દાડમ

દાડમનો એન્થ્રેકનોઝ

Glomerella cingulata

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પીળા રંગની આભા સાથે કાળા રંગના ટપકાં.
  • પછીના તબક્કે આખા પાંદડાં પર ટપકાં.
  • અકાળે કરમાશ.
  • ફળો સૂકા, અને તેની પર કથ્થાઈ કે કાળા રંગનું વિકૃતિકરણ.
  • બીયામાં સડો.
  • ડાળીઓ પર ઉધઈ.
  • મૂળ એકબીજા પર થડની આસપાસ વીંટળાય છે અને નાશ પામે છે.

માં પણ મળી શકે છે

1 પાક

દાડમ

લક્ષણો

કઈ પેશીઓ પર આક્રમણ થયું છે તે પ્રમાણે અને હવામાનના આધારે, આ ફૂગ વિવિધ પ્રકારના લક્ષણોનું કારણ બને છે. પાંદડા, ડાળી, ફૂલો અથવા ફળો પર વિવિધ રંગોના ખૂબ જ નાના ટપકાં નિર્માણ થાય છે, જે ઘણીવાર થોડાઘણા અંશે પીળા રંગની આભાથી ઘેરાયેલા હોય છે. પાછળથી પાંદડા પરના ટપકાં, એકરૂપ થઇ મોટા ડાઘ નિર્માણ કરે છે અને પાંદડાની મોટાભાગની સપાટીને આવરી લે છે. તેઓ પીળા બને છે અને અકાળે પાનખર તરફ દોરી જાય છે. ફળો પરના ટપકાં કથ્થાઈ કે ઘેરા કથ્થાઈ રંગના હોય છે, જે પહેલા ગોળાકાર અને જેમજેમ વિકસે તેમતેમ અનિયમિત આકારના બને છે. ફળો પછીથી નરમ બને છે અને દાણામાં ઘેરા રાખોડી કે કાળા રંગનો સડો નિર્માણ થાય છે અને તેમાં રસ રહેતો નથી. અન્થ્રાકનોઝ ડાળીઓ અને શાખાઓ પર પણ હુમલો કરી શકે છે અને તેમાં ઉધઈ નિર્માણ થાય છે, જેનથી શોષાયેલ વિસ્તારો બને છે, અને અસરગ્રસ્ત પેશીઓની ફરતે સોજો રહે છે. અસરગ્રસ્ત થડની ફરતે ગાળીઓ રચાય છે અને તેનો નાશ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સ્પર્ધાત્મક ફૂગ એસ્પરગીલસ ફ્લેવસ, હાયપોક્રીએ રુફા, હાયપોનેક્ટ્રીયા ટ્યુબરક્યુલરફોર્મિસ અને નેક્ટ્રીએલા મ્યુલેરી એ જાણીતા જૈવ-નિયંત્રક એજન્ટ છે. ફક્ત પ્રથમ દર્શાવેલ જ ખરેખર વિરોધી છે. બીજા પરોપજીવીઓ અથવા જીવાણુ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફૂલો આવવાની શરૂઆત થાય અને પર્યાવરણીય પરિસ્થિતિઓ ફૂગ માટે અનુકૂળ હોય ત્યારે રોગના નિવારણ માટે પ્રથમ છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ જો જરૂરી લાગે તો 15-દિવસના અંતરાલે બે વખત છંટકાવ કરો. પ્રોપેકોનાઝોલ, મેનકોઝબ અથવા મૅન્કોઝબ અને ટ્રાઇસ્ક્લેઝોલનું સંયોજન એ સક્રિય ઘટકો છે. ફક્ત દાડમ માટે જ નોંધણી પામેલ ફૂગનાશકનો છંટકાવ કરવો. પ્રતિકાર નિર્માણ થતો અટકાવવા માટે દર્શાવેલ સાંદ્રતા પ્રમાણે અને જુદીજુદી પધ્ધતિથી ફૂગનાશકોનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. સમયનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો ગ્લોમેરેલા સિંગ્યુલાતા ફૂગ દ્વારા નિર્માણ થાય છે. તે જમીનની સપાટી પર પડેલા છોડના ચેપગ્રસ્ત અવશેષોમાં અથવા સુકાયેલ ફળોમાં ટકી રહે છે. વસંતઋતુમાં રોગના કણ વરસાદના ઝાપટાં અથવા પવન દ્વારા ફેલાય છે અને નજીકમાં રહેલ ડાળી અથવા છોડને ચેપ લગાડે છે. મોર અને ફળના વિકાસનો સમયગાળો સૌથી વધુ સંવેદનશીલ તબક્કો છે. વૃક્ષના કાંટા, જંતુઓ, અને પ્રાણીઓને કારણે નિર્માણ થતી ઇજાઓ ચેપની પ્રક્રિયાની તરફેણ કરે છે. વારંવાર વરસાદ, વધુ પડતો ભેજ (50-80%) અને 25-30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ફૂગના જીવનચક્ર માટે અનુકૂળ રહે છે. જો કે, સામાન્ય રીતે સૂકા મોસમમાં તે નિષ્ક્રિય રહે છે. થોડી માત્રામાં રહેલ ચેપ પણ ફળના દેખાવને નુકસાન પહોંચાડી શકે છે અને તેના સંગ્રહના સમયગાળાને ઘટાડી શકે છે. કેરી, જામફળ અને પપૈયા જેવા વૃક્ષો અન્ય યજમાનો છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્ત્રોતો તરફથી મેળવેલ તંદુરસ્ત વાવેતર સામગ્રીનો ઉપયોગ કરો.
  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તેવી સક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • સારા હવાઉજાસ રહે તે માટે છોડ વચ્ચે પૂરતી જગ્યા રાખો.
  • ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરો અને ઉપરથી પડતા પાણીવાળી સિંચાઇનો ઉપયોગ કરશો નહીં.
  • પાંદડા આવી ગયા બાદ અને વસંતનો વરસાદ બંધ થઈ ગયા બાદ ખાતર પૂરું પાડો.
  • ઉપજ પર અસર માટે તમારા પાકને પૂરતું ખાતર પૂરું પાડો.
  • ઉદાહરણ તરીકે નીંદણનું નિયંત્રણ કરી, ખેતરમાં સ્વચ્છતા જાળવી રાખો.
  • છોડને યાંત્રિક અથવા શારીરિક રીતે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.
  • ખાસ કરીને મોર અને ફળના વિકાસના સમયગાળા દરમિયાન, તમારા છોડ અથવા ખેતરોને રોગના ચિહ્નો જોવા માટે તપાસો.
  • શિયાળા દરમિયાન છોડની કાપણી કરો અને કાપણીના સાધનોને જંતુમુક્ત કરો.
  • વિકાસની ઋતુ દરમિયાન ખરી પડેલા પાંદડાંના ઢગલા, ચેપગ્રસ્ત ડાળીઓ અને ડાળીઓને દૂર કરી તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો