સૂર્યમુખીમાં વર્ટીસિલિયમ સુકારો

સૂર્યમુખી

સૂર્યમુખીમાં વર્ટીસિલિયમ સુકારો

Verticillium dahliae

ફૂગ

ટૂંકમાં

  • નીચેના ભાગથી ઉપર તરફ પાંદડા પીળા પડતાં જાય છે.
  • પહેલા એક બાજુએ પીળાશ પડે છે.
  • દાંડીને કાપીને જોઈએ તો તેમાં કથ્થઈ રંગની વિકૃતિ જોવા મળે છે.
  • છોડનો વિકાસ અટકે છે અને તે અકાળે નાશ પામે છે.

માં પણ મળી શકે છે

0 પાક

સૂર્યમુખીમાં વર્ટીસિલિયમ સુકારો

સૂર્યમુખી

લક્ષણો

નીચે તરફના પાંદડા પીળા પડવા લાગે છે. ઘણીવાર લક્ષણો છોડની એક બાજુ પર અથવા અડધા પાંદડા પર દેખાય છે. પાણી આપવા છતાં ચેપગ્રસ્ત છોડ સુકાઈ જાય છે. છોડ પરિપક્વ થતાં તેની ડાળી ઉપર અને અંદર નાના ઘાંટા કાળા રંગના ટપકાં દેખાઈ શકે છે. ગંભીર રીતે ચેપગ્રસ્ત છોડ અન્ય સ્વસ્થ છોડ કરતાં વહેલા પાકી જાય છે અને નાશ પામે છે, જેનાથી તેના પરના બીજની ગુણવત્તા અને ઉપજમાં ઘટાડો થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

હાલમાં જૈવિક કે કાર્બનિક રીતે સંપૂર્ણપણે નિયંત્રણ કરી શકાય એવો કોઈ અસરકારક ઉકેલ ઉપલબ્ધ નથી. ખાતર જેવા કાર્બનિક પદાર્થોને જમીનમાં લાગુ કરવાથી ફાયદાકારક સૂક્ષ્મજીવાણુની પ્રવૃત્તિને ટેકો મળે છે જે રોગકારક જીવાણુને અટકાવી શકે છે. સોલારાઇઝેશન: ગરમ સમયગાળા દરમિયાન ભેજવાળી જમીન પર પ્લાસ્ટિક ઢાંકવાથી માટીના ઉપલા સ્તરમાં ફૂગ ને \ઘટાડી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

સૂર્યમુખીમાં વર્ટીસિલિયમના કારણે થતાં સુકારા સામે રાસાયણિક રીતે નિયંત્રણ કરવા માટે ખુબ જ માર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ છે, કારણ કે એક વાર છોડને ચેપ લાગ્યા બાદ સંપૂર્ણપણે અસરકારક એવું કોઈ ફૂગનાશક ઉપલબ્ધ નથી. વાવણી પહેલાં બિયારણની ફૂગનાશકથી સારવાર કરવાથી મદદ થઇ શકે છે. વાવણી સમયે જ સારવાર કરો, કારણ કે પાંદડા પર છંટકાવ કરવાથી માટી-જન્ય રોગ પર કોઈ અસર થતી નથી. રાસાયણિક નિયંત્રણનો ઉપયોગ હંમેશા નિવારણના પૂરક તરીકે કરવો જોઈએ, એક માત્ર ઉકેલ તરીકે નહીં.

તે શાના કારણે થયું?

માટીમાંથી ફેલાતી ફૂગ વર્ટીસિલિયમ ડાહલીના કારણે આ રોગ થાય છે. યજમાન છોડ વિના પણ આ ફૂગ જમીનમાં ટકી રહે છે. તે છોડમાં મૂળ દ્વારા પ્રવેશ કરે છે અને પાણીની ગતિને અવરોધે છે. તે માટી, ખેતીના સાધનો, છોડના કચરા અને બિયારણ મારફતે ફેલાય છે. નીચેના પરિબળો રોગને પ્રોત્સાહન આપે છે: માટીનું ઠંડુ તાપમાન (૧૫°C થી ૨૫°C વચ્ચે), ઋતુની શરૂઆતમાં જમીનમાં ભેજનું વધુ પ્રમાણ અને ત્યારબાદ સૂકું વાતાવરણ અને ઓછા કાર્બનિક પદાર્થોવાળી હળવી માટી.


નિવારક પગલાં

  • પ્રમાણિત કરાયેલ રોગમુક્ત બિયારણનો ઉપયોગ કરો અને વર્ટીસિલિયમ સુકારા પ્રત્યે સક્ષમ એવી જાતો પસંદ કરો.
  • ઓછામાં ઓછા ત્રણથી ચાર વર્ષ સુધી ધાન્ય જેવા બિન-યજમાન પાક સાથે ફેરબદલી કરો; બટાકા, ટામેટા, કપાસ અને સ્ટ્રોબેરી જેવા સંવેદનશીલ પાક લેવાનું ટાળો.
  • લણણી પછી પાકના બચેલા કચરાને દૂર કરી તેનો નાશ કરો.
  • અન્ય ખેતરમાં ઉપયોગ કરતા પહેલાં ખેતીના સાધનોને સારી રીતે સાફ કરો.
  • પાણીનો ભરાવો ન થાય તે માટે તેના નિકાલ માટે સારી વ્યવસ્થા કરો અને વધુ પડતા નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ન કરો.
  • ખેતરમાં અને આસપાસ રહેલ નીંદણનું નિયંત્રણ કરો.
  • નિયમિતપણે તપાસ કરો, નીચલા પાંદડા અને એક બાજુએ પીળાશ પડતા અથવા સુકાઈ જતા છોડ પર ધ્યાન રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો