Rhizoctonia solani
ફૂગ
5 mins to read
બીજની દાંડી પર ઊંડા, અંડાકાર અથવા અનિયમિત આકારના અને લાલ,ભૂરા કે કાળા ડાઘ દેખાય છે. આ રોગ કપાસના રોપાઓની દાંડીને કચડી નાખતો હોવાથી છોડ ઘણીવાર મરી જાય છે. ઘાની સપાટી પર ફૂગ હાજર હોય છે, જેમાંથી જમીનના કણો પર ફેલાય છે. ચેપ અને ઘાનો વિકાસ વારંવાર માટી રેખા નીચે થાય છે, પરંતુ જેમ ડાળીઓ વધે છે તેમ માટીની સપાટી પર ડાઘ દેખાઈ શકે છે.
આવતા ૪-૫ દિવસમાં જો ઠંડક અથવા વરસાદી હવામાનની આગાહી હોય તો વાવણી ન કરશો. ૫ સેમીથી ઊંડું ન વાવશો.
જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાંઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. એટ્રીડાયઝોલ, કોપર ઓક્સિક્લોરાઇડ, ટોલકલોફોસ-મિથાઈલ, થિયાબેંડાઝોલ અને કપ્તાન જેવા ફૂગ્નાશકો ઝડપથી કપાસમાં રોગનું નિવારણ લાવી શકે છે.
આ લક્ષણો રહિઝોકટોનિઆ સોલાની નામની ફૂગ દ્વારા થાય છે, જે મોટા ભાગના યજમાનોને અસર કરે છે. વાવણી વખતે બિયારણને થતું નુકસાન ચેપને પ્રોત્સાહન આપે છે. જયારે માટીની રેખા નજીક ડાઘ થાય છે ત્યારે ઘણીવાર તેની ભારે પવનના લીધે ડાળી અને જમીન વચ્ચે થતા ઘર્ષણના ઘાવ તરીકે ગેરસમજણ થાય છે. જેમ બીયારણ પાકે છે તેમ મૂળનો વિકાસ થવાથી મૂળના છોડ કડક બની જાય છે.