ઘઉં

પીળા પટ્ટાવાળો કાટ

Puccinia striiformis

ફૂગ

5 mins to read

ટૂંકમાં

  • નાની, કાટ જેવી પટ્ટામાં ગોઠવાયેલ ફોલ્લીઓ.
  • થડ અને ડૂંડા પણ પ્રભાવિત થઈ શકે છે.

માં પણ મળી શકે છે

2 પાક

ઘઉં

લક્ષણો

રોગની ગંભીરતા છોડની સંવેદનશીલતા પર નિર્ભર કરે છે. સંવેદનશીલ પ્રજાતિઓમાં, ફૂગ પીળા કે નારંગી( "કાટ જેવી") રંગની ફોલ્લીઓ બનાવે છે જે પાંદડાની નસોને સમાંતર પાતળા પટ્ટાના સ્વરૂપે ગોઠવાયેલ હોય છે. છેવટે તે ભેગા મળી અને આખા પાંદડાને આવરી લે છે, આવું કુમળા છોડમાં વધુ જોવા મળે છે. આ ફોલ્લીઓ(0.5 થી 1 મિમિ વ્યાસ) કેટલીક વાર થડ અને ડૂંડા પર પણ જોવા મળે છે. રોગના પાછળના તબક્કામાં પાંદડાં પર લાંબા, સુકાયેલ આછા કથ્થઇ રંગના પટ્ટા અથવા જખમ દેખાય છે, જે ક્યારેય કાટ જેવી ફોલ્લીઓથી આવરિત હોય છે. ગંભીર ચેપ ના કિસ્સામાં છોડની વૃદ્ધિ પર અસર થાય છે અને પેશીઓને નુકસાન પહોંચે છે. પાંદડાની સંપત્તિનો વિસ્તાર ઓછો થવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે, છોડ દીઠ ઓછા ડૂંડા અને ડૂંડામાં ઓછા દાણા હોય છે. એકંદરે, રોગથી પાકને ગંભીર નુકસાન થઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

બજારમાં ઘણા જૈવિક-ફુગનાશક ઉપલબ્ધ છે. બેસિલસ પ્યુમિલસ પર આધારિત ઉત્પાદન 7 થી 14 દિવસના અંતરાલે લાગુ પડવાથી ફૂગ સામે અસરકારક રહે છે અને ઉદ્યોગના બધા જ અગ્રણી દ્વારા વેચવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. સ્ટ્રોબીલ્યુરિન કક્ષાના જેવા ફુગનાશકોનો સંરક્ષણાત્મક છંટકાવ કરવામાં આવે ત્યારે રોગ સામે અસરકારક રક્ષણ મળે છે. પહેલેથી ચેપગ્રસ્ત ખેતરમાં ટ્રાયએઝોલ પ્રજાતિના અથવા બંન્ને ઉત્પાદનોના મિશ્રણ નો ઉપયોગ કરવો.

તે શાના કારણે થયું?

લક્ષણો પૂસીનીયા સ્ટ્રિફોર્મિસ ફૂગ, એક પરોપજીવી કે જેને જીવવા માટે જીવંત છોડના ભાગની જરૂર છે, તેના કારણે નિર્માણ થાય છે. પવન દ્વારા રોગના બીજ સેંકડો કિલોમીટર સુધી વિખેરાઇ શકે છે અને મોસમ દરમ્યાન રોગચાળો શરૂ કરી શકે છે . ફૂગ પાંદડાં પરના છિદ્રો દ્વારા છોડમાં પ્રવેશે છે અને ધીમે ધીમે પાંદડાની પેશીઓને ચેપ લગાડે છે. આ રોગ મુખ્યત્વે વૃદ્ધિની ઋતુમાં શરૂઆતમાં જોવા મળે છે. ફૂગ અને ચેપના વિકાસ માટે સાનુકૂળ સ્થિતિ છે: ભૌગોલિક ઊંચાઇ, વધુ ભેજ (ઝાકળ), વરસાદ અને 7 થી 15 ° સે વચ્ચેનું ઠંડુ તાપમાન. જયારે તાપમાન સતત 21-23 ° સે કરતાં વધે ત્યારે ફૂગના જીવન ચક્રમાં વિક્ષેપ પડે છે અને ચેપ અટકે છે. ઘઉં, જવ અને રાઈ એ વૈકલ્પિક યજમાનો છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો રોગ-પ્રતિરોધક જાતો નું વાવેતર કરો.
  • નાઇટ્રોજનયુક્ત ખાતર યોગ્ય પ્રમાણમાં આપો, નાઈટ્રોજનનો વધુ પડતો ઉપયોગ કરવો નહીં.
  • જાતે ઉગી નીકળેલા છોડ તપાસવા માટે ખેતરની નિયમિતપણે ચકાસણી કરો અને તેને દૂર કરો.
  • લણણી પછી ખેડ કરો અને પાકના અવશેષોને જમીનમાં દફનાવી દો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો