દ્રાક્ષ

દ્રાક્ષમાં થતો ફુગજન્ય રોગ

Elsinoe ampelina

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • કુમળા પાંદડા પર નાના કથ્થાઈ ટપકાં.
  • રાખોડી રંગના, સુકાયેલ મોટા ચાઠાં.
  • ચાઠાં ખરી પડે છે અને પાંદડામાં છિદ્ર બનાવે છે.
  • ડાળી અને અંકુરને પણ અસર થાય છે.
  • ફળ પર કથ્થાઈ કિનારી વાળા રાખોડી રંગના જેવા ટપકાં.

માં પણ મળી શકે છે


દ્રાક્ષ

લક્ષણો

વેલાના તમામ લીલા ભાગ પર, પાંદડા, કળીઓ, ડાળી અને વાંકળિયા દોરી જેવા અંકુર, ફૂગની અસર થઇ શકે છે. જોકે મોટા ભાગે, કુમળી, ઝડપથી વધતી પેશીઓને વધુ અસર થાય છે. પાંદડાની ઉપરની સપાટી પર, નાની કથ્થાઈ રંગની ફોલ્લીઓ નિર્માણ થાય છે. જેમ જેમ તે મોટી થાય છે, તે અનિયમિત આકારની બને છે અને તેનું કેન્દ્ર રાખોડી રંગનું અને સુકાયેલ બને છે. આખરે, નાશ પામેલ કોષો ખરી પડે છે, અને કાણાં નિર્માણ કરે છે. એવા જ પ્રકારના ટપકાં અને જખમ ડાળી અને અંકુર પર દેખાય છે અને જેનાથી ગોળફરતે પટ્ટો રચાય છે, જેમાં ફૂગનો વિકાસ થાય છે અને નાશ થાય છે. ફળો પર નાના, ગોળ, જાંબલી રંગના ટપકાંનો પણ વિકાસ થાય છે. તે ધીમે ધીમે વિસ્તરણ પામે છે અને કથ્થાઈ કિનારી સાથે શોષાયેલ, રાખોડી રંગના બને છે. જયારે તે સપાટીને આવરી લે છે, ત્યારે દ્રાક્ષ નબળી પડે છે અને ખરી પડે અથવા ઝૂમખામાં શબ જેવી બને છે. વિશિષ્ટ રાખોડી કેન્દ્રો વાળા ટપકાં આ રોગનું “પક્ષીની આંખ જેવો સડો” જેવું સામાન્ય નામ પુરવાર કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

વસંતઋતુના પ્રારંભમાં, અંકુર ફૂટતાં પહેલા, રોગ પેદા કરતા જીવાણુના બનાવ ટાળવા માટે પ્રવાહી લાઇમ સલ્ફર અથવા કોપર નો છંટકાવ કરી સારવાર કરવામાં આવે છે. ફુગનાશકનો ઉપયોગ જૈવિક પ્રમાણપત્રના કાર્યક્રમ હેઠળ પરવાનગી આપે છે, તેની ખાતરી કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ખેતીની સારી પધ્ધતિ અને ફૂગનાશકોનો સમયસર રક્ષણાત્મક છંટકાવ કરવાથી એન્થ્રાક્નોઝને નિયંત્રિત કરી શકો છો. કળીઓ આવવાના સમયે પ્રવાહી લાઇમ સલ્ફર અથવા બોર્ડેક્સ મિશ્રણનો છંટકાવ કરવાથી એન્થ્રાક્નોઝની સમસ્યા ઘટાડવામાં મદદ મળે છે. કેપ્ટન, ક્લોરોથેલોનીલ અને મેન્કોઝેબ એ નવા વિકાસ પામતા ભાગો અને ફળને રક્ષણ આપતાં જંતુનાશક તરીકે નોંધણી પામેલ છે. અંકુર ફૂટવાથી લઈને ફળ આવવાની શરૂઆત સુધી 2-સપ્તાહના અંતરાલે છંટકાવ કરવો.

તે શાના કારણે થયું?

એલ્સીનો ઈમ્પૅલીના (Elsinoe ampelina) ફૂગના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તે ઠંડી દરમ્યાન ચેપગ્રસ્ત વેલાના અંકુર અને છાલ પર ટકી રહે છે. વસંત દરમિયાન, તે રોગના બીજકણ નિર્માણ કરે છે અને છુટા પાડે છે કે જે વરસાદના છાંટા દ્વારા ફેલાય છે. પવન અને વરસાદ રોગના બીજકણોને કુમળા, વિકાસપામતાં પાંદડાં અથવા અંકુર પર ફેલાવે છે. પેશીઓમાં લાંબા સમય માટે ભેજ (12 કલાક કે તેથી વધુ) અને 2 થી 32 ° સે તાપમાન રોગના બીજકણોનું ઉત્પાદન અને અંકુરણની તરફેણ કરે છે. તાપમાન અને ભેજ જેટલો વધુ, ચેપ તેટલો જ વધુ હશે અને રોગના લક્ષણો વહેલા દેખાશે. ઠંડા હવામાન દરમ્યાન ફૂગની વૃદ્ધિ ધીમી પડી જાય છે. પાનખર અને ફળને સીધા નુકસાનના કારણે ઉપજ અને ફળોની ગુણવત્તાને ગંભીર અસર થાય છે.


નિવારક પગલાં

  • યોગ્ય સૂર્યપ્રકાશ અને હવાઉજાસ વાળા ખેતર પસંદ કરો.
  • જો ઉપલબ્ધ હોય તો, વધુ સહિષ્ણુ જાતોનો ઉપયોગ કરો.
  • વેલા વચ્ચે યોગ્ય અંતર રાખવાની ખાતરી કરો.
  • ઘરેલુ દ્રાક્ષ, ચેપગ્રસ્ત કચરાને આવરી લેવા માટે લીલા પાંદડાં કે ડાળીના બારીક ભૂકાનો ઉપયોગ કરો.
  • બગીચાની નજીકમાં આવેલ જંગલી દ્રાક્ષના વેલાને દૂર કરો.
  • વેલાનું નિરીક્ષણ કરો અને રોગના લક્ષણો બતાવતાં ફળ અથવા વનસ્પતિના ભાગોને દૂર કરો.
  • શિયાળાની શરૂઆતમાં નિષ્ક્રિયતાના ગાળા દરમ્યાન વેલાના નકામા ડાળ, ડાંખળાં, પાન, વગેરે કાપી લઇ છાંટાણી કરવી.
  • બગીચામાં માંથી છોડના અવશેષો દૂર કરો.
  • ખેતર ખેડી અને છોડના અને ફળોના અવશેષોને દફનાવી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો