ખાટાં ફળો

રંગમાં વિકૃતિ

Phoma tracheiphila

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • વસંત ઋતુમાં અંકુર અને પાંદડાંની નશો વચ્ચે પીળાશ પડતો રંગ દેખાય છે અને પછી ડાળીનો નાશ થાય છે.
  • ફણગો અને ચૂસકો અનુક્રમે ચેપગ્રસ્ત શાખાઓ અને કલમના પાયામાં વિકસે છે.
  • આંતરિક નળીઓમાં ગુંદર નિર્માણ થાય છે, જે ગુલાબી અથવા કેસરી રંગનું વિકૃતિકરણ દર્શાવે છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

શરૂઆતમાં લક્ષણો કોઈ એક ડાળી અથવા ભાગ પર જોવા મળે છે, અને જો તેને અટકાવવામાં ન આવે તો ઝાડના બાકીના ભાગમાં તેનો ફેલાવો થઇ શકે છે અને જેના કારણે પછી તેનો નાશ થાય છે. વસંતઋતુમાં લક્ષણો પ્રથમવાર અંકુર અને પાંદડાની નસોની વચ્ચે પીળાશ અને ત્યારબાદ ડાળી અથવા ઝાડના નાશ તરીકે જોવા મળે છે. કરમાઈ ગયેલ ડાળીઓમાં રહેલા રાખોડી વિસ્તારમાં ઉપસેલો કાળો ભાગ રોગના કણોથી ભરેલ દ્રવ્ય દર્શાવે છે. અસરગ્રસ્ત ડાળીના પાયાના ભાગમાં ફણગાનો વિકાસ અને કલમમાં સામાન્યરીતે જોવા મળતાં ચૂસકો, એ રોગના કારણે અસર પામેલ યજમાન ઝાડના સામાન્ય પ્રતિભાવ છે. જ્યારે અસરગ્રસ્ત ડાળી, શાખાઓ અથવા થડના લાકડાને કાપવામાં આવે અથવા તેની છાલ ઉતારવામાં આવે, તો તેમાં ગુલાબી અથવા કેસરી-લાલ રંગની વિકૃતિ જોવા મળે છે. આ આંતરિક લક્ષણો તેમાં નિર્માણ થતાં ગુંદર સાથે સંકળાયેલ છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

રોગ પેદા કરતા જીવાણુ સામે કોપર પર આધારિત ફુગનાશક વાપરી શકાય છે. પાનખર થી વસંત દરમ્યાન ના ખુબ જ સંવેદનશીલ સમયમાં ઝાડની ટોચ પર કોપર ફુગનાશકથી વારંવાર સારવાર કરવી જોઈએ. સ્યુડોમોનાસ બેક્ટેરિયા ર્હીઝોસફેરે ની વૃદ્ધિ અટકાવે છે, ઉદાહરણ સ્યુડોમોનાસ ફ્લોરેસેંસ અને સ્યુડોમોનાસ પુતીડા પણ ફોમા ટ્રૅચિફિલા ની વૃદ્ધિને ખેતરમાં અટકાવે છે એવું જોવા મળ્યું છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. ફોમા ટ્રૅચિફિલા ના નિયંત્રણ માટે ઝીરમ (ઝીંક ડાઇમિથાઇલડાયથીઓકાર્બામેટ) પર આધારિત ઉત્પાદનો ખૂબ જ અસરકારક હોય છે. નિવારક સારવાર તરીકે કાર્બોક્સીન અને બૅઝિમિડેઝોલ જેવા ઉત્પાદનો પણ અસરકારક હોય છે. ઠંડી, કરાનું તોફાન, અથવા ભારે પવન જેવી હવામાન પરિસ્થિતિઓ, કે જે ઝાડ પર જખ્મ નિર્માણ કરી શકે છે, પછી એક રક્ષણાત્મક અને પ્રણાલીગત ફૂગનાશકના મિશ્રણથી સારવાર કરવાની ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

પાંદડા, શાખાઓ અને મૂળમાં રહેલ ઘાવ મારફતે ફૂગ તેમાં પ્રવેશ કરે છે. રોગના કણો પાણીજન્ય હોવાનું માનવામાં આવે છે. ફૂગ ચાર કરતાં વધુ મહિના માટે જમીનની અંદર રહેલ ચેપગ્રસ્ત ડાળી અથવા શાખાઓમાં જીવી શકે છે. કેટલાંક અઠવાડિયા સુધી આ ચેપ માટેનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની રહે છે. વરસાદના છાંટાં અથવા ઉપરથી પડતાં પાણીની સિંચાઈ ના કારણે રોગના કણો વૃક્ષો અને કાટમાળ માંથી ફેલાય છે. કેટલાક હવાજન્ય પણ હોઈ શકે છે. સામાન્ય રીતે ફૂગ તેના પ્રારંભિક સ્રોતથી, 15 અને 20 મીટર વચ્ચે, ના ટૂંકા અંતર સુધી ફેલાય શકે છે, જોકે પ્રવર્તમાન પવનની દિશા તેનું અંતર વધારી શકે છે. જે તાપમાનમાં ચેપ નિર્માણ થાય છે તેની મર્યાદા, 14 અને 28° સે વચ્ચે હોય છે, અને 20-25 ° સે શ્રેષ્ઠ હોય છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્ત્રોત માંથી જ બિયારણની ખરીદી કરો.
  • જો વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો, પ્રતિરોધક જાતની રોપણી કરો.
  • આ રોગ જે વિસ્તારમાં સામાન્ય હોય તેવી નર્સરીના છોડનો ઉપયોગ કરશો નહીં.
  • પ્રથમ લક્ષણો દેખાય કે તરત જ ઝાડની કાપણી કરો.
  • વાડી નું નિયમિતપણે નિરીક્ષણ કરો અને ચેપગ્રસ્ત છોડના ભાગનો, જેમકે ઉખાડી કાઢેલા થડ, તરત જ નાશ કરો.
  • ખેતીની કામગીરી દરમિયાન છોડને નુકસાન થતું અટકાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો