Alternaria padwickii
ફૂગ
5 mins to read
પાંદડા અને પાકેલા અનાજ પર લક્ષણો દેખાય છે. મૂળ અથવા પ્રારંભિક પાંદડા પર નાના ઘેરા ઘા થાય છે. ઘા ઉપરના રોપાઓના ભાગો ક્ષીણ થઇ જાય છે અને મૃત્યુ પામી શકે છે. પાંદડા પર ગોળાકારથી અંડાકાર ડાઘાઓ (3-10 મીમી વ્યાસ) ઘેરા બદામી માર્જિન સાથે દેખાય છે. આ મોટા ભાગના ડાઘાઓ કેન્દ્રમાં આછા બદામી અથવા સફેદ ડાઘાઓ દર્શાવે છે. અનાજ સંકોચાઈ શકે છે અને બરડ બની શકે છે. ચેપગ્રસ્ત અનાજ સામાન્ય રીતે ઘાટા રંગનુ, ચૂના જેવુ, બરડ અને સંકોચાયેલુ હોય છે અને કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. ધાન પર લાલ બ્રાઉન ડાધાઓ દેખાય છે. અનાજ સંકોચાઈ શકે છે અને બરડ બની શકે છે.
બીજનો ઉપચાર 2 ગ્રામ / કિગ્રા પ્રમાણે થીરમ, કેપ્ટન અથવા મૅન્કોઝબ સાથે કરો. બીજાંકુરણ અને જંતુનાશકના શ્રેષ્ઠ પરિણામો માટે 15 મિનિટ માટે 54 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ પાણીથી બીજની સારવાર કરો. ખેતરના તલખણા અને ડાંખળા બાળી નાંખો. ચોખાના રાઇઝોસ્ફિયરમાં વસવાટ કરતા સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ નામના બેક્ટેરિયાનુ પાવડરની ભૂકી સ્વરૂપે 5 અને 10 પ્રતિ કિલોના દરે લાગુ કરો.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં અને જૈવિક સારવાર બંનેનો સંકલિત અભિગમ ધ્યાનમાં લેવો. અનાજના વિકૃતિકરણને નિયંત્રિત કરવા માટે ક્લોરોથાલોનિલ, મેનકોઝેબ, કાર્બોક્સિન, પોલિઓક્સિન અને આઇપ્રોબેનફોસના ફૂગનાશકનો છંટકાવ કરો.
આ રોગ ટી પેડવિકીની જન્મેલ બીજની ફૂગને કારણે થાય છે, જે અજાતીય રીતે પ્રજનન કરતી ફૂગ છે જે ચોખાના બીજને ચેપ લગાડે છે. તે બીજ વિકૃતિકરણ, બીજના સડા માટે અને રોપને કરમાવી નાખવા માટે જવાબદાર છે. તે ઘટના મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં નોંધવામાં આવી છે. ભેજ અને ઊંચા તાપમાન ફૂગના વિકાસ માટે અનુકૂળ છે. ફૂગ છોડના કચરા અને જમીનમાં સ્ક્લેરોટીયા તરીકે જીવી શકે છે.