસંખ્ય નીંદણને પણ અસર કરે છે. રોગના કણ જમીનમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી રહી શકે છે.


નિવારક પગલાં

  • રોગ-મુક્ત અને પ્રમાણિત બીજનું વાવેતર કરો અને જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતોનો ઉપયોગ કરો.
  • ઊંડી ખેડ અને વહેલા વાવણીની આદત રાખો.
  • ઓછા અંતરે વાવેલ છોડથી વધુ ભેજ અને ચેપને પ્રોત્સાહન મળે છે તેથી આમ કરવાનું ટાળો.
  • ચેપના જોખમને ઘટાડવા માટે ખેતી માટેની સ્વચ્છતા પદ્ધતિઓ અમલમાં મુકવાની ખાતરી કરો.
  • અસરગ્રસ્ત છોડના ભાગોને દૂર કરો, અને ગંભીરરીતે સંક્રમિત છોડની સામગ્રીને નાશ કરો.
  • નીંદણનું નિયંત્રણ અને અન્ય સ્વચ્છતાને લગતા પગલાંનો લેવા જોઈએ.
  • સામાન્ય રીતે દર ત્રણ વર્ષે અન્ય પ્રજાતિના છોડ સાથે પાકની ફેરબદલી અસરકારક રહે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો