અન્ય

ઘઉંમાં સામાન્ય બળેલો દેખાવ

Tilletia tritici

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ઘાટા લીલા રંગનું આવરણ ધરાવતા ચીકણા ક્ન્ટા.
  • જ્યારે દબાવવામાં આવે, ત્યારે તેમાંથી સડી ગયેલ માછલી જેવી દુર્ગંધ સાથે કાળા બીજકણનો સ્ત્રાવ થાય છે.
  • અટકેલ વિકાસ.
  • ક્ન્ટા પર રેસા ખુબજ ઓછા પ્રમાણમાં દેખાઈ શકે છે.

માં પણ મળી શકે છે

2 પાક

અન્ય

લક્ષણો

ફૂલોમાં પરાગાધાન બાદ ટૂંક સમયમાં ચેપના સૌથી શરૂઆતના લક્ષણો દેખાવા લાગે છે. દૂષિત ક્ન્ટા ઘેર લીલા આવરણ સાથે ચીકણાં દેખાય છે. બીજનું બહારનું આવરણ સુરક્ષિત લાગે છે, પણ અંદરથી તેમાં એક કાળા પાવડર "બળેલો બોલ" નિર્માણ થયેલ હોય છે. આ દાણા આકાર અને કદમાં સામાન્ય જેવા જ હોય છે, પરંતુ તે રંગમાં રાખોડી-ભૂરા રંગના હોય છે. જ્યારે દબાવવામાં આવે, ત્યારે તેમાંથી કાળા રંગના રોગના બીજકાણો બહાર આવે છે જે સડેલી માછલી જેવી દુર્ગંધ ધરાવે છે. તંદુરસ્ત છોડ કરતા ચેપગ્રસ્ત ઘઉંના છોડ સહેજ ટૂંકા હોઈ શકે છે. તેમના ક્ન્ટા પર હુખણા થોડા હોય છે, અથવા તો બિલકુલ હોતા નથી. સામાન્ય રીતે, એક ક્ન્ટાના તમામ દાણા અસરગ્રસ્ત હોય છે, પરંતુ કદાચ છોડ પરના તમામ ક્ન્ટા પર ચેપ લાગ્યો હોતો નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

મલાઇ તારવેલાં દૂધનો પાવડર, ઘઉંનો લોટ અથવા સીવીડનો પાઉડરનું પાણી સાથેના મિશ્રણથી સારવાર કરવાથી ખેતરમાંથી લગભગ સંપૂર્ણપણે ટી. કેરીસ ને દૂર કરી શકો છો. વાવેતર પહેલા બીજને 2 કલાક સુધી ગરમ પાણી (45 ° સે) સાથે સારવાર આપવાથી રોગના બીજકણ દૂર થાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ટી. કેરીસ સામે રક્ષણ માટે સંપર્ક કરો અને પદ્ધતિસરના ફુગનાશક (અંદર જતા અને વિકાસશીલ રોપા) જેમ કે ટબુકોનેઝોલ, બૅઝિમિડેસોલ, ફેનાઈલપાયરોલ્સ અને ટ્રાઈઝોલ અસરકારક છે.

તે શાના કારણે થયું?

ટીલેસિયા કેરીસ ફૂગ ને કારણે લક્ષણો નિર્માણ થાય છે કે જે બીજ પર અને જમીનમાં બે વર્ષ સુધી નિષ્ક્રિય રીતે ટકી શકે છે. જે વિસ્તારોમાં રોગના બીજ જમીનમાં આવેલા હોય છે, તેમાં મોટા ભાગે છોડની વૃદ્ધિ ખૂબ જ પ્રારંભિક તબક્કામાં અંકુરણ પછી તરત જ રોગ લાગુ પડે છે. ફૂગ અંકુરિત થતા ઘઉંના કુમળા રોપાને, જમીનની બહાર નીકળતા પહેલા પણ સંક્રમિત કરી શકે છે. પછી તેઓ ધીમે ધીમે છોડની આંતરિક પેશીઓમાં વસાહત બનાવે છે, વિકાસ પામે છે અને છેવટે અનાજના દાણા સુધી પહોંચે છે. બળેલા દેખાવ વાળા ઘઉંના દાણા કેટલાક લણણી દરમિયાન તૂટીને ખુલ્લા પડે છે અને રોગના નવા બીજકણ ફેલાવે છે જે હવાના પ્રવાહ દ્વારા દૂર જમીનમાં ફેલાય છે અને નવું ચક્ર શરુ કરે છે. બાકીના બીજની લણણી થાય છે અને ભવિષ્યમાં ચેપ માટે વાહક તરીકે વર્તી શકે છે. 5-15 ° સે વચ્ચેનું માટીનું તાપમાન રોગના બીજકણના અંકુરણ માટે લાભદાયી હોય છે.


નિવારક પગલાં

  • પ્રારંભિક સમયે જયારે માટીનું તાપમાન 20 ° સે થી ઉપર હોય ત્યારે શિયાળુ ઘઉંની વાવણી કરવાથી લગભગ કોઈ જ પ્રકારનો ચેપ લાગતો નથી.
  • ઉપરાંત, ઉનાળુ ઘઉંનું વાવેતર શક્ય તેટલું મોડા કરવું.
  • રોગ પ્રતિરોધક જાત વાપરો અને બીજની પ્રમાણિતતા માટે યોગ્ય રીતે તપાસો.
  • તે પ્રમાણે પાકની ફેરબદલી કરો.
  • જયારે બે ખેતરમાં કામ કરતાં હોવ ત્યારે જંતુરહિત કૃષિના સાધનોનો ઉપયોગ કરવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો