કપાસ

પાંદડા પરનાં મેરોથેસિયમ ડાઘ

Myrothecium roridum

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • મેરોથેસિયમ ડાઘના લક્ષણો સૌ પ્રથમ દાંડીઓ અને ઉપરના ભાગમાં સડાના આધારે ઓળખી શકાય છે.
  • વધારે ભેજવાળી સ્થિતિમાં ઘાવ પર સફેદ જાળાનો વિકાસ થઈ શકે છે.
  • ૦.૫ મીમી-૧ સે.મી.
  • વ્યાસની ભૂરા કે કાળા રંગની ફોલ્લીઓ સામાન્ય રીતે પાંદડા પર માર્જિનની નજીક દેખાય છે.
  • પછીથી, ઘાવવાળા ભાગમાંથી અસરગ્રસ્ત ભાગ ખરી પડે છે, જેથી પાંદડાઓમાં અનિયમિત છિદ્રો પડી જાય છે.

માં પણ મળી શકે છે


કપાસ

લક્ષણો

દાંડીઓ અને ઉપરના ભાગમાં સડો તથા પાંદડાની વચ્ચે ભૂરા ડાઘના આધારે તેને ઓળખી શકાય છે. વધારે ભેજવાળી સ્થિતિમાં ઘાવ પર સફેદ જાળાનો વિકાસ થઈ શકે છે, જે તેમને લાક્ષણિક દેખાવ આપે છે. બાગાયતી પાકોમાં, સામાન્ય રીતે ઉપરના ભાગ અને નજીકની પાંદડીઓમાં સામાન્ય ભૂરા ડાઘ તરીકે લક્ષણો શરૂ થાય છે. જેમ ડાઘ ધીમે ધીમે દાંડી પર પ્રગતિ કરે છે તેમ, અસરગ્રસ્ત પેશીઓ પર નાના સફેદ જાળા દેખાય છે. પાંદડા પર નાની અનિયમિત ભૂરી અથવા કાળી ફોલ્લીઓ દેખાય છે. ધીમે ધીમે ડાઘ વધુ ગોળાકાર બને છે. પાછળથી, જૂના જખમ કોલેસેસ બની શકે છે અને નાના સફેદ ડાઘથી ઢંકાઈ જાય છે. જેમ તે સૂકાય છે તેમ આ ડાઘનું કેન્દ્ર કાગળ જેવું અને સફેદ રંગનું બને છે, તથા ખરી પડે છે માટે પાંદડાઓમાં અનિયમિત છિદ્રો પડે છે. રોગના પછીના તબક્કે સમગ્ર છોડ પણ પડી શકે છે, પરંતુ ફળો પર ભાગ્યે જ અસર થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ સુધી પાંદડા પરનાં મેરોથેસિયમ ડાઘ સામે કોઈ જૈવિક નિયંત્રણ પદ્ધતિ શોધાઈ નથી. જો તમે આ ફૂગની સારવાર માટે કોઈ પદ્ધતિ જાણો છો તો કૃપા કરીને અમને પણ જણાવો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંઓ અને સાંસ્કૃતિક પ્રથાઓનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. લક્ષણો દેખાય ત્યારે, મૅનકોઝેબ અથવા કોપર ઓક્સિક્લોરાઇડને ૨ કિલો/હેક્ટર સ્પ્રે કરો અને ૧૫ દિવસના અંતરાલમાં બેથી ત્રણ વખત આ સારવાર ફરીથી કરો. જો ઋતુ દરમિયાન ચેપ લાગે, તો પૂર્વ-લણણીના અંતરાલને ધ્યાનમાં રાખો.

તે શાના કારણે થયું?

મેરોથેસિયમ રૉરિડમ ફૂગ દ્વારા આ રોગ થાય છે, જે આર્થિક રીતે મહત્વપૂર્ણ પાકમાં દાંડીઓ અને ઉપરના ભાગમાં સડો પેદા કરે છે. રોગ અનેક રીતે ફેલાયેલો છે, ઉદાહરણ તરીકે ટ્રાન્સપ્લાન્ટિંગ દરમિયાન, સિંચાઇ, મિકેનિકલ ખામીઓ અથવા જંતુ દ્વારા. ઇજાગ્રસ્ત પેશીઓ ફૂગ માટે પ્રવેશ સ્થાન બને છે જ્યાંથી છોડને ચેપ લાગી શકે છે. ગરમ, ભેજવાળું હવામાન અને વધારે ભેજ રોગના લક્ષણોમાં વધારો કરે છે. વધારે પડતું ખાતર નાખવાથી પર્ણસમૂહનો વધુ પડતો વિકાસ થાય છે, જે રોગના વધુ ફેલાવા તરફ દોરી શકે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતો શોધો.
  • ઋતુ દરમિયાન અતિશય ખાતર ન નાખો અને થોડા થોડા સમયે પ્રમાણસર ખાતર આપો.
  • ખેતરમાં કામ કરતી વખતે છોડને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.
  • સિંચાઈના સમયને કાળજીપૂર્વક નક્કી કરો, જેથી પાંદડા વધુ સમય ભીના ન રહે.
  • ખેતરમાં કામ કર્યા બાદ તમામ સાધનોને સાફ કરો, જેથી તે ચેપરહિત બને.
  • પેકેજિંગ દરમિયાન ઉત્પાદનની કાળજી રાખો કારણ કે, ધ્યાન ન રાખવાનાં કારણે તે ખરાબ થઈ શકે છે.
  • ચેપગ્રસ્ત છોડના અવશેષો દૂર કરી અને તેનો નાશ કરો.
  • એકત્રિકરણ ટાળો, કારણ કે તે રોગ ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
  • તમારા પાક માટે ઉત્તમ પીએચ મેળવવા ખેતરમાં ચૂનો ઉમેરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો