ઘઉં

ઘઉંના ડૂંડાનું ફાટવું

Magnaporthe oryzae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ડૂંડાં અને તેની અંદરના કાંટા અકાળે વીરંજિત થાય છે.
  • ડૂંડાં ચીમળાયેલ, દાણા થી ભરાયેલ ન હોય અથવા સંપૂર્ણપણે દાણા હોતા જ નથી.
  • પાંદડા પર લંબગોળ અથવા આંખ આકારના રાખોડી કેન્દ્રો સાથે કાળા રંગના જખમ.

માં પણ મળી શકે છે

1 પાક

ઘઉં

લક્ષણો

ઘઉંના જમીનની ઉપર આવેલ તમામ ભાગોને અસર થઇ શકે છે, પરંતુ ડૂંડા અકાળે વીરંજિત થવા તે ઊડીને આંખે વળગે તેવું લક્ષણ છે. રોગ પેદા કરતા જીવાણુ ગણતરીના દિવસોમાં માં જ ઉપજને અસર કરી શકે છે, અને ખેડૂતોને નિવારણ માટે કોઇ જ સમય મળતો નથી. ફૂલ આવવાના સમય દરમ્યાન ચેપ લાગવાથી અનાજનું ઉત્પાદન થતું નથી. જોકે, દાણા આવવાના તબક્કે ચેપ લાગે તો દાણા નાના, ચીમળાયેલ અને રંગની વિકૃતિમાં પરિણમે છે. જૂના પાંદડા પર બે પ્રકારના જખમ દૃશ્યમાન થાય છે: હળવા કિસ્સાઓમાં, રાખોડી કેન્દ્રો, ઘેરા રંગની કિનારી સાથે કાળા રંગના આંખ આકારના જખમ. ગંભીર ચેપના કિસ્સામાં, પાંદડાં પર કાળા ઝખ્મ અને કાળી કિનારી સાથે તોક્યારેક સુકાયેલ આભા સાથે કથ્થાઈ ટપકાં દેખાય છે. ડૂંડા પર લક્ષણો બહુ જ મળતા આવે છે અને સહેલાઈથી ડૂંડા પર ફુસિરિયમ ફૂગ જેવા લાગે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ સુધી, ક્ષેત્રમાં એમ. ઓરીઝે માટે જૈવિક નિયંત્રણના કોઈ પુરાવા મળ્યા નથી. જોકે, ચોખામાં, સ્યુડોમોનાસ ફ્લોરેસેંસની ધરાવતા સંયોજનોથી બીજને સારવાર આપવાથી અને પાંદડાં પર છંટકાવ કરવાથી ડૂંડા ફાટવાના રોગ સામે અસરકારક નિયંત્રણ પૂરું પાડે છે અને અનાજની ઉપજ વધે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ફૂલ આવવાના અથવા દાણા ભરાવાના તબક્કા દરમ્યાન લાંબા સમય સુધી ઝાકળ એ ઘઉંના ડૂંડા ફાટવામાં મહત્વનું પરિબળ છે. પ્રતિબંધક માપદંડ તરીકે પ્રણાલીગત ફુગનાશકથી સારવાર કરતાં પહેલાં વરસાદ / ઝાકળ માટેની હવામાનની આગાહી જોઈ લેવી. જો કે, ફુગનાશક માત્ર આંશિક સંરક્ષણ જ પૂરું પાડે છે. વરસાદ કે ઝાકળ પહેલાં ફૂલ આવવાના તબક્કે ટ્રાયફ્લોક્ષીસ્ટ્રોબીન + ટબુકોનેઝોલ ના સક્રિય ઘટકો ધરાવતું સંયોજન લાગુ કરી શકાય છે. દર વર્ષે એક જ પ્રકાર ક્રિયાથી રસાયણો ઉપયોગ કરશો નહીં કારણ કે તેનાથી પ્રતિકાર નિર્માણ થઇ શકે છે.

તે શાના કારણે થયું?

લક્ષણો મેગ્નેપોર્થે ઓરીઝે ફૂગ થી, નિર્માણ થાય છે જે બીજ અને પાકના અવશેષો પર ટકી શકે છે. ઘઉં ઉપરાંત, આ પ્રજાતિઓ વૈવિધ્યતા પૂર્ણ રીતે અને જવ અને ચોખા તેમજ અન્ય ઘણાબધા છોડને સંક્રમિત કરી શકે છે. જે પાકની ફેરબદલીથી રોગને નિયંત્રિત કરવું બિનઅસરકારક બનાવી દે છે. હાલમાં ઉગાડવામાં આવતી મોટા ભાગની ઘઉંની જાતો આ રોગ પ્રત્યે સંવેદનશીલ હોય છે. ડૂંડાના નિર્માણ અને દાણા ભરાવાના તબક્કામાં, ગરમ તાપમાન (18-30 ° સે) અને સંબંધિત ભેજનો 80% ઉંચો દર ગંભીર નુકસાન કરી શકે છે અને ક્યારેક તો એક અઠવાડિયાની અંદર જ પાક વિનાશ પામી શકે છે.


નિવારક પગલાં

  • તમારા વિસ્તારમાં / દેશ માં સંસર્ગનિષેધ વિનિયમો વિષે જાણો.
  • રોગ લક્ષણો ઓળખી શકે માટે વાવેતર કરનાર અને કામ કરનાર કામદારોને શિક્ષિત કરો.
  • પ્રમાણિત સ્ત્રોતમાંથી મેળવેલ બીજનો જ ઉપયોગ કરો અથવા ખાતરી કરો કે બીજ ફુગજન્ય ચેપથી મુક્ત છે.
  • પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક જાતો (બજારમાં અનેક ઉપલબ્ધ છે) નો ઉપયોગ કરો.
  • ખેતરમાંથી છોડના અવશેષો અને વૈકલ્પિક યજમાનો દૂર કરો.
  • અતિશય નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ટાળો.
  • યજમાનની પ્રતિકારક્ષમતા વધારવા માટે સિલિકામાં સુધારો કરો.
  • ફૂલો અથવા દાણા ભરાવાના તબક્કા દરમ્યાન વરસાદને નિવારી શકાય તે રીતે વાવેતરનો સમય નક્કી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો