અડદ અને મગની દાળ

કાળામગ પર પાવડર (ખવાવુ)

Uromyces phaseoli

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાના નીચેના ભાગમાં કથ્થાઈ કે લાલ રંગની નાની ગોળ ફોડલી.
  • પછી તે ફોડલી આજુબાજુના વિસ્તારમાં ભળી જઈ અને પાંદડાંની ઉપરની સપાટી ઉપર પણ દેખાય છે.
  • મોસમ દરમ્યાન પાછળથી જે રેખીય, ઘેરા બદામી વિસ્તારોમાં પરિણમે છે.
  • ચેપ પાંદડાંની દાંડી, શીંગો અને ડાળી ઉપર પણ જોઈ શકાય છે.
  • પાંદડા સૂકા, નબળા પડે, અને ખરી જાય છે, જેનાથી પાનખર નિર્માણ થાય અને ઉત્પાદનને નુકશાન થાય છે.

માં પણ મળી શકે છે


અડદ અને મગની દાળ

લક્ષણો

પાંદડાની નીચેની સપાટી ઉપર, પ્રારંભિક લક્ષણો તરીકે સફેદ ફુગના કણો માં કથ્થાઈ કે લાલ રંગની નાની ગોળ ફોડલી દેખાય છે. ફોડલી કદાચ નાના સમૂહમાં દેખાય અને ત્યારબાદ પાંદડાંના મોટા ભાગમાં ભળી જાય છે. ઉપરાંત, પાછળથી મોસમ દરમ્યાન તે રેખીય, ઘેરા બદામી વિસ્તારો તરીકે જોઈ શકાય છે. ભારે ચેપની સ્થિતિમાં પાંદડાની ઉપરની સપાટીને પણ અસર થાય છે, જેનાથી આખું પાંદડું ફોડલીથી ભરાઈ જાય છે. પાંદડા સૂકા, નબળા પડે, અને ખરી જાય છે. આ તબક્કામાં રોગ, પાંદડાંની દાંડી, શીંગો અને ડાળીને પણ અસર કરી શકે છે. તીવ્ર પાનખર ઉત્પાદનને ગંભીર નુકસાન પહોંચાડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

એકવાર રોગનો ચેપ જણાય, સાલ્વિયા ઓફિસિનાલિસ અને પોટેન્ટિલા ઈરેક્ટા નો અર્ક ફૂગના વિકાસને અટકાવવામાં રક્ષણાત્મક મદદ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો બાદના તબક્કમાં ચેપની ખબર પડી હોય તો, કેમિકલ સારવાર કામ ન આપી શકે. જો ફુગનાશકની જરૂર લાગે તો, મેન્કોઝેબ, પ્રોપિકોનાઝોલ, કોપર કે સલ્ફર ના સંયોજનને ધરાવતા ઉત્પાદનોનો પાંદડાં પર છંટકાવ કરી શકાય (સામાન્યરીતે 3G /લિટર પાણી). ચેપની પ્રથમ જાણ બાદ તુરંત છંટકાવ કરો અને ત્યારબાદ 15 દિવસ પછી તેનું પુનરાવર્તન કરો.

તે શાના કારણે થયું?

જમીનમાં પાકના કચરામાં અથવા વૈકલ્પિક યજમાનમાં રોગ પેદા કરતા જીવાણુ અસ્તિત્વ ધરાવે છે. પ્રાથમિક રોગ જમીન પરથી છોડના નીચેના પાંદડા ઉપર ચેપના બીજકણ ફેલાવાથી થાય છે. પાછળથી પવન દ્વારા ચેપ એક છોડ પરથી બીજા છોડ પર ફેલાય છે. ચેપની પ્રારંભિક શરૂઆત અને તેના ફેલાવા માટે હૂંફાળું તાપમાન (21 થી 26° C), ભેજવાળું અને વાદળિયું વાતાવરણ અને સાથેસાથે રાત્રી દરમ્યાન ભારે ઝાકળ અનુકૂળ આવે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડના અથવા પ્રમાણિત જીવાણુમુક્ત બીજ જ બિયારણ તરીકે વાપરો.
  • જો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક્ષમ અને ટકી શકે એવી જાતનું જ વાવેતર કરો.
  • તમારા ખેતરની આજુબાજુ વૈકલ્પિક યજમાન જાતનું વાવેતર ટાળો.
  • તમારા ખેતરમાંથી વૈકલ્પિક યજમાન અને નીંદણ દૂર કરો.
  • છોડના ચેપગ્રસ્ત ભાગનું નિરીક્ષણ કરી દૂર કરો.
  • પાકની ફેરબદલી દર ત્રણ-ચાર વર્ષે બિન-યજમાન પાક સાથે કરવાની ખાતરી કરો.
  • ઊંડી ખેડ કરો અને પાકના કચરાને બાળી નાખી દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો