મકાઈ

મકાઇના સાંઠામાં સડો

Gibberella fujikuroi

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • નબળા સાંઠા.
  • સાંઠા પર નાના, કાળા રંગની ફુગનું માળખુ.
  • ડૂંડામાં વિકૃતિકરણ.
  • અટકેલો વિકાસ.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

પર્યાવરણીય સ્થિતિ અને રોગની ગંભીરતાને આધારે લક્ષણો અલગ અલગ હોય છે. ચેપગ્રસ્ત છોડને તેની અસામાન્ય ઊંચાઈ, વધુ વિસ્તરેલ અથવા અટકેલ, અને પીળાશ પડતા દેખાવના કારણે સહેલાયથી શોધી શકાય છે. બીજ ઈજાઓ, સડો અને વિકૃતિ દર્શાવે છે. થડ તેની છાલમાં વિકૃતિ, ભીંગડા સાથેની વૃદ્ધિ, અટકેલો વિકાસ અથવા વિકૃતિકરણ દર્શાવે છે. પાંદડાઓ અસામાન્ય રંગ અને ફૂગનો વિકાસ દર્શાવે છે. ડૂંડામાં કાળા અથવા કથ્થઈ રંગના જખ્મ, ભીંગડાં અને સડો દેખાય છે. સમગ્ર છોડ નબળો પડે છે અને વહેલું ઘડપણ અને બીજમાં ફૂગ દેખાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

રોગ પેદા કરતા જીવાણુનો ફેલાવો કરતાં જંતુઓનું નિયંત્રણ કરવા લીમડાના અર્કનો છંટકાવ કરો. રોગ પેદા કરતા જીવાણુને અટકાવવા ટ્રાઇકોડર્મા એસપીપી જેવા જૈવિક નિયંત્રકો વાપરવા. સાંઠામાં સડાને નિયંત્રિત કરવા સ્યુડોમોનાસ ફ્લેયુરોસેન્સ પણ અસરકારક રહે છે. દર્શાવેલ બંને ઘટકો બીજ તેમજ માટીની સારવાર માટે વાપરી શકાય છે. 250 કિગ્રા એફ વાય એમ સાથે મજબૂતી આપો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાવેતર કરતા પહેલાં તમારા બીજને 50% મેન્કોઝેબના અને 25% કારીબેંડેઝીમ ના દ્રાવણ સાથે સારવાર આપો.

તે શાના કારણે થયું?

ભૂમીજન્ય ફૂગ ગિબેરેલા ફુજીકુરોઈના કારણે રોગ નિર્માણ થાય છે. રોગ પેદા કરતા જીવાણુ પવન અને વરસાદ દ્વારા ફેલાઈને અને જખમો દ્વારા મકાઈના ડૂંડાંમાં દાખલ થાય છે. બીજના અંકુરણ સમયથી જ છોડને અસર થયેલ હોય છે પરંતુ તેના લક્ષણો અંતિમ ચરણમાં જ દૃશ્યમાન થાય છે. તે બીજ, પાકના અવશેષો અથવા ઘાસ જેવા વૈકલ્પિક યજમાન પર અસ્તિત્વ ધરાવે છે. તે મકાઈના રેસા, મૂળ અને સાંઠામાં રોગના બીજકણના ચેપ દ્વારા ફેલાય છે. તે મુખ્યત્વે જંતુઓના ખોરાક લેવાના કારણે ડૂંડા પર નિર્માણ થયેલ ઘાવ મારફતે તેમાં દાખલ થાય છે. તે પ્રવેશ બિંદુએથી દાણામાં વસાહતો બનાવે છે અને તેને ચેપ લગાડે છે. વૈકલ્પિક રીતે, તે છોડમાં મૂળથી શરુ કરી વસાહતો બનાવે છે અને પછી વિકાસ પામી અને પ્રણાલીગત રીતે છોડમાં ઉપર તરફ ફેલાય છે. ઘણી પર્યાવરણીય (તણાવ) પરિસ્થિતિ હેઠળ ચેપનો વિકાસ થાય છે, પરંતુ લક્ષણો ખાસ કરીને જયારે હવામાન ગરમ (26-28 ° સે) અને ભેજવાળું તથા છોડ ફૂલ આવવાના તબક્કે પહોંચી ગયો હોય ત્યારે વધુ તીવ્ર બની જાય છે.


નિવારક પગલાં

  • રોગમુક્ત બીજ અને એસસી 637 જેવી સહનશીલ જાતોની વાવણી કરવી.
  • મકાઈના છોડમાં એકંદર તણાવ ઘટાડીને તંદુરસ્ત અને મજબૂત સાંઠાનો વિકાસ થાય તેની ખાતરી કરો.
  • સાંઠામાં સડો થવાના રોગનો ઇતિયાસ ધરાવતા ખેતરમાં 70-90 સે.મી.
  • ચાસ વચ્ચેનું અંતર અને 30-50 સે.મી.
  • છોડ વચ્ચેના અંતર સાથે ખેતરમાં એકર દીઠ 28,000 કે 32,000 છોડોનું વાવેતર કરો.
  • સાવચેટી પૂર્ણ સિંચાઇ, નીંદણનું નિયંત્રણ અને જમીનમાં પર્યાપ્ત પોષકતત્વોનું સ્તર જાળવી રાખો.
  • છોડનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો અને વિકાસ ના છેલ્લા તબક્કે અનાજના દાણાની સપાટી સફેદ છટાઓ, કુમળા પાંદડાંનું પીળા પડવું તથા ફૂલના તબક્કે કરમાશ અને અસરગ્રસ્ત સાંઠાનું લાલાશ પડતાં કથ્થાઈ રંગ માટે ધ્યાન રાખવું.
  • સાંઠામાં કાણાપાડનાર જંતુની વસ્તી નું નિરીક્ષણ કરો કારણકે તે રોગ નિર્માણ કરતાં જીવાણુનો ફેલાવો કરે છે.
  • છોડની વૃદ્ધિના અંતિમ તબક્કે પર્યાપ્ત ખાતર આપવાની ખાતરી કરો.
  • ચેપગ્રસ્ત છોડને દૂર કરો અને તેને દફનાવી દો.
  • ચેપગ્રસ્ત પાકના કચરાને દફનાવવા માટે માટીની ખેડ કરો.
  • સંગ્રહની જગ્યાને સંપૂર્ણપણે સ્વરછ કરો.
  • સંગ્રહ કરતા પહેલા અનાજના દાણામાં ભેજનું પ્રમાણ 15% કે તેથી નીચે લાવવા તેને તપાવો.
  • અનાજનો ઓછા ભેજ અને તાપમાને દુસંગ્રહ કરવો.
  • બીન અને સોયાબીન જેવા કઠોળ ના પાક સાથે ત્રણ વર્ષ માટે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો