ચોખા

ઉડબટ્ટા ચોખાનો રોગ

Balansia oryzae-sativae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ડાળીઓમાં વિરૂપતા, સીધો, ખરાબ નળાકાર સાંઠો, ઉપરના પાંદડા અને આવરણના પાંદડા સફેદ ફુગથી ઢંકાઇ જાય છે, ચાંદી જેવો દેખાવ, રૂંધાયેલો વિકાસ.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

લક્ષણો પ્રથમ ફુલોની છૂટક ડાળીઓના ઉદભવના સમયે સ્પષ્ટ થાય છે. ચેપ પ્રણાલિગત છે અને બધા ટીલર્સ સામેલ છે. ચેપગ્રસ્ત છોડની વૃદ્ધિ થતી નથી અને સફેદ માઇસેલિયલ મેટ કળીઓની ડાળોને સાંથે બાંધે છે. ડાળી સીધી, એકાંગી, ખરાબ રંગની, નળાકાર સળિયા તરીકે બહાર આવે છે. ઉપરના પાંદડા અને ઢંકાયેલા પાંદડા પણ ચાંદી જેવા દેખાય છે. સફેદ માયસેલિયમ નસોની સાથે સાંકડી પટ્ટીઓ બનાવે છે. અસરગ્રસ્ત ડૂંડામાં કોઇ દાણા બેસતા નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

વાવણી પહેલા 10 મિનિટ સુધી 50-54° સે તાપમાને બીજની ગરમ પાણીની સારવાર રોગ પર અસરકારક નિયંત્રણ આપે છે. બીજની સૌર સારવાર બીજમાં વહન પામેલ પેથોજેનને મારી નાખવામાં પણ અસરકારક છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. કેપ્ટન અથવા થિરમ સાથે બીજ સારવારનો ઉપયોગ કરી શકાય છે. અઉરેઓફન્ગીન (ફૂગનાશક એન્ટિબાયોટિક) અને મેનકોઝેબના વિવિધ સંયોજનો રોગની તીવ્રતા ઘટાડે છે અને કેટલીક વાર ચોખાની વિવિધ જાતોમાં અનાજની ઉપજમાં વધારો કરે છે. એકલા થીરામ સાથે જમીનની સારવાર અથવા તેના પછી બીજા ફૂગનાશક, ઉડબટ્ટા રોગની તીવ્રતા ઘટાડવામાં અને ચોખાની ઉપજ વધારવામાં બીજની સારવાર કરતાં વધારે સારા છે.

તે શાના કારણે થયું?

દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ગંભીર સ્વરૂપોમાં થાય છે. ખૂબ જ વહેલા અને મોડા વાવેલા પાકોમાં રોગનું પ્રમાણ ઓછું ગંભીર છે. ફૂગની હાજરી વાવેતર કરતા પહેલા બીજ અથવા ચોખાના પાંદડા અને આસપાસના અન્ય યજમાનો પર ઉદ્ભવે છે. લણણી કર્યા પછીના વધેલા કચરાના ઢગલામાં ફૂગ રહી શકે છે અથવા પવન કે પાણી દ્વારા વહન કરવામાં આવતા કાટમાળમાં પણ જીવે છે. ફૂગમાં ઘાસના ઇસાચેન એલિગન્સ, સિનાડોન ડેક્ટીલોન, પેનિસેટમ સ્પે., અને એરાગ્રોસ્ટિસ ટેનુઇફોલિયા વગેરે સંબંધિત યજમાનો છે. વધારે ભેજવાળા વાતાવરણમાં હૂંફાળા ઉષ્ણતામાનમાં તે વધે છે. છોડની બધી અવસ્થામા રોપણી અને છોડવાઓનો વિકાસ ઉપર સૌથી વધારે અસર થાય છે. તેમ છતા લક્ષણો સૌ પ્રથમ કળીઓ આવે તે સમયે દેખાવા લાગે છે.


નિવારક પગલાં

  • રોગમુક્ત બીજ અને પ્રતિકારક છોડની જાતોનો ઉપયોગ કરો.
  • જ્યાં રોગની નોંધ હોય તેવા ખેતરોના બીજનો ઉપયોગ કરશો નહીં.
  • ખેતરનું નિરિક્ષણ કરતા રહો અને રોગગ્રસ્ત ડાળીઓને દૂર કરો.
  • પહેલા અથવા પછીના સમયગાળામાં વાવણી કરો.
  • ખેતરમાંથી અથવા આજુબાજુથી રોગને આમંત્રણ આપે તેવી શક્યતાવાળા યજમાનોને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો