Macrophomina phaseolina
ફૂગ
5 mins to read
છુટાછવાયા સુકારા તરીકે કાબુલી ચણાના ખેતરમાં, રોગની શરૂઆતના લક્ષણો દેખાય છે. પાંદડાંનું પીળા પડવું અને સુકાઈ જવું એ રોગના પ્રારંભિક લક્ષણો છે. સામાન્ય રીતે, આ ચેપગ્રસ્ત પાંદડા એક કે બે દિવસમાં ખરી પડે છે અને આગામી બે કે ત્રણ દિવસમાં સમગ્ર છોડ નાશ પામે છે. સામાન્ય રીતે, અસરગ્રસ્ત છોડના પાંદડા અને થડ ઘાસ જેવા રંગના હોય છે જયારે , નીચલા પાંદડા અને થડ વિકૃત કથ્થઈ રંગના વિકસે છે. સૂકી જમીનમાં સોટી મૂળ કાળા અને તદ્દન બરડ હોય છે.
જલીય અર્ક તેમજ લીમડાના તેલ, પાંદડાં, થડ, છાલ અને ફળનો ગર માટીજન્ય રોગ પેદા કરતા જીવાણુ એમ ફાસિયોલીનાની વૃદ્ધિ ને અટકાવે છે. શત્રુ પૂર્ણ રોગાણુ/ ટ્રાઇકોડર્મા વિરિડી અને ટ્રાઇકોડર્મા હરઝિનમ જેવા જૈવિક નિયંત્રકો રોગના બનાવો ઘટાડવામાં મદદરૂપ બને છે. ટી હરઝિનમ + પી ફ્લોરોસીન (બંને @ 5ગ્રા/ કિલો બીજ) ના મિશ્રણ થી બીજની સારવાર માટે લાગુ કરવું અને પછી વાવેતરના તબક્કે માટીમાં ટી હરઝિનમ + પી ફ્લોરોસીનથી @ 2.5કિગ્રા/ 250કિગ્રા ખેતરમાંના ખાતર (એફવાયએમ) થી સારવાર કરવી.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. એમ. ફાસિયોલીના ઘણા જ વ્યાપક યજમાન ધરાવે છે અને લાંબા સમય સુધી માટીમાં અસ્તિત્વ ધરાવે છે, તેથી મૂળમાં સૂકા સડા માટે કોઈ રાસાયણિક સારવાર અસરકારક નથી. કાબુલી ચણાના પાકને નુકશાન થતું અટકાવવા, બીજની ફુગનાશકથી સારવાર અમુક અંશે અસરકારક હોય છે, જે ખાસકરીને બીજના તબક્કે સંવેદનશીલ હોય. બીજને કારીબેંડેઝીમ અને મેન્કોઝેબ થી સારવાર અને ત્યારબાદ તેનાથી માટીને ભીંજવવાથી રોગના બનાવોમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઇ શકે છે.
તે માટી જન્ય રોગ છે જે માટી જન્ય ફુગના રેસા અથવા મેક્રોફોમીના ફાસિયોલીના ફૂગના કણો દ્વારા શરૂ થાય છે. લક્ષણો અચાનક દેખાય છે. જ્યારે આસપાસનું તાપમાન 30- 35° સે વચ્ચે હોય છે ત્યારે અચાનક લક્ષણો દેખાય છે. સામાન્યરીતે ઉષ્ણકટિબંધીય ભેજવાળા વિસ્તારોમાં તાપમાનમાં વધારો અને વારંવાર વધુ ભેજવાળા તણાવથી ફુગ વધુ તીવ્ર બને છે. સામાન્ય રીતે રોગ ફૂલ અને શીંગ આવવાના અંતિમ તબક્કામાં દેખાય છે, અને તેનાથી છોડ સંપૂર્ણપણે સૂકાયેલ દેખાય છે. યજમાન પાકની ગેરહાજરીમાં, તે જમીનમાં ઉપલબ્ધ મૃત કાર્બનિક પદાર્થો પર સ્પર્ધાત્મક મૃતોપજીવી તરીકે અસ્તિત્વ ધરાવે છે. અનુકૂળ પરિસ્થિતિ હેઠળ એમ. ફાસિયોલીના ઉપજને 59-100% સુધી નુકશાન પહોંચાડી શકે છે.