સોયાબીન

પાંદડાં પર દેડકાંની આંખ જેવા ટપકાં

Cercospora sojina

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર નાના, પાણી શોષાવાથી ટપકાં નિર્માણ થાય છે.
  • આ ટપકાં, જેનું કેન્દ્ર ભૂખરા રંગનું અને ઘાટા-કથ્થાઈ કિનારી વાળા, સુકાયેલ ગોળાકાર ઝખમ બનાવે છે.
  • જખમ ડાળી અને શીંગોમાં પણ ફેલાઈ શકે છે.
  • બીજમાં ઘેરા ટપકાં હોય છે અને ચીમળાયેલ દેખાય છે.

માં પણ મળી શકે છે


સોયાબીન

લક્ષણો

વૃદ્ધિના કોઈપણ તબક્કે ચેપ લાગી શકે છે પરંતુ તે તાજા પાંદડા પર ફૂલોના સમયે પર વધુ સામાન્ય હોય છે. પ્રારંભિક લક્ષણો તરીકે નાના, કથ્થઈ રંગના પાણી શોષાવાથી નિર્માણ થતાં ટપકાં દેખાય છે. સમય જતાં, તેઓ, જેનું કેન્દ્ર ભૂખરા રંગનું અને ઘાટા-જાંબુડી કિનારી વાળા, મોટા(1-5 મિમિ) ગોળાકાર ઝખમ બનાવે છે. ભારે ચેપના કિસ્સામાં, પાંદડાં નાશ પામે છે અને ખરી પડે છે. ડાળી પર ચીમળાય ગયેલ કેન્દ્ર વાળા વિસ્તૃત ટપકાં દેખાય છે. શીંગો પર, ગોળ અથવા વિસ્તરેલ શોષાયેલ કથ્થાઈ ટપકાં દેખાય છે. દૂષિત બીજ ચીમળાઈ જાય છે અને વિવિધ કદના કથ્થાઈ ટપકાં જોઈ શકાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક ઉત્પાદનો સાથે એક સંકલિત અભિગમ અપનાવો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાયરેકલોસ્ટ્રોબીન ધરાવતાં ઉત્પાદનથી, ચેપની ઘટનાના સમયે અને બાદમાં વિકાસના સમયગાળા દરમ્યાન, એમ બે વાર અજમાવવાથી રોગ પેદા કરતા જીવાણુનો ફેલાવો ટકાવવામાં મદદ કરે છે. ભેજવાળી પરિસ્થિતિમાં ફૂગનાશકની અસર વધુ થાય છે. જો લણણીમાં 21 દિવસ કરતાં ઓછો સમયગાળો હોય તો સારવાર શરૂ ન કરવી જોઈએ.

તે શાના કારણે થયું?

પાંદડાં પર દેડકાની આંખ જેવા ટપકાં સેરકોસ્પોરા સોજીના ફૂગના કારણે થાય છે. તે બે વાવેતર દરમ્યાન ખેતરમાં પાકના કચરામાં અને બિયારણમાં ટકી રહે છે. જો વાવેતર કરવામાં આવે તો, ચેપગ્રસ્ત બીયારણ ચેપગ્રસ્ત રોપાઓ નિર્માણ કરે છે. સોયાબીનના જૂના કરતાં નવા પાંદડા વધુ સંવેદનશીલ હોય છે. ગરમ, ભેજવાળી, વારંવાર વરસાદ સાથે વાદળછાયું હવામાન રોગના વિકાસની તરફેણ કરે છે. માટીમાં છૂટી ગયેલ ઉપદ્રવ પામેલ સોયાબીનના છોડનો કચરો પણ અનુકૂળતા પુરી પાડે છે.


નિવારક પગલાં

  • સ્થિતિસ્થાપક અથવા પ્રતીકારક્ષમ જાતોનું જ વાવેતર કરો.
  • પ્રમાણિત રોગ પેદા કરતા જીવાણુ મુક્ત બીજ વાપરો.
  • ખેતરનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • અસરગ્રસ્ત પાંદડાં અને ડાળીઓ દૂર કરો.
  • પાણીના નિકાલની સારી વ્યવસ્થાથી રાખો.
  • સિઝનમાં વહેલું વાવેતર કરો.
  • મકાઈ અને અન્ય અનાજ જેવા બિન-યજમાન પાક સાથે ત્રણ વર્ષ સુધી પાકની ફેરબદલી કરો.
  • ઊંડી ખેડ કરો અને છોડના અવશેષો દાટી દો.
  • છોડના ચેપગ્રસ્ત કચરાને દૂર કરો અને સળગાવી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો