સોયાબીન

સોયબિનમાં રેસાવાળી ફૂગ

Peronospora manshurica

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાંની ઉપરની સપાટી પર નાના, નિસ્તેજ ટપકાં.
  • જૂનું જખમ તેજસ્વી આભા સાથે કથ્થાઈ રંગના બને છે.
  • પાંદડાની નીચેની સપાટી ધૂંધળી રાખોડી રંગની બને છે.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

રેસાવાળી ફૂગના પ્રારંભિક લક્ષણો કુમળા છોડ પર દેખાય છે પરંતુ વનસ્પતિની ફૂલ આવવાની પાછળની અથવા ફળ આવવાની શરૂઆતની અવસ્થા રોગ ખેતરમાં વિકાસ પામતો નથી. શરૂઆતમાં પાંદડાની ઉપરની સપાટી પર નાના, અનિયમિત આકારના, આછા પીળા ટપકાં દેખાય છે. પછીથી તે, આછા પીળાશ પડતી આભા સાથે રાખોડી-કથ્થાઈ રંગના બની જાય છે. પરોપજીવીની હાજરીને કારણે પાંદડાની નીચેની સપાટી ધૂંધળી રાખોડી રંગની બને છે. ઓછી માત્રામાં રોગના લક્ષણો છોડના સમગ્ર છત્ર પર જોવા મળે છે. જ્યારે શીંગોગ્રસ્ત થાય છે ત્યારે, શીંગોની અંદર પોપડા જેવી ફુગની વૃદ્ધિ જોઇ શકાય છે. ચેપગ્રસ્ત બીજ નિસ્તેજ સફેદ રંગ ધરાવે છે અને આંશિક રીતે અથવા સંપૂર્ણપણે ફૂગથી ઢંકાયેલ હોય છે. જખમનું કદ અને આકાર પાંદડાની ઉંમર પર આધાર રાખે છે. જુના જખમ પીળા અથવા લીલા રંગની કિનારી સાથે ઘેરો કથ્થાઈ અથવા રાખોડી કથ્થાઈ રંગના બને છે. ગંભીર ચેપ પામેલ પાંદડા પીળાશ પડતાં કથ્થાઈ બને અને અકાળે ખરી પડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી, અમને આ રોગ સામે કોઈપણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ ખબર નથી. આ રોગ ઘટાડવા કે તેના લક્ષણો ઘટાડવા માટે તમે જો કોઇ સફળ પદ્ધતિ જાણતા હોવ, તો અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બીજની સારવાર માટે મેટાલેક્ષીલ, ઓકસાડિકશીલ જેવા ફુગનાશક મેન્કોઝેબ, માનેબ કે ઝીનેબ સાથે આપી શકાય.

તે શાના કારણે થયું?

રેસાવાળી ફૂગનો રોગ ફૂગ જેવા સજીવ, પેરૉનૉસ્પોરા મેનશુરિકા ના કારણે થાય છે. તે ઠંડી દરમ્યાન જમીનમાં જાડી-દિવાલોથી ઘેરાયેલ રોગના બીજકણની અવસ્થામાં પાંદડાંના કચરા અને ઘણી વખત બીજમાં ટકી રહે છે. ફૂલ શરૂ થયા બાદ રોગ ઘણો સામાન્ય હોય છે. તાજાં પાંદડાં સૌથી વધુ સંવેદનશીલ હોય છે અને ચેપી પાંદડા ઘણીવાર છોડની ટોચ પર જોવા મળે છે. જૂના સોયાબીનના છોડના પાંદડાં પર જખમ સંખ્યામાં વધારે અને કદમાં નાના હોય છે. મધ્યમ તાપમાન (20-22° સે) અને ભેજના વધુ પ્રમાણ હેઠળ રોગ વધુ ફેલાય છે. ખેતરમાં રેસાવાળી ફૂગ ઠંડી દરમ્યાન જાડી-દીવાલવાળા રોગના બીજકણ(ઉસ્પોરસ) તરીકે પાંદડાંના કચરા અને બીજમાં ટકી રહે છે. રોગનો વિકાસ મોટે ભાગે વાતાવરણ પર આધાર રાખે છે. જ્યારે ભેજ ઓછો થાય, રેસાવાળી ફૂગના પરોપજીવી અસર પામે છે અને ભવિષ્યમાં રોગનો ફેલાવો અટકશે. ભેજ વધુ હોય ત્યારે અને સતત વરસાદ ના કિસ્સામાં, રેસાવાળી ફૂગનો વિકાસ થાય છે.


નિવારક પગલાં

  • વાવણી માટે પ્રતિરોધક જાતોમાંથી મેળવેલ પ્રમાણિત બિયારણ જ વાપરો.
  • ખુબ જ નજીક નજીકનું વાવેતર અને ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળો.
  • જો તમે ઓછામાં ઓછા એક વર્ષ માટે બિન-યજમાન પાક સાથે સોયાબીનના પાકની ફેરબદલી કારો તો રેસાવાળી ફૂગનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
  • આગળના વર્ષે રેસાવાળી ફૂગના બનાવનું પ્રમાણ ઘટાડવા પાકના અવશેષોને જમીનમાં દાટી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો