સોયાબીન

રીઝોકટોનીયા એરિયલ ફૂગ

Rhizoctonia solani

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર રાખોડી-લીલા રંગના પાણી શોષાવાથી નિર્માણ થતાં, ગોળ કે અનિયમિત આકારના ટપકાં.
  • ટપકાં રાતા-બદામી કિનારી સાથે કથ્થાઈ સુકાયેલ જખમ વિકસાવે છે.
  • જખમ પાંદડાંના ડીટાં, ડાળી અને શીંગોમાં ફેલાઈ શકે છે.
  • પાંદડાઓ રૂ જેવી ફૂગથી પરસ્પર વણાયેલ હોય છે.
  • છોડ પર ફૂગ દ્વારા વસાહતીકરણના કારણે પાનખર સર્જાય છે.

માં પણ મળી શકે છે

2 પાક
સોયાબીન
તમાકુ

સોયાબીન

લક્ષણો

વનસ્પતિની વૃદ્ધિના પાછળના તબક્કામાં ચેપ વધુ સામાન્ય છે. શરૂઆતમાં, જુના પાંદડા પર લીલા રંગના પાણી શોષાવાથી નિર્માણ થતાં, ગોળ કે અનિયમિત આકારના ટપકાં, રાતા-બદામી કિનારી સાથે દેખાય છે, જે ક્યારેક અલગ અલગ પાંદડીઓ પર હોય છે. રોગના અંતિમ ચરણમાં, જખમ કથ્થઇ કે રાતા રંગનું બને છે અને ટપકાં પાંદડાંના ડીટાં, ડાળી અને કુમળી શીંગો પર પણ દેખાવાનું શરૂ થાય છે. ડાળી અને પાંદડાંના ડીટાં પર કથ્થાઈ ખૂંધ દેખાય છે. રૂ જેવી ફૂગના વિકાસ ના કારણે પાંદડાનું ચોંટી જવું સામાન્ય છે. ગંભીર ચેપ ના કિસ્સામાં પાંદડાં અને શીંગો પર ફૂગ લાગે છે અને પાનખરનું કારણ બને છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જૈવિક એજન્ટો, છોડના અર્ક અને આવશ્યક તેલ ચેપને નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે છે. પરોપજીવી ફૂગ, ટ્રાઇકોડર્મા હેરઝીયાનમ, રીઝોકટોનીયા એરિયલ ફૂગ સાથે સ્પર્ધાત્મક અસર કરે છે. ડુંગળી, લસણ અને હળદર ના છોડનો અર્ક કાર્યક્ષમતાના આ ક્રમમાં ફૂગની વૃદ્ધિને ઘટાડે છે. ફુદીનો, લેમનગ્રાસ, મરી, પામરોઝા અને આસમાની રંગના ફૂલ નું આવશ્યક તેલ ચેપ ધરાવી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો ફુગનાશક જરૂરી હોય તો, ફ્લક્સપેરોકસાઇડ ધરાવતા ઉત્પાદનનો પાયરેક્લોસ્ટ્રોબીન સાથે સંયોજનમાં છંટકાવ કરવો. ફુગનાશકનો ઋતુમાં બે થી વધુ વખત ઉપયોગ કરવો નહિ. લણણીમાં 21કરતાં ઓછા દિવસ હોય તો સારવારની શરૂઆત કરવી નહિ.

તે શાના કારણે થયું?

રીઝોકટોનીયા સોલાની ફુગ જમીનમાં અથવા પાકના કચરામાં ટકી રહે છે. તે ઠંડી દરમ્યાન નીંદણ જેવા વૈકલ્પિક યજમાનોમાં ટકી રહે છે. પવન અને વરસાદને કારણે લાંબા સમય સુધી હૂંફાળા તાપમાન (25 થી 32° સે) અને ઊંચા ભેજવાળા સમયગાળા દરમિયાન, ફૂગનો છોડ પર વ્યાપક ફેલાવો થાય છે. તેઓ પાંદડાઓને એકબીજા સાથે વણી લે છે અને પાંદડાઓથી સ્થાનિક સાદડીઓ જેવું "જાળું" રચાય છે, છોડને લાક્ષણિકતા આપે છે.


નિવારક પગલાં

  • સહિષ્ણુ જાતો વાવો.
  • હવાની સારી અવરજવર માટે છોડ વચ્ચે પૂરતી જગ્યા છોડો.
  • જીવાણુનો ફેલાવો ન થાય તે માટે ક્યારી અને ખેતર કાળજીપૂર્વક તૈયાર કરો.
  • અતિશય નીંદણની વૃદ્ધિ ટાળો (નીંદણ વૈકલ્પિક યજમાન તરીકે વર્તી શકે છે).
  • કોઈપણ બાકીના રોગ પેદા કરતા જીવાણુ જમીનમાંથી દૂર કરવા ઊંડી ખેડ કરો.
  • ઓછામાં ઓછા 2 વર્ષ માટે બિન-યજમાન પાક (મકાઈ અને જુવાર) સાથે પાકની ફેરબદલી કરવાની ભલામણ કરાય છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો