કાબુલી ચણા અને દાળ

કાબુલી ચણાના મૂળમાં સૂકો સડો

Macrophomina phaseolina

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • જ્યારે પાક ભેજનો તણાવ અનુભવે ક્યારે મૂળમાં સૂકા સડાનું પ્રભુત્વ વધુ હોય છે.
  • અનુકૂળ પરિસ્થિતિમાં તે ઉપજને 50- 100% સુધી નુકસાન પહોંચાડી શકે છે.
  • રોગ પેદા કરતા જીવાણુ બીજ અને માટી-જન્ય એમ બંને પ્રકારના હોઈ શકે છે.
  • ફુલ આવ્યા પછીના તબક્કામાં લક્ષણો અપેક્ષિત છે: પર્ણદંડ અને પાંદડાનું પીળા પડવું અને કરમાવું.


કાબુલી ચણા અને દાળ

લક્ષણો

છુટાછવાયા સુકારા તરીકે કાબુલી ચણાના ખેતરમાં, રોગની શરૂઆતના લક્ષણો દેખાય છે. પાંદડાંનું પીળા પડવું અને સુકાઈ જવું એ રોગના પ્રારંભિક લક્ષણો છે. સામાન્ય રીતે, આ ચેપગ્રસ્ત પાંદડા એક કે બે દિવસમાં ખરી પડે છે અને આગામી બે કે ત્રણ દિવસમાં સમગ્ર છોડ નાશ પામે છે. સામાન્ય રીતે, અસરગ્રસ્ત છોડના પાંદડા અને થડ ઘાસ જેવા રંગના હોય છે જયારે , નીચલા પાંદડા અને થડ વિકૃત કથ્થઈ રંગના વિકસે છે. સૂકી જમીનમાં સોટી મૂળ કાળા અને તદ્દન બરડ હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જલીય અર્ક તેમજ લીમડાના તેલ, પાંદડાં, થડ, છાલ અને ફળનો ગર માટીજન્ય રોગ પેદા કરતા જીવાણુ એમ ફાસિયોલીનાની વૃદ્ધિ ને અટકાવે છે. શત્રુ પૂર્ણ રોગાણુ/ ટ્રાઇકોડર્મા વિરિડી અને ટ્રાઇકોડર્મા હરઝિનમ જેવા જૈવિક નિયંત્રકો રોગના બનાવો ઘટાડવામાં મદદરૂપ બને છે. ટી હરઝિનમ + પી ફ્લોરોસીન (બંને @ 5ગ્રા/ કિલો બીજ) ના મિશ્રણ થી બીજની સારવાર માટે લાગુ કરવું અને પછી વાવેતરના તબક્કે માટીમાં ટી હરઝિનમ + પી ફ્લોરોસીનથી @ 2.5કિગ્રા/ 250કિગ્રા ખેતરમાંના ખાતર (એફવાયએમ) થી સારવાર કરવી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. એમ. ફાસિયોલીના ઘણા જ વ્યાપક યજમાન ધરાવે છે અને લાંબા સમય સુધી માટીમાં અસ્તિત્વ ધરાવે છે, તેથી મૂળમાં સૂકા સડા માટે કોઈ રાસાયણિક સારવાર અસરકારક નથી. કાબુલી ચણાના પાકને નુકશાન થતું અટકાવવા, બીજની ફુગનાશકથી સારવાર અમુક અંશે અસરકારક હોય છે, જે ખાસકરીને બીજના તબક્કે સંવેદનશીલ હોય. બીજને કારીબેંડેઝીમ અને મેન્કોઝેબ થી સારવાર અને ત્યારબાદ તેનાથી માટીને ભીંજવવાથી રોગના બનાવોમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઇ શકે છે.

તે શાના કારણે થયું?

તે માટી જન્ય રોગ છે જે માટી જન્ય ફુગના રેસા અથવા મેક્રોફોમીના ફાસિયોલીના ફૂગના કણો દ્વારા શરૂ થાય છે. લક્ષણો અચાનક દેખાય છે. જ્યારે આસપાસનું તાપમાન 30- 35° સે વચ્ચે હોય છે ત્યારે અચાનક લક્ષણો દેખાય છે. સામાન્યરીતે ઉષ્ણકટિબંધીય ભેજવાળા વિસ્તારોમાં તાપમાનમાં વધારો અને વારંવાર વધુ ભેજવાળા તણાવથી ફુગ વધુ તીવ્ર બને છે. સામાન્ય રીતે રોગ ફૂલ અને શીંગ આવવાના અંતિમ તબક્કામાં દેખાય છે, અને તેનાથી છોડ સંપૂર્ણપણે સૂકાયેલ દેખાય છે. યજમાન પાકની ગેરહાજરીમાં, તે જમીનમાં ઉપલબ્ધ મૃત કાર્બનિક પદાર્થો પર સ્પર્ધાત્મક મૃતોપજીવી તરીકે અસ્તિત્વ ધરાવે છે. અનુકૂળ પરિસ્થિતિ હેઠળ એમ. ફાસિયોલીના ઉપજને 59-100% સુધી નુકશાન પહોંચાડી શકે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, સહનશીલ જાતો પસંદ કરો.
  • પરિપક્વતા દરમિયાન ઊંચુ તાપમાન ટાળવા માટે, વહેલા પાકતી જાતોનું વાવેતર કરો, તેનાથી ચેપ ઘટે છે.
  • રોગના લક્ષણો માટે નિયમિતપણે ખેતરનું નિરીક્ષણ કરો.
  • જમીનમાં ભેજનું સારું પ્રમાણ જાળવો.
  • ઊંડી ખેડ કરી જમીનમાંથી પાકનો ચેપગ્રસ્ત કચરો દૂર કરો અને તેનો નાશ કરો.
  • લણણી પછી, જમીનને જંતુમુક્ત કરવા તેને સૂર્યના તડકામાં પડતર રાખી મુકો.
  • ટેકરાવાળી ક્યારીમાં તમારા પાકની ખેતી કરો અને વાવણી પહેલાં ચાસ બનાવો.
  • ઉદાહરણ તરીકે, જુવાર અથવા મેથી જેવા બિન-યજમાન પાક સાથે 3-વર્ષ માટે પાકની ફેરબદલીની યોજના કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો