ઓલિવ

ઓલિવનાં પાંદડાં પર ઝિર્કોસ્પોરા ટપકાં

Pseudocercospora cladosporioides

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની ઉપરની સપાટી પર પીળાશ પડતા વિસ્તારો, જે પાછળથી કથ્થઈ રંગના સુકાયેલા બની જાય છે.
  • ફુગના વિકાસના લીધે નીચલી સપાટી સીસા જેવી-રાખોડી રંગની બને છે.
  • પાંદડાં ખરી પડવાના કારણે વિકાસ અવરોધાય છે અને વિકૃત ફળોનું નિર્માણ થાય છે.

માં પણ મળી શકે છે

1 પાક
ઓલિવ

ઓલિવ

લક્ષણો

પાંદડાની ઉપર અને નીચેની સપાટી પર રોગના લક્ષણો અલગ અલગ હોય છે. ઉપરની સપાટી પર, અનિયમિત, પીળાશ પડતા ટપકાં દેખાય છે, જે પાછળથી કથ્થઈ રંગના અને સુકાયેલા બને છે. તેનાથી વિપરીત, પાંદડાની નીચલી સપાટી પર ચાઠાં દેખાય છે જે ફૂગના વિકાસને કારણે ધીમે ધીમે ગંદા રાખોડી રંગમાં ફેરવાય છે. ત્યારબાદ પાંદડાઓ પીળા, લાલ-કથ્થઈ રંગના બની, અકાળે ખરી શકે છે, અને જેનાથી ગંભીર કિસ્સાઓમાં પાનખરનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે અસરગ્રસ્ત શાખાઓ અથવા વૃક્ષો નો વિકાસ અટકેલો દેખાય છે. ફળો પર નાના, કથ્થઈ ડાઘ કે ટપકાં દેખાઈ શકે છે અને તે મોડેથી, અનિયમિત રીતે પાકી શકે છે. ઘણીવાર આ લક્ષણો ફ્યુસિકલેડીયમ ઓલિન્જીનિયમ જેવા અન્ય પરોપજીવી, કોલેટોટ્રીચમની પ્રજાતિઓ અથવા એબાયોટિક પરિબળોને કારણે નિર્માણ થતા લક્ષણો જેવા જ દેખાય શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

રોગને નિયંત્રિત કરવા માટે વરસાદ પડ્યા પછી અથવા લણણી બાદ તુરંત બોર્ડેક્સ મિશ્રણ જેવા કાર્બનિક કોપર સંયોજનો લાગુ કરવા જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. પાંદડાંને રક્ષણાત્મક આવરણ મળી રહે તે માટે કોપર હાઇડ્રોક્સાઇડ, કોપર ઓક્સિક્લોરાઇડ, ટ્રાયબેસિક કોપર સલ્ફેટ અથવા કોપર ઓક્સાઇડ જેવા સ્થાયી કોપર ધરાવતા રસાયણનો છંટકાવ કરી શકાય છે. પાનખર અને શિયાળાના વરસાદથી ફૂગના કણોનો ફેલાવો થાય તે પહેલા, લણણી પછી તરત આ કોપર આધારિત રસાયણોનો છંટકાવ કરવો જોઈએ. ફળની ગુણવત્તા બગડે નહિ તે માટે લણણીના સમયની આસપાસ તેનો ઉપયોગ કરવો ન જોઈએ.

તે શાના કારણે થયું?

કોરોસ્પોરા ક્લાડોસ્પોરીઓઇડ્સ ફુગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે વૃક્ષ પર રહેલ ચેપગ્રસ્ત પાંદડા પર, ખાસ કરીને તેના ડાઘમાં, ટકી રહે છે. જયારે તે ફરી વિકાસ શરૂ કરે છે, ત્યારે આ ડાઘ મોટા થાય છે અને તેમાં રોગના નવા બીજકણનો વિકાસ થાય છે. નવો ચેપ વરસાદ સાથે સંકળાયેલ છે અને મોટેભાગે તે શિયાળા દરમિયાન નિર્માણ થાય છે. ઉનાળામાં, મોટાભાગના રોગગ્રસ્ત પાંદડા ખરી ગયા હોય છે, અને આંશિક રીતે ખરી ગયેલ અંકુરો ની ટોચ પર થોડા તાજા પાંદડાં રહી ગયા હોય છે. ઊંચા તાપમાને ફૂગના જીવન વિકાસ રૂંધાય છે. આ રોગથી આર્થિક નુકશાન થાય તેટલો વિકાસ થતાં ઘણા વર્ષો લાગી શકે છે.વધુ પડતા પાનખર અને મોડેથી તથા અનિયમિત રીતે પાકતા ફળોના કારણે તેલની ઉપજમાં ઘટાડો થાય છે.


નિવારક પગલાં

  • રોગના લક્ષણો જોવા માટે નિયમિત રીતે વૃક્ષોનું નિરીક્ષણ કરો.
  • નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વધુ પડતો ઉપયોગ કરવો નહિ, પરંતુ પૂરક તરીકે પર્યાપ્ત કેલ્શિયમ પૂરું પાડો.
  • શક્ય હોય ત્યારે ઉપરથી પડતાં પાણીની સિંચાઇ ટાળો.
  • પાંદડાં અને ફાળો ઝડપથી સુકાઈ શકે તે માટે ઝાડમાં પૂરતી હવાની અવરજવર થઇ શકે તે રીતે પાંદડાની ગીચતા હોય તેની ખાતરી કરો.
  • યોગ્ય રીતે પંક્તિઓ લક્ષ્ય દ્વારા સારી વેન્ટિલેશન ખાતરી કરો.
  • પોષક તત્વો અને પાણી માટે હરીફાઈની પરિસ્થિતિ ઘટાડવા માટે વૃક્ષોની આસપાસથી નીંદણ દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો