ઘઉં

પાંદડા પર અલ્ટરનેરીયા ફૂગ

Alternaria triticina

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • જ્યારે ઘઉંના છોડ 7-8 અઠવાડિયાનાં થાય છે ત્યારે તેમાં રોગ દેખાય છે.
  • જ્યારે તે પાકે છે ત્યારે રોગ ગંભીર બની જાય છે.
  • પાંદડા પર નાના, અંડાકાર, રંગવિહીન જખમ અનિયમિત રીતે ફેલાયેલા જોઈ શકાય છે.
  • જેમ જેમ જખમ મોટા થાય છે તે ઘેરા કથ્થઈથી રાખોડી રંગના થાય છે અને અનિયમિત આકારના થઈ જાય છે.
  • છેવટે પાંદડા સુકાઈ જાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

ઘઉં

લક્ષણો

યુવાન છોડ રોગ પેદા કરતા જીવાણુના પ્રતિકારક છે. હંમેશા સૌથી નીચેના પાંદડામાં પ્રથમ ચેપના સંકેતો દેખાય છે, જે ધીમે ધીમે ઉપરના પાંદડા પર ફેલાય છે.ચેપની શરૂઆત નાના, અંડાકાર, મૃત જખમથી થાય છે જે અનિયમિત રીતે સૌથી નીચેના પાંદડા પર પથરાયેલા હોય છે, ધીમે ધીમે ઉપરના પાંદડા પર ફેલાય છે. સમય જતાં, જખમ મોટા થાય છે, અનિયમિત આકારના થાય છે અને ઘાટા કથ્થઈ અથવા રાખોડી સુકાઈ ગયેલા જખમમાં વિકસે છે. જખમ તેજસ્વી પીળી કિનારીવાળા હોઈ શકે છે અને તેનો વ્યાસ 1 સેમી અથવા તેથી વધુ પણ હોઈ શકે છે. ભેજવાળા વાતાવરણ દરમિયાન, જખમ પર કાળા પાવડરી કણોનું આવરણ થઈ શકે છે. રોગના અંતિમ ચરણના સમયે, જખમ ભેગા થઇ સમગ્ર પાંદડાંનો નાશ કરી શકે છે. ગંભીર ચેપના કિસ્સાઓમાં, પાંદડાંનું આવરણ, ઘઉંના ડૂંડા અને પર્ણ દંડ ને પણ અસર થાય છે અને તે બળેલો દેખાવ ધરાવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

બીજજન્ય ચેપને નિયંત્રિત કરવા માટે બીજની વીતાવેક્સ @ 2.5 /કિલો બીજ સાથે સારવાર કરી શકાય છે. ટ્રાઇકોડર્મા વિરિડી અને વીતાવેક્સ નું મિશ્રણ અસરકારક રીતે ચેપનો વધુ ફેલાવો (98.4% સુધી) અટકાવે છે. પ્રથમ અને બીજા છંટકાવમાં યુરિયાને @ 2 - 3% ઝીનેબ સાથે મિશ્રણ કરવું. લીમડાના પાંદડાંનો પાણીમાં બનાવેલ અર્ક લાગુ કરવો. બીજજન્ય ચેપ ઓછો કરવા ફૂગનાશક અને ગરમ પાણીથી સારવારનો ઉપયોગ કરવામાં આવે છે. રોગને વધુ ફેલાતો અટકાવવા માટે ટ્રાઇકોડર્મા વિરિડી (2%) અને ટી હરઝીયાનમ (2%), એસ્પેરેગિલ્સ હ્યુમિકોલા અને બેસિલસ સબટાઇટલિસ જેવા જીવાણુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. રોગની ગંભીરતામાં 75% ઘટાડો અને વધુ પાકની ઉપજ સાથે એ ટ્રીટીસીના ને ફુગનાશક સાથે સારવાર કરવાથી નિયંત્રિત કરી શકાય છે. મેન્કોઝેબ, ઝીરામ, ઝીનેબ (0.2%), થિરામ, ફાયટોલેન, પ્રોપીનેબ, ક્લોરોથેલોનીલ અને નેબામ, પ્રોપિકોનેઝોલ (0.15%), ટેબ્યુકોનેઝોલ અને હેક્સાકોનેઝોલ(0.5%) ને ફુગનાશક તરીકે લાગુ કરી શકાય છે. મેન્કોઝેબ સામે રોગની સહનશીલતાનો વિકાસ થતો અટકાવવા માટે ફુગનાશકનાં સંયોજનનો ઉપયોગ કરવો જોઈએ.

તે શાના કારણે થયું?

અલ્ટરનેરીયા triticinaના ફુગના કારણે નુકસાન થાય છે. ચેપ બંને ભૂમિજન્ય અને બીજજન્ય હોય શકે છે અને તે પવન દ્વારા ફેલાઈ શકે છે. દૂષિત બીજ તંદુરસ્ત કરતા નાના હોઇ શકે છે અને ઘણી વખત કથ્થઈ રંગની વિકૃતિ સાથે, ચીમળાયેલ હોય છે. જ્યારે છોડને ચેપગ્રસ્ત જમીનમાં વાવવામાં આવે અથવા તે ચેપગ્રસ્ત પાકના અવશેષોના (દા.ત., વરસાદના છાટાં અથવા સીધા સંપર્ક દ્વારા) સંપર્કમાં આવે ત્યારે તેને અસર થાય છે. ફૂગ ઉનાળા દરમિયાન પાકના કચરામાં જમીનથી ઉપર બે મહિના માટે, પરંતુ દફનાવેલ કચરામાં ચાર મહિના સુધી અસ્તિત્વ ધરાવે છે. છોડની ઉંમર સાથે સંવેદનશીલતામાં વધારો થાય છે કારણ કે એ ટ્રીટીસીના કુમળા ઘઉંના રોપાઓ જેની ઉંમર આશરે ચાર અઠવાડિયાની છે તેને સંક્રમિત કરવા માટે અસમર્થ છે. છોડ જ્યાં સુધી સાત અઠવાડિયાનો ન થાય ત્યાં સુધી સામાન્ય રીતે લક્ષણો સ્પષ્ટ થતાં નથી. ચેપ અને રોગના વિકાસ માટે 20° સે - 25° સે વચ્ચેનું તાપમાન શ્રેષ્ઠ છે. ગંભીર પરિસ્થિતિમાં, ઉપજને 80% સુધી નુકસાન થઇ શકે છે.


નિવારક પગલાં

  • ઓછી સંવેદનશીલ જાતો તેમજ પ્રમાણિત સ્રોતોમાંથી આવતાં તંદુરસ્ત બીજ વાપરો.
  • સ્વછતાના શ્રેષ્ઠ માપદંડોનું ધ્યાન રાખો.
  • દૂષિત પાકોની ખેડ કરીને તેને સળગાવીને તેનો નાશ કરો.
  • આ દૂષિત પાકના અવશેષો મારફતે રોગ પેદા કરતા રોગાણુઓને હવા દ્વારા ફેલાતા અટકાવશે.
  • ચેપગ્રસ્ત પાકનો નાશ કરવા માટે વનસ્પતિનાશકોનો ઉપયોગ કરી શકાય છે.
  • ઉપદ્રવિત ખેતરોમાં ઓછામાં ઓછા બે વર્ષ માટે ફરી વાવણી કરવી જોઈએ નહી.
  • નિકાલનાં સાધનો, ચેપગ્રસ્ત છોડની સામગ્રી અથવા માટીનો વરાળ દ્વારા, ઉચ્ચ તાપમાને ભસ્મીકરણ કરીને અથવા ઊંડા દાટીને નિકાલ કરવો જોઈએ.
  • નિકાલ માટે જગ્યા પરથી કાઢી નાખેલ કોઈપણ સાધનો બેવળી રીતે બાંધેલા હોવા જોઇએ.
  • ભવિષ્યમાં ચેપને ઉત્તેજિત કરતા રોગાણુનું અસ્તિત્વ અને પ્રાથમિક ચેપને ઘટાડવા માટે લણણી પછી પાકના અવશેષો ને ઊંડા દાટી દેવા.
  • પવનની પ્રવર્તમાન દિશાને સમાંતર ચાસમાં વાવેતર કરી , છોડની વસ્તી ઘટાડી અને બે ચાસ વચ્ચે વિશાળ અંતર રાખી વાવણી કરી પાકની અંદર હવાની અવરજવરને પ્રોત્સાહન આપો.
  • જો શક્ય હોય તો સાંજના સમયે અને ઉપરથી સિંચાઈ કરવાનું ટાળો, જેથી પાંદડા પરની ભીનાશનો સમયગાળો ઘટાડી શકાય.
  • જરૂર પૂરતું જ ખાતર નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો