સોયાબીન

સોયાબીનમાં પાઉડર જેવી ફૂગ

Erysiphe diffusa

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • શરૂઆતમાં, પાંદડાની ઉપરની સપાટી પર સફેદ, પાવડર જેવું પડ વૃદ્ધિ પામે છે, પછી ફેલાઈને પાંદડાની ઉપરની અને નીચેની સપાટી આવરી લે છે.
  • તે શીંગો અને દાંડી પર પણ વિકસી શકે છે.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

પાવડરી ફૂગ પ્રથમ નાના ગોળ વિસ્તારોમાં સફેદ, પાવડર જેવી સોયાબીનના પાંદડાંની ઉપરની સપાટી પર વૃદ્ધિ પામતી દેખાય છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પાંદડાની ઉપલી અને નીચલી સપાટી સહિત, મોટા વિસ્તાર આવરી લે છે. ફૂગની વૃદ્ધિ દાંડી અને શીંગો પર પણ જોઈ શકાય છે. ભારે ચેપના કીસ્સમાં, સોયાબીનના છોડનો દરેક ભાગ આછા રાખોડી કે સફેદ પાવડરથી આવરી લેવામાં આવે છે. કેટલીક સોયાબીનની જાતોમાં પાંદડામાં ક્લોરોસિસ, અથવા પીળા પડવું, તથા પાંદડાંની નીચેની સપાટી કાટવાળી દેખાઈ શકે છે. ભારે અસરગ્રસ્ત છોડમાં અકાળે પાનખર સર્જાય છે. ભારે અસર પામેલ શીંગો સામાન્ય ચીમળાયેલ, અવિકસિત, વિકૃત અને લીલા ચપટાં બીજ ધરાવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

નાના વિસ્તારો માટે, દૂધ-પાણીનું મિશ્રણ કુદરતી ફૂગનાશક તરીકે કામ કરી શકે છે. દરેક બીજા દિવસે પાંદડા પર આ મિશ્રણનો છંટકાવ કરો. લસણ અથવા સોડિયમ બાયકાર્બોનેટ પણ સંતોષકારક પરિણામ આપી શકે છે. વેટેબલ સલ્ફરનો 3ગ્રા/લી પાણી સાથે છંટકાવ કરવો પણ અસરકારક બની શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વેટેબલ સલ્ફર,ટ્રાઇફ્લુમીઝોલ, માયકલોબ્યુટેનીલ પર આધારિત ફુગનાશક કેટલાક પાકોમાં ફૂગની વૃદ્ધિ નિયંત્રિત કરવા માટે ઉપયોગી થાય છે.

તે શાના કારણે થયું?

ઇરીસીફે ડિફ્યૂસા ફૂગથી, લક્ષણો નિર્માણ થાય છે, જેના રોગ નિર્માણ કરતાં બીજ મુખ્યત્વે પવન દ્વારા તંદુરસ્ત પેશીઓ પર ફેલાય છે. તેઓનું અંકુરણ થતાં અને પેશીઓમાં પ્રવેશ પામતાં, આ રોગ નિર્માણ કરતાં બીજકણ સૂક્ષ્મજીવની ટ્યુબ રચે છે અને એક લંગર જેવું માળખું બનાવી પોતાને પાંદડાં સાથે જોડી રાખે છે. આખરે, આનાથી ખોરાક માટેનું માળખુ રચાય છે અને વૃદ્ધિ છે કે જે સોયાબીનના પાંદડાંની બહારની સપાટી પર (સફેદ આવરણ) વિકસે છે. પવનજન્ય રોગના બીજ નવો ચેપ શરૂ કરે છે અને સોયાબીનના છોડ પરિપકવ થાય ત્યાં સુધી, રોગના ચક્રનું પુનરાવર્તન કરે છે. રોગ વિકાસ 30 ° C થી ઉપરના તાપમાને મર્યાદામાં રહે છે અને ઠંડુ તાપમાન તેની તરફેણ કરે છે. વરસાદ આ રોગને અસર કરતો નથી, જોકે સોયાબીનનો છોડ વૃદ્ધિના કોઈપણ તબક્કે આ રોગ પ્રત્યે સંવેદનશીલ હોય છે, પ્રજનનની ઋતુમાં અંતિમ-મધ્ય તબક્કામાં લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે.


નિવારક પગલાં

  • સારી રીતે હવાઉજાસ મળી રહે તે માટે પૂરતી જગ્યા રાખી પાકનું વાવેતર કરવું.
  • રોપણી માટે પ્રતિરોધક અથવા સ્થિતિસ્થાપક જાતો પસંદ કરો.
  • રોગના લક્ષણો માટે નિયમિત ખેતરની ચકાસણી કરો.
  • જ્યારે પહેલીવાર ટપકા દેખાય ત્યારે ચેપગ્રસ્ત પાંદડા દૂર કરો.
  • ચેપગ્રસ્ત છોડ ને સ્પર્શ કર્યા પછી તંદુરસ્ત છોડનો સ્પર્શ કરવો નહીં.વાવેતર કરતા પહેલાં અને લણણી પછી ખેડ કરવાથી પાકના અવશેષો તૂટે છે અને રોગ ફેલાવતા જીવાણુઓ નો નાશ કરવામાં મદદ કરે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો