પપૈયા

પપૈયા માં પાવડરી ફૂગ

Oidium caricae-papayae

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની નીચેની સપાટી પર પાણી શોષાયેલા કણોવાળા ટપકા ,જે પાછળથી પાવડરી ચાઠા થઈ જાય છે.
  • ટપકા મોટા થાય છે અને સમગ્ર વિસ્તારને આવરી લે છે.
  • ગંભીર ચેપગ્રસ્ત પાંદડા પડતા પહેલાં હરિતદ્રવ્ય અને વિકૃત બની શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

પપૈયા

લક્ષણો

પ્રથમ પાંદડાની નીચેની સપાટી પર સફેદ પાઉડરી ફુગના આવરણ થી ઠંકાયેલા પાણી શોષાયેલા કણોવાળા ટપકા ,મોટેભાગે પાંદડાની નસોને અડીને, પાંદડાંના ડીટાં પર અને ફૂલોના પાયા પર દેખાય છે. ક્યારેક, પાંદડાની ઉપરની બાજુ સફેદ ફુગથી ઠંકાયેલા આછા લીલા-પીળા ટપકા ઉભરી આવે છે. આ ટપકા મૃત બદામી બને છે અને પાછળથી પીળા રંગની આભા દ્વારા ઘેરાઈ જાય છે. ગંભીરરીતે અસરગ્રસ્ત પાંદડા કરમાય છે અને અંદરની તરફ વળી જાય છે. ફળો પર વિવિધ આકારમાં સફેદ ફૂગ ની ચાદર દેખાય છે. સામાન્ય રીતે જૂના વૃક્ષો પર ચેપ ને કારણે ઓછું નુકસાન થાય છે. આમ છતાં, નાના કુમળા છોડમાં તે વધતી પેશીઓનું મૃત્યુ, પાનખર, ડાળી અને ફળપર જખમ અને મહત્વપૂર્ણ ઉપજને નુકસાન તરફ દોરી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

વેટટેબલ સલ્ફર, સલ્ફર ડસ્ટ, અથવા ચૂનો સલ્ફર તેમજ પોટેશિયમ બાયકાર્બોનેટ આ રોગને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ સાબિત થયા છે. જોકે, જો ગરમ હવામાન દરમિયાન આ સારવાર કરવામાં આવે તો તે છોડ માટે ઝેરી હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, બેકિંગ પાવડર, લીમડાના તેલનો અર્ક અને સાબુનું દ્રાવણ ઉપયોગી હોઈ શકે છે. બધા કિસ્સાઓમાં, જો રોગ ગંભીર હોય તો આ સારવાર વધારે અસરકારક હોતી નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો.પપૈયા પર પાવડરી ફૂગ નિયંત્રણ કરવા માટે એઝોક્સીસ્ટ્રોબિન, મેન્કોઝેબ જેવા ફુગનાશકોનો ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

રોગ ઓઈડિયમ કેરીકે - પપૈયા ફૂગ ને કારણે થાય છે. ફૂગ ફક્ત પપૈયાના છોડ પર ટકે છે અને વધે છે. બીજકણ ખેતર વચ્ચે અને છોડથી છોડ માં પવન દ્વારા ફેલાય છે. દરેક વૃદ્ધિ ના તબક્કે પાંદડાઓ પર અસર થઇ શકે છે, પરંતુ જૂના પાંદડા વધુ સંવેદનશીલ હોય છે. ફૂગ છોડ કોષો ની બાહ્ય ત્વચાપર વસાહત કરે છે, જે લક્ષણોનું કારણ બને છે. રોગનો વિકાસ અને તેના લક્ષણોની ગંભીરતા ઓછા પ્રકાશનું સ્તર, ઊંચા પ્રમાણમાં ભેજ, મધ્યમ તાપમાન (18 થી 32 ° સે), અને દર વર્ષે 1500 થી 2500 મીમી સુધીના વરસાદ પર આધારીત છે.


નિવારક પગલાં

  • વધુ સ્થિતિસ્થાપક જાતોનું વાવેતર કરો.
  • સારી રીતે હવાઉજાસ મળી રહે તેવા વિસ્તારમાં બે હરોળ વચ્ચે પૂરતી જગ્યા રાખી વૃક્ષોનું વાવેતર કરવું.
  • ભેજનું ઊંચું પ્રમાણ અને 24 ° C થી નીચે તાપમાન ધરાવતા વિસ્તારો ટાળો.
  • ઉપરથી પાણી છંટકાવ દ્વારા સિંચાઈ કરવાનું ટાળો.
  • દિવસે વહેલા છોડને પાણી આપો.
  • મૂળ ના ભાગને પાણી આપો.
  • સંતુલિત પોષણ ની ખાતરી કરો અને ઉચ્ચ નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાનું ટાળો.
  • ચેપગ્રસ્ત છોડના ભાગો દૂર કરો અને કોઈ પણ છોડના અવશેષોનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો