ટામેટા

દાંડી પર ફુસેરિયમ સડો

Fusarium solani

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • નસો સાફ થાય છે.
  • પાંદડા હરિતદ્રવ્ય રહિત થાય છે.
  • રસ લઈ જનારી નડીઓ કથ્થઈ બને છે.
  • અટકેલા વિકાસ.

માં પણ મળી શકે છે


ટામેટા

લક્ષણો

નસો સાફ થવી અને પાંદડા હરિતદ્રવ્ય રહિત થવા એ રોગના પ્રારંભિક લક્ષણો છે. યુવાન છોડમાં લક્ષણોમાં નસો સાફ થયા બાદ પાંદડાંના ડીટાં નીચેની તરફ વળી જાય છે. પહેલા નીચેના પાંદડાંઓમાં પીળાશ દેખાય છે. આ પાંદડીઓ કરમાઈ જાય છે અને છેવટે મૃત્યુ પામે છે, અને જોડેના પાંદડામાં લક્ષણો ફેલાય છે. અંતિમ તબક્કે, રસ લઈ જનારી નડીઓ કથ્થઈ બને છે. નીચલા પાંદડાં અને પાછળથી છોડના તમામ પાંદડા ખરી પડે છે. છોડનો વિકાસ અટકે છે અને મૃત્યુ પામે છે. દાંડી પર સામાન્ય રીતે ગાંઠો અને ઈજાગ્રસ્ત સ્થળો પર નરમ, ઘેરો બદામી કે કાળી ઉધઈ દેખાય છે,જે દાંડીને ઘેરી લે. આ જખમ આછા નારંગી રંગના, ખૂબ નાના, બાટલી આકારના ફૂગ ના (ફેરીથેસિયા) ફળ માળખાં વિકસાવે છે. છોડ પર સફેદ - રૂ જેવા ફૂગના વિકાસની રચના કરી શકે છે. જયારે મૂળ ચેપગ્રસ્ત થાય છે ત્યારે તે ઘેરા બદામી, નરમ અને પાણી શોષાયેલ થઈ જાય છે. મરીના ફળો ના ડીંટા ની શરૂઆતમાં કાળા, પાણી શોષાયેલ જખમ વિકાસ પામે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કેટલાક પાકોમાં ફ્યુસિરિયમને નિયંત્રિત કરવા માટે બેક્ટેરિયા અને એફ ઓકસિપોરમ નો રોગનાશક અર્ક કે જે જીવાણુઓ સાથે સ્પર્ધા કરી શકે છે તેવા વિવિધ જૈવિક નિયંત્રણ એજન્ટોનો ઉપયોગ કરી શકાય છે. ટ્રાઇકોડર્મા વિરિડી @ 1% WP અથવા @ 5% એસસી ને બીજ (10g / કિલો બીજ)ની સારવાર માટે વાપરી શકાય છે. બેસિલસ સબટાઇટલિસ પર આધારિત અન્ય ઉત્પાદનો, સ્યુડોમોનાસ ફ્લોરેસેંસ પણ અસરકારક છે. ટ્રાઇકોડર્મા હરઝીયાનમ જમીનમાં લાગુ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો અન્ય કોઈ ઉપાય વધુ અસરકારક ન હોય તો, ચેપગ્રસ્ત વિસ્તારમાં માટી-આધારિત ફુગનાશક વાપરી શકાય છે. રોપણી / પ્રત્યારોપણ પહેલાં જમીનને કોપર ઓક્સીકલોરાયડ @ 3G / L પાણી સાથે ભીંજવવું અસરકારક છે. રોગ ફેલાતો અટકાવવા માટે કારીબેંડેઝીમ, ફિંપ્રોનીલ, ફ્લુકલોરાલીન પર આધારિત અન્ય ઉત્પાદનો પણ લાગુ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ફુસિરિયમ સોલાની એક ફૂગ છે કે જે છોડની પરિવહન કરતી પેશીમાં વિકાસ પામે છે, અને છોડમાં પાણી અને પોષક તત્વોના પુરવઠા પર અસર કરે છે. છોડને તેના મૂળની ટોચ અથવા મૂળમાં ઘાવ મારફતે સીધો ચેપ લાગી શકે છે. એકવાર રોગ પેદા કરતા જીવાણુ લાગ્યા બાદ, તે ઘણા વર્ષો સુધી સક્રિય રહે છે કારણ કે તે ઠંડી દરમ્યાન ટકી શકે તેવા બીજનું નિર્માણ કરે છે. માટી જન્ય રોગો જમીનમાં ટકી રહે છે અને બીજ, જમીન, પાણી, રોપા, કામદારો, સિંચાઇના પાણી અને પવન દ્વારા(ચેપગ્રસ્ત છોડના કાટમાળનું વાહન કરી) ફેલાય છે. ફૂગ એક ગંભીર રોગ છે જે એવું તત્વ પેદા કરે છે જે વિવિધ યજમાનોને અસર કરે છે. જો રોગ ફૂલો આવવાના તબક્કે થાય, તો ઉપજને ગંભીર નુકશાન કરી શકે છે. થડમાંની ઉધઈ પાણીનો ઉપર તરફનો પ્રવાહ અટકાવે છે, જેનથી છોડ કરમાય છે અને આખરે તેનો નાશ થાય છે. ફુસિરિયમ સોલાની નાશ પામેલ અથવા નાશ પામતા છોડની પેશીઓમાં વસાહત બનાવે છે અને રાત્રિ દરમ્યાન સક્રિય રીતે રોગના બીજ બહાર કાઢે છે. જમીનમાં પ્રમાણ કરતાં ઊંચો ભેજ અને તાપમાન ફુગના વિકાસ માટે સાનુકૂળ સ્થિતિ છે. પાણીના નિકાલ માટેની નબળી વ્યવસ્થા અથવા વધુ પડતી પિયતથી રોગ ફેલાવો વધે છે.


