ખાટાં ફળો

સાઈટ્ર્સમાં ભીંગડા

Elsinoe fawcettii

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ઘાટી તેજસ્વી રંગની પરુંવાળી ફોલ્લીઓ.
  • પછીથી તે છીકણી રંગની ટોચવાળી શંકુ આકારની વિકૃતિમાં ફેરવાય છે.
  • ખરબચડી કિનારીઓવાળા અને વિકૃત, કરચલીઓ ધરાવતાં તથા કરમાયેલા પાંદડા.
  • ફળ, ડીંટા, ડાળખીઓ અને અંકુર પણ અસરગ્રસ્ત બને છે.
  • રૂંધાયેલો અને ઝાંખરા જેવો વિકાસ.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

વૃક્ષની જાતિ અને પર્યાવરણીય પરિસ્થિતિઓના આધારે લક્ષણો થોડા બદલાય છે. સામાન્ય રીતે, સૌ પહેલાં યુવાન પાંદડાઓ પર પાણીથી ભીંજાયેલ ડાઘ જોવા મળે છે. પછીથી તે પાંદડાની બંને બાજુ ક્રીમ જેવા પીળા કે તેજસ્વી રંગની પરુંવાળી ફોલ્લીમાં વિકસે છે. જેમ જેમ રોગની તીવ્રતા વધે છે, તેમ આ ફોલ્લીઓ મોટા અનિયમિત, શંકુ આકારની રચનામાં ફેરવાય છે, જેને છીકણી રંગની રેશમી ટોચ હોય છે, જે પાંદડાની સપાટીના મોટાભાગને આવરી લે છે. જૂનો ડાઘ ખરબચડી સપાટી ધરાવે છે, જેના પર તિરાડો જોવા મળી શકે છે. અસરગ્રસ્ત પાંદડાઓની કિનારીઓ ખરબચડી બને છે, અને પાંદડા વિકૃત, કરચલીઓ ધરાવતાં તથા કરમાયેલા દેખાય છે. યુવાન ડાળીઓ, ડીંટા અને ડાળખીઓ પણ આવા જ લક્ષણો દર્શાવે છે. રૂંધાયેલો અને ઝાંખરા જેવો વિકાસ, એ બંને સામાન્ય લક્ષણ છે. ફળો પર આ ફોલ્લીઓ થોડી ઉપસેલી અને ગુલાબીથી આછા છીકણી રંગની હોય છે. જેમ તે પાકે છે, તેમ તે ગીચ અને ઉપસેલ અને પીળાશ પડતાં છીકણી કે ભૂખરાં રંગના ઝખમમાં ફેરવાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ ફૂગની સામે કોઈ જૈવિક ઉપાય ઉપલબ્ધ નથી. કોપર પર આધારિત પ્રમાણિત જૈવિક ફૂગનાશકોનો ઉપયોગ કરી નવા ચેપના ઉદ્ભવ અને ફેલાવાને રોકી શકાય છે. આ ઉપાય વાપરતાં કાળજી રાખવી જરૂરી છે કારણ કે કોપરનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો તે ઝેરી સાબિત થઈ શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલા સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. Thiram, difenoconazole અને chlorothalonil પર આધારિત ફૂગનાશકોનો ઉપયોગ તેના ચેપને ફેલાતા અટકાવવા માટે કરવામાં આવે છે. બીજો વિકલ્પ પદ્ધતિસર ફૂગનાશકોનો છે. રોગકારક જીવો ફૂગનાશકનો પ્રતિકાર પણ કરે છે.

તે શાના કારણે થયું?

Elsinoe fawcettii અને E. australis નામની ફૂગ દ્વારા આ લક્ષણો જોવા મળે છે, જે સાઈટ્ર્સની અલગ અલગ જાતોમાં આવા જ લક્ષણો દર્શાવે છે. લીંબુ, ગ્રેપફ્રુટ, નારંગી વગેરે આ બંને ફૂગથી સંવેદનશીલ છે. Elsinoe fawcettii ઘણી બધી ખાટી નારંગી અને માત્ર અમુક જ ગળી નારંગીની જાતમાં ચેપ લગાડે છે. જયારે E. australis મોટાભાગે ગળી નારંગી અને લીંબુને ચેપગ્રસ્ત કરે છે, અને ખાટી નારંગીને યજમાન બનાવતી નથી. પાંદડા પર ગુલાબીથી છીકણી રંગની શંકુ આકારની રચના અને ફળ પર ઉપસેલ રચના ફૂગના બીજકણો ધરાવે છે, જે વરસાદ, ઝાકળ, પવન અને ફુવારા સિંચાઈ પદ્ધતિના કારણે આજુબાજુમાં ફેલાઈ શકે છે. આ બંને રોગકારક જીવોમાં E. fawcettii વધુ વિસ્તરેલ છે, પરંતુ E. australis આર્થિક રીતે વધુ નુકસાન કરે છે, કારણ કે તે વધારે પ્રચલિત લીંબુની જાતિને અસર પહોંચાડે છે.


નિવારક પગલાં

  • દેશનાં સંસર્ગનિષેધ નિયમો વિશે જાણકારી રાખો.
  • પ્રમાણિત સ્ત્રોતમાંથી આવતી રોપણીની સામગ્રીનો ઉપયોગ કરો.
  • જો ઉપલબ્ધ હોય તો, રોગ પ્રતિકારક જાતો વાવો.
  • સાઈટ્ર્સ પરિવાર સિવાયનાં અન્ય પાકો, જેવા કે એવાકાડો અથવા પપૈયા સાથે પાકની ફેરબદલી કરો.
  • ખેતર અને તેની આસપાસના ભાગોમાંથી નીંદણને સાફ કરી નાખો.
  • અસરગ્રસ્ત ઝાડ કે તેના ભાગોને અન્ય જગ્યા કે ખેતરમાં લઈ જશો નહી.
  • ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરશો નહી.
  • જૂની ડાળીઓ, ડીંટા અને ફળો વીણી બાગને સ્વચ્છ રાખો.
  • હવાની અવરજવર વધારવા ઝાડને થોડા કાપી આકાર આપો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો