અન્ય

ગુંદરનું ઝરણ

Botryosphaeria dothidea

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ઝાડની કુમળી ડાળીની ગાંઠના કેન્દ્રમાં ઉપસેલ ફોલ્લો વિકાસ પામે છે.
  • ફોલ્લાથી સુકાયેલ જખમ નિર્માણ થાય છે અને તેમાંથી રાત રંગના ગુંદરનો સ્ત્રાવ થાય છે.
  • જૂની ડાળીમાં જખ્મ એકરૂપ થઈને મોટા ઘા ની રચના કરે છે.

માં પણ મળી શકે છે

7 પાક
બદામ
સફરજન
જરદાળુ
કેરી
વધુ

અન્ય

લક્ષણો

ઝાડની ડાળીમાંથી મોટા પ્રમાણમાં નીકળતા ગૂંદરને કારણે રોગનું આવું નામ છે. શાખા, ડાળી કે થડની છાલ પર લગભગ 1-6 મિમિ વ્યાસના નિર્માણ થતાં ફોલ્લા દ્વારા રોગના પ્રારંભિક લક્ષણો દેખાય છે. સામાન્ય રીતે આ ફોલ્લાંઓ ગાંઠના કેન્દ્રમાં હોય છે અને રોગ પેદા કરતા જીવાણુ માટે મુખ્ય પ્રવેશને અનુરૂપ હોય છે. ઋતુની શરૂઆતમાં જ ચેપ લાગે છે પરંતુ તેના લક્ષણો માત્ર નીચેના પછીના વર્ષ દરમિયાન જ જોઈ શકાય છે. જેમ જેમ ઝાડનો વિકાસ થાય છે તેમ, તે ગાંઠ સામાન્યરીતે દેખાતી નથી અથવા ગેરહાજર બને છે, પરંતુ તેની આસપાસનો વિસ્તાર સુકાયેલ અને વિકૃત રંગનો બને છે. આ જખમમાંથી વિપુલ માત્રામાં રાતા-કથ્થાઈ રંગના ગુંદરનો સ્ત્રાવ થાય છે કે જે ખાસ કરીને ભારે વરસાદ પછી નજરે ચડે છે. પછી ગુંદર સુકાઈ છે અને ઘેરા કથ્થાઈ કે કાળા રંગનો બને છે. જયારે 2 સે.મી. કરતાં મોટા જખમ એકરૂપ થાય છે ત્યારે મોટા ઘા ની રચના થાય છે. ગંભીર ચેપના કિસ્સામાં, સુકારો આંતરિક પેશીઓ સુધી ફેલાય છે અને સમગ્ર શાખા ફરતે પટ્ટો રચાય છે, જેનાથી છેવટે તે નાશ પામે છે. ફૂલો, પાંદડાં અને ફળોને સામાન્ય રીતે ચેપ લાગતો નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ રોગ માટે કોઈ જ જૈવિક સારવાર નથી. એક હળવા બ્લીચ (10%) અથવા આલ્કોહોલ ઘસવાથી કાપણીના સાધનોને ચેપમુક્ત કરી શકાય છે અને આમ વાડીમાં ફૂગનો ફેલાવો થતો ટાળી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બાહ્ય ઘા ના લક્ષણો ઘટાડવા માટે ફુગનાશકનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તે રોગ પેદા કરતા જીવાણુ સામે લાંબા ગાળા સુધી નિયંત્રણ પૂરૂ પાડતા નથી. ક્રેસિઓકસીમ-મિથાઇલ અને ટ્રાયફલોક્સીસ્ટ્રોબીન પર આધારિત ફુગનાશકના ભલામણ હોય તે રીતે છંટકાવ કરવાથી ઘા ના બનાવ અને કદમાં સતત ઘટાડો થાય છે. હવામાં ધડાકા સાથે કરવામાં આવતા છંટકાવ તરીકે પણ ક્રેસિઓકસીમ-મિથાઇલ થી સારવાર અસરકારક બની રહે છે.

તે શાના કારણે થયું?

આ જ પરિવારની અન્ય ફૂગ સામેલ હોય શકે છે છતાં રોગના લક્ષણો મુખ્યત્વે બોટ્રીઓસ્ફેરિયા દોથીડીઆ ફૂગના કારણે નિર્માણ થાય છે. આ જીવાણુઓ રોગગ્રસ્ત છાલ અને મૃત શાખાઓમાં ચેપના સમયગાળા દરમ્યાન ટકી રહે છે. તેઓ વસંત દરમ્યાન રોગના બીજકણ નિર્માણ કરવાનું શરૂ કરે છે અને એક વર્ષ સુધી આમ કરવાનું ચાલુ રાખે છે. ત્યારબાદ આ બીજકણ વરસાદના છાંટા કે સિંચાઇના પાણી દ્વારા સમગ્ર વાડીમાં ફેલાય છે. તેઓ સામાન્ય રીતે નવા ઝાડને વર્તમાન ઝખ્મ અથવા છાલ પરની કુદરતી નિશાની, જેને ગાંઠ કહેવાય છે, દ્વારા ઝાડને સંક્રમિત કરે છે. લાંબા સમય સુધી ભીની અને ભેજવાળી સ્થિતિમાં ચેપની પ્રક્રિયાની તરફેણ થાય છે. શારીરિક કે રાસાયણિક ઇજા અને અન્ય બિન-જીવાણુ કારણોથી (ઉદાહરણ તરીકે પાણીની તાણ) પણ ગુંદરનું ઝરણ થઇ શકે છે. ખાસ કરીને નબળી દેખભાળ વાળી વાડીમાં રોગથી નુકસાન થઇ શકે છે. અત્યાર સુધી ઉપલબ્ધ, કોઈપણ વૃક્ષમાં ફુગથી થતા ગુંદરના ઝરણ સામે યોગ્ય પ્રતિકાર સ્તર જોવા મળેલ નથી.


નિવારક પગલાં

  • વૃક્ષોમાં રોગ પ્રત્યે કુદરતી પ્રતિકારશક્તિ વધારવા માટે સંતુલિત ખાતર આપવાનું જાળવી રાખો.
  • થડ ભીનું ન થાય તેવી સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ કરો.
  • ઉપયોગમાં લીધા બાદ કાપણીના સાધનોને ચેપમુક્ત કરો અથવા અસરગ્રસ્ત વૃક્ષની કાપણી છેલ્લા કરો.
  • વરસાદ અથવા સિચાઈ અથવા જ્યારે પાંદડાં ભીના હોય તેના પહેલા કે તુરંત પછી કાપણી કરવાનું ટાળો.
  • ઝાડમાં સારો હવાઉજાસ મળે તેવી કાપણીની પદ્ધતિઓનો ઉપયોગ કરો.
  • વાડી અને તેની આસપાસમાંથી નીંદણ દૂર કરો.
  • શિયાળાની કાપણી દરમિયાન અનુત્પાદક અને રોગગ્રસ્ત લાકડાંને દૂર કરો.
  • ડાળીને દૂર કરો અને બાળીને અથવા વાડીથી દૂર દફનાવીને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો