સોયાબીનના થડમાં કથ્થાઈ સડો

સોયાબીન

સોયાબીનના થડમાં કથ્થાઈ સડો

Cadophora gregata

ફૂગ

ટૂંકમાં

  • વહન કરતી અને ગરની પેશીઓનો રંગ કથ્થાઈ માંથી લાલાશ પડતો કથ્થાઈ રંગમાં બદલાય છે.
  • મોસમની શરૂઆતમાં મૂળને ચેપ લાગે છે.
  • 17 અને 27 સે ની વચ્ચે લક્ષણો વધુ ખરાબ બને છે.

માં પણ મળી શકે છે


સોયાબીનના થડમાં કથ્થાઈ સડો

સોયાબીન

લક્ષણો

ફાયલોફોરા ગ્રેગેટા, એક ફૂગ કે જે સોયાબીનના અવશેષોમાં અસ્તિત્વ ધરાવે છે તેના કારણે લક્ષણો નિર્માણ થાય છે. સિઝનની શરૂઆતમાં રોગ પેદા કરતા જીવાણુ સોયાબીનના મૂળમાં ચેપ લગાડે છે, પરંતુ શીંગો આવે નહિ ત્યાં સુધી છોડ લક્ષણો દર્શાવતો નથી. સામાન્ય રીતે, નાડી નો કથ્થાઈ રંગ પાંદડામાં પીળાશ અને ક્લોરોસિસ સાથે જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં, માત્ર આંતરિક વાહિની કથ્થાઈ બને છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ડાળીમાં કથ્થાઈ સડાનું જોખમ ઘટાડવા માટે જમીનની પીએચ 7 જાળવી રાખો.

રાસાયણિક નિયંત્રણ

ફુગનાશકનો પાંદડાં પર છંટકાવ એ થડમાં કથ્થાઈ સડા પર કોઈ અસર કરતુ નથી. વધુમાં, બીજની સારવાર માટે ફુગનાશકનો ઉપયોગ પણ પૂરતો રહેશે નહિ કારણકે સામગ્રી દૂર કર્યા બાદ ફક્ત બીજને રક્ષણ આપવાથી ચેપમાં અંકુશ રાખી શકતો નથી.

તે શાના કારણે થયું?

ડાળીમાં કથ્થાઈ સડોનો રોગ પેદા કરતા જીવાણુ સોયાબીનના અવશેષોમાં અસ્તિત્વ ધરાવે છે કે જેમણે અગાઉ પરોપજીવી તબક્કામાં વસાહતો બનાવી હોય છે. રોગની ગંભીરતા વાતાવરણ, માટી અને પાકની વ્યવસ્થા પ્રણાલી પર આધાર રાખે છે. જયારે તાપમાન 60 અને 80 ફે. વચ્ચે હોય ત્યારે થડ અને પાંદડાંમાં લક્ષણો સૌથી ગંભીર હોય છે


નિવારક પગલાં

  • પાકની ફેરબદલી, ખાસ કરીને 2 થી 3 વર્ષ સુધી બિન-યજમાન પાક અજમાવો, સોયાબીન વચ્ચે યોગ્ય અંતર રાખવું, જેવી શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓ અપનાવવી.
  • અન્ય અભિગમમાં વિવિધ જાતોની પસંદગી અને ખેડ પધ્ધતિ પણ અસરકારક સાબિત બને છે.
  • જયારે રોગનો ઉચ્ચ અસર અપેક્ષિત હોય ત્યારે સોયાબીનની રોગ-પ્રતિરોધક અને સંવર્ધિત જાતો નો ઉપયોગ કરવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો