ઘઉં

અનાજમાં બરફ જેવા આવરણવાળી ફૂગ

Monographella nivalis

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં અને બે ગાંઠની વચ્ચે કથ્થાઈ જખમ અને સડો.
  • સડેલું (ક્યારેક નારંગી) થડ.
  • ડૂંડા સાફ થઇ જાય છે અથવા નારંગી થી કથ્થાઈ જાંબુડી રંગની ફુગની પેશીઓ દેખાય છે.

માં પણ મળી શકે છે

2 પાક

ઘઉં

લક્ષણો

દૂષિત રોપાઓ શરૂઆતના પાંદડાંઓ પર કથ્થાઈ જખમ દર્શાવે છે અથવા અંકુરણ બાદ તુરંત મૃત્યુ (તરત નાશ) પામે છે. જુના છોડના નીચેના પાંદડામાં કથ્થાઈ રંગ નો સડો(ક્યારેક પાંદડાની દાંડીમાં કથ્થઈ સુગંધિત ઘટકો) જોવા મળે છે અને છોડની નીચેની તરફ બે ગાંઠો વચ્ચે ના ભાગમાં રાખોડી કથ્થાઈ રંગના ડાઘ જોવા મળે છે જે બાદમાં ઉપર તરફ વધે છે. ગંભીર ચેપ ના કિસ્સામાં થડમાં સડો લાગે છે અને નારંગી રંગની ફુગ ની વૃદ્ધિ જોઈ શકાય છે. પ્રતિકૂળ હવામાનમાં તે કદાચ તૂટીને જમીન ઉપર પડી શકે છે. કળીયો ઉપર નાના, કથ્થઈ, પાણી શોષાવાથી નિર્માણ થતાં જખમ દેખાઈ શકે છે, અને આ તબક્કામાં તે લીલા રંગના હોવા જોઈએ છતાં તેનો રંગ સફેદ પડતો થઈ જાય છે. ગરમ અને ભેજવાળા વાતાવરણમાં, ડૂંડા માં રહેલ કાંટામાં નારંગી રંગના ફૂગના કોષો જોઈ શકાય છે અને પુષ્પપત્ર જાંબુડી-કથ્થાઇ રંગનું બને છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

વ્યાપકરીતે ફેલાયેલ જમીનમાં રહેતા ઠંડી-પ્રતિરોધક બેક્ટેરિયા અસરકારક રીતે ફૂગના જીવન ચક્ર પર અસર કરે છે અને ચેપની ગંભીરતામાં ઘટાડો કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બીજની સારવાર માટે એઝોલ્સ (દા.ત. ટ્રાયઍડ઼ીમેનોલ, બીટરતેનોલ, પરોથીઓકોનેઝોલ) અથવા સ્ટ્રોબીલુરીન્સ (દા.ત. ફલુઓક્સસ્ટ્રોબીન) અને ફૂબેરીડેઝોલ અથવા આઈપ્રોડીઓને વાપરી શકાય તેવા રસાયણો છે .

તે શાના કારણે થયું?

માટીજન્ય ફૂગ એમ. નિવાલેને કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે ઉનાળા દરમિયાન છોડના કાટમાળ અથવા જમીનમાં અસ્તિત્વ ધરાવે છે. પાનખરમાં અથવા ઠંડા શિયાળામાં અને ભેજવાળા હવામાન દરમ્યાન, ફૂગ વિકાસ પામે છે અને રોગના બીજ નિર્માણ કરે છે કે જે રોપાઓ અને નીચલા પાંદડાને સંક્રમિત કરે છે. આ રોગના બીજ પવન અને ઉપર પડતા પાણી દ્વારા ફેલાય છે. તેઓ છોડના અન્ય ભાગો અને ખેતરમાં અન્ય પાકને બગાડે છે, અને ગંભીર ચેપ પેદા કરે છે. 18 થી 20 ° સે તાપમાન વચ્ચે ફૂગની ઉત્તમ વૃદ્ધિ થાય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે -6 ° C થી નીચી અને 32 ° સે જેટલા ઊંચા તાપમાને પણ ઊગી શકે છે. છોડના નીચલા ભાગો ચેપ ઠંડી, સૂકી અવસ્થા હેઠળ થાય છે, જ્યારે ડૂંડા પરનો ચેપ ભીના, ગરમ સમયગાળા દરમ્યાન ફેલાય છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતો ઉગાડો.
  • નાઈટ્રોજન અથવા ચૂનાયુક્ત અતિશય ખાતર આપવાનું ટાળો.
  • જમીનની સપાટી પર ભેજ ઘટાડવા માટે પ્રયાસ કરો દા.ત.
  • પાણીના નિકાલની વ્યવસ્થા દ્વારા અથવા માટીને ખોદીને.
  • લણણી પછી કાળજીપૂર્વક છોડના કાટમાળને દૂર કરો.
  • બાકીના રોગના બીજકણ દૂર કરવા જમીનની ખેડ કરો.
  • પાનખર ઋતુમાં પોટેશિયમથી સમૃદ્ધ સંયોજન આપવાથી એમ.
  • નીવાલીસનો ફેલાવો અટકે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો