ખાટાં ફળો

ખાટાં ફળો પર કાળા ટપકાં

Phyllosticta citricarpa

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • ફળ પર વિવિધ ટપકાં અને જખમ ના ચિન્હો.
  • જ્યાં સુધી ફળોનો સંપૂર્ણ વિકાસ થાય કે પરિપક્વ બને ત્યાં સુધી ચેપના લક્ષણો દેખાતાં નથી.
  • સામાન્ય રીતે વૃક્ષો પર સૂર્યપ્રકાશ હોય તે બાજુ પર લક્ષણો દેખાય છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

ફુગના કારણે વિવિધ પ્રકારના લક્ષણો નિર્માણ થાય છે, અને તે મુખ્યત્વે ફળો પર જોવા મળે છે. કડક જખમ થોડા મિલિમીટરનો વ્યાસ ધરાવે છે. આ ટપકાં આછા રંગના કેન્દ્ર અને ઘેરા કથ્થાઈ થી કાળા રંગનીકિનારી સાથે જ્વાળામુખીના મુખ જેવા દેખાય છે અને ઘણીવાર પરિપક્વ નારંગીના ફળ પર લીલા રંગની આભા ધરાવે છે. મેલાનોઝ પર ઉપસેલા ઘેરા બદામી કે કાળા રંગના કણો દેખાય છે કે જે લીલા ફળો પર એકરૂપ થઈ શકે છે. મસા જેવા ટપકાં રંગે નારંગી કે લાલ, ચપટાં, 1-3 મીમી વ્યાસ ધરાવતાં અને તે ઋતુના અંતમાં જોવા મળે છે. ઉંમર સાથે ટપકાં બદામી રંગના બને છે. કાંટા જેવા ટપકાં મોટા, સહેજ શોષાયેલા અને પરિપક્વ ફળ પર વિશાળ વિસ્તારમાં અનિયમિત રીતે ફેલાયેલા હોય છે. પાંદડાં પર સામાન્યરીતે જખમ જોવા મળતાં નથી, પરંતુ ક્યારેક આછા કેન્દ્ર અને કાળી કિનારી સાથે નાના, શોષાયેલ સુકાયેલા ટપકાં તરીકે લીંબુના ઝાડ પર જોવા મળે છે અને તેને ફરતે પીળાશ પડતી આભા હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ફાંસાના ઉપયોગથી રોગના બીજકણ અને વરસાદ તથા ઝાકળનું માપ કાઢવાથી ફુગનાશકથી સારવારનો સમય જાણવા માટે મદદ મળે છે. આ રોગ નિર્માણ કરતાં જીવાણું સામે ઘણાંબધાં કોપર આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરી શકાય છે. લણણી બાદ ફળોને ગરમ પાણીની સારવાર અથવા ફળો પર ખાદ્ય મીણની સારવાર કરવાથી પણ રોગ પેદા કરતા જીવાણુનું અસ્તિત્વ અને લક્ષણોના બનાવ ઘટે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધાયનમાં રાખો. સંગ્રહ કે પરિવહન દરમિયાન ફળો પર લક્ષણોને વિલંબિત કરવા નિવારક પગલાં તરીકે લણણી પહેલા તેની પર બૅઝિમિડેઝોલ ફુગનાશકનો છંટકાવ કરી શકાય છે. ગુઈઝેટીન અથવા ઈમેઝલીલ સાથે સારવાર કરવાથી કાળા જખમ માં રોગ પેદા કરતા જીવાણુનું અસ્તિત્વ ઘટે છે. સ્ટ્રોબીલ્યુરીન્સ, ડાયથીઓકાર્બેમેટ્સ અને બેન્ઝીમેડીઝોલ જેવા ફુગનાશક પણ આ ફૂગ સામે અસરકારક હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં પ્રતિરોધકતાનો પણ વિકાસ થયેલ જોવા મળે છે.

તે શાના કારણે થયું?

ઠંડી દરમિયાન ફૂગ પાંદડાંના ભંગાર માં ટકી રહે છે અને, વસંતઋતુ દરમિયાન રોગના જીવનું નિર્માણ કરવાનું શરુ કરે છે, આ પ્રક્રિયા પાંદડાના કચરામાં ક્રમિક ભીનાશ અને સૂકવણી ના કારણે ઝડપી બને છે. રોગાણુ વરસાદ કે સિચાઈ દરમિયાન વિખરાય છે, પવન અને પાણી દ્વારા ફેલાઈને સંવેદનશીલ પેશી પર સ્થળાંતરિત થઇ તેના પર અંકુરિત થાય છે. પાંદડાઓ 10 મહિના સુધી અને ફળો 4-5 મહિના દરમિયાન સંવેદનશીલ હોય છે. સંક્રમણ બાદ, ફૂગ છાલના આંતર અને બાહ્ય પડ વચ્ચે વસાહત નિર્માણ કરે છે. સામાન્યરીતે જ્યાં સુધી ફળ પરિપક્વ બને નહીં ત્યાં સુધી ચેપ પાંદડાં પર નિષ્ક્રિય અને અદ્રશ્ય રહે છે. પાંદડા પર ચેપ સામાન્ય રીતે છુપાયેલો રહે છે, પરંતુ જૂના પાંદડાઓ પર ટપકાં જોવા મળી શકે છે. પાંદડાં પરના જખમમાં સામાન્ય રીતે ચીકણો સમૂહ હોય છે, કે જે ભેજવાળી પરિસ્થિતિમાં ઓગળી તેમાં રોગના બીજ પેદા કરે છે. વારંવાર વરસાદ અને પાણીના છાંટાંથી રોગ ઝડપથી ફેલાય છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ છોડ માટેની તંદુરસ્ત સામગ્રીનો ઉપયોગ કરો.
  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતો લગાવો.
  • ખાટાં ફળોના ઉપવનમાં પાંદડાં પરની ભીનાશ અટકાવવા માટે હવાની અવરજવર મહત્તમ થવી જોઈએ.
  • રોગના સંકેતો જોવા માટે વાડીનું નિયમિત નિરીક્ષણ કરો.
  • તમારા છોડમાં કુદરતી પ્રતિકારશક્તિ વધારવા માટે તમારા પાકમાં યોગ્ય ખાતર પૂરું પાડો.
  • મોસમ અને પડતર ઋતુ દરમિયાન ચેપગ્રસ્ત છોડની સામગ્રીને દૂર કરો અને તરત જ તેનો નાશ (સળગાવીને, જમીનમાં દાટીને અથવા પશુને ખવડાવીને) કરો.
  • સંગ્રહ દરમિયાન જખમનો વિકાસ ઝડપી ન બને તે માટે ફળોને શક્ય તેટલી ઠંડી અને સૂકી જગ્યાએ રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો