Ceratocystis paradoxa
ફૂગ
5 mins to read
કાપા અથવા જંતુઓથી ઉદ્દભવતા જખ્મો દ્વારા ફૂગ વાવણીની સામગ્રીમાં પ્રવેશે છે. તે પછી આંતરિક પેશીઓ દ્વારા ઝડપથી ફેલાય છે. તેઓ પહેલા લાલ થાય છે અને પછી કથ્થઇ કાળા અને કાળા થાય છે. સડવા ની પ્રક્રિયા થી પોલાણ થાય છે અને વધારે પાકેલા અનાનસ જેવી લાક્ષણિક ગંધ બહાર આવે છે. આ ગંધ કેટલાક અઠવાડિયા સુધી આવી શકે છે. ચેપવાળા પાક ના મૂળિયા નિર્માણ કરવામાં નિષ્ફળ જાય છે, પ્રારંભિક કળીઓ વધવા માં નિષ્ફળ થાય છે, અને જો તે કળીઓ ઉગે છે તો તે મુરઝાઈ જાય છે અથવા અવિકસિત રહે છે.
જો વાવણીની મોસમમાં વિલંબ થાય તો વાવણી કરતા પહેલા છોડ ના સમૂહ ને ૩૦ મિનિટ ગરમ પાણીમાં (51 ° C પર) રાખો. જમીનમાં ના ઉગ્યા હોય એવા સાંઠા ને શોધો અને તેમને ચીરીને રોગના (સડો અને ખરાબ ગંધ) સંકેત જુઓ.
જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.ફૂગનાશક દવાઓની સારવાર આર્થિકરૂપે બિનતરફેણકારી હોઈ શકે છે.
વાવણી પછી પહેલા અઠવાડિયામાં જીવાત થાય છે. ફૂગ પવન અથવા પાણીમાં અને સિંચાઈ ના પાણી મા બીજકણ દ્વારા ફેલાય છે. જંતુઓ, ખાસ કરીને ભમરો, બીજકણને સમૂહમા ફેલાવે છે. બીજકણ ઓછામાં ઓછા એક વર્ષ માટે જમીનમાં જીવી શકે છે. ચેપગ્રસ્ત છોડ પર તેઓ ઘણા મહિના જીવી શકે છે. વરસાદ પછી જ્યાં પાણી બાકી રહે છે તે જગ્યાએ રોગની સંવેદનશીલતામા વધારો કરી શકે છે. ૨૮ ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ ના તાપમાન મા ફૂગ નો ઝડપથી વિકાસ થાય છે.લાંબા સમય સુધી દુષ્કાળ પણ રોગ પેદા કરતા જીવાણુ માટે શેરડીની સંવેદનશીલતાને વધારે છે.