નિવારક પગલાં

  • ઉપલબ્ધ પ્રતિકારક જાતો જેમકે ફુલે જ્યોતિ અને ફુલે મુક્તા જેવા માત્ર તંદુરસ્ત છોડનું વાવેતર કરો.
  • કરમાશ અથવા દાંડીમાં જખમ જેવા લક્ષણો માટે, છોડની ચકાસણી કરો.
  • અસરગ્રસ્ત છોડને કાળજીપૂર્વક ચૂંટી લો અને દૂર કરો.
  • તેમને ખાલી જગ્યાએ જમીન માં દાટી દો અથવા સળગાવીને તેનો નાશ કરો.
  • ખાસ કરીને જ્યારે વિવિધ ખેતરોમાં કામ કરતા હોવ ત્યારે તમારા સાધન સામગ્રી સ્વચ્છ રાખો.
  • ખેતરમાં કામ દરમિયાન વનસ્પતિઓને નુકસાન ટાળો.
  • પાકની સારી સ્વચ્છતા અને કાપણી દ્વારા સ્વચ્છતા રોગને નિયંત્રણમાં રાખવામાં તમારી સહાય કરી શકે છે.
  • જમીન પીએચ 6.5-7.0 સુધી સમાયોજિત કરવું અને નાઈટ્રોજન સ્ત્રોત તરીકે એમોનિયમ ને બદલે નાઇટ્રેટ નો ઉપયોગ રોગની ગંભીરતામાં ઘટાડો કરી શકે છે.
  • ગ્રીનહાઉસ માં, ચોક્કસપણે સમાયોજિત ટપક સિંચાઈનો ઉપયોગ કરવો જોઈયે.
  • અતિશય ખાતર સાંદ્રતા નો ઉપયોગ ટાળો.
  • લણણી પછી, છોડનો કાટમાળ દૂર કરો અને તેમને બાળી દો.
  • ધ્યાનમાં રાખો કે સંગ્રહ દરમ્યાન પણ સડો ચાલુ રહી શકે છે.ક્યારીના વિસ્તાર ને કાળા પ્લાસ્ટિકના આવરણ થી સીધા સૂર્યપ્રકાશ ની નીચે એક મહિના માટે ઢાંકી રાખી ચેપમુક્ત કરો.
  • જમીનમાં ફૂગનું સ્તર ઘટાડવા માટે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